તહવ્વુર રાણાના 18 દિવસના રિમાન્ડ મંજૂર, કોર્ટમાં રાત્રે 2 વાગ્યા સુધી ચાલી કાર્યવાહી

રુવારે, યુએસ અધિકારીઓએ 26/11 આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ કર્યો. તેમને ખાસ વિમાન દ્વારા દિલ્હીના પાલમ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. જ્યાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા તેમની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં કોર્ટે રાણાને 18 દિવસની કસ્ટડી આપી. જોકે, NIAએ 20 દિવસની કસ્ટડી માંગી હતી. ભારતમાં પહોંચ્યા બાદ, તહવ્વુર રાણાને કડક સુરક્ષા વચ્ચે એરપોર્ટથી પટિયાલા હાઉસ કોર્ટમાં લાવવામાં આવ્યો. તેમને સ્પેશિયલ NIA જજ ચંદ્રજીત સિંહ સમક્ષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટની કાર્યવાહી કેમેરાની નજર હેઠળ એટલે કે બંધ દરવાજા પાછળ યોજાઈ હતી. તહવ્વુર રાણાને કાનૂની સેવા સત્તામંડળ દ્વારા કાનૂની સહાય પૂરી પાડવામાં આવી હતી, અને તેમના વકીલો અને NIA કાનૂની ટીમ કોર્ટમાં…

Helicopter Crash: યુએસની હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ, 3 બાળકો સહિત 6 લોકોના મોત

ગુરુવારે અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં એક ભયાનક અકસ્માત થયો જ્યારે મેનહટન અને જર્સી સિટી વચ્ચે હડસન નદીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત કુલ છ લોકોના મોત થયા છે. અકસ્માત બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ મુસાફરને જીવતો બચાવી શકાયો ન હતો. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે મૃતકોમાં પાયલોટ અને સ્પેનના એક પરિવારના પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. આ બધા લોકો રજાઓ ઉજવવા માટે ન્યુ યોર્ક આવ્યા હતા. ન્યૂ યોર્ક પોલીસ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અહેવાલ આપ્યો છે કે આ અકસ્માત વેસ્ટ સાઇડ હાઇવે અને સ્પ્રિંગ સ્ટ્રીટ નજીક થયો હતો. ખરાબ હવામાન પણ હોઈ શકે કારણ અકસ્માત સમયે હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ નહોતું. આકાશ વાદળછાયું હતું,…

તહવ્વુર રાણાને NIAની ટીમ લાવી રહી છે દિલ્હી, ખાસ કોર્ટમાં કરવામાં આવશે રજૂ

NIAની સાત સભ્યોની ટીમ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોર તહવ્વુર રાણાને અમેરિકાથી દિલ્હી લાવી રહી છે. દિલ્હી પહોંચ્યા બાદ, રાણાની તબીબી તપાસ કરવામાં આવશે, અને ત્યારબાદ તેને NIA સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાણાની પૂછપરછ કરવા માટે કોર્ટ પાસેથી તેની કસ્ટડી માંગવામાં આવશે. પૂછપરછની આ પ્રક્રિયા ઘણા અઠવાડિયા સુધી ચાલી શકે છે, જેમાં મુંબઈ હુમલા અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેટવર્ક વિશે માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવશે. ભારત લાવ્યા બાદ, તહવ્વુરને તિહાર જેલના ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવે તેવી શક્યતા છે. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાણાને જેલમાં રાખવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેઓ કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યા છે જેથી રાણાને ન્યાયિક કસ્ટડીમાં મોકલી શકાય. રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે અને અમેરિકન…

ટેરિફને લઈને ટ્રમ્પનો યુ ટર્ન, ભારત સહિત 75 દેશોને મળી મોટી રાહત: ચીનની વધી ચિંતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના ઉત્પાદનો પર 125 ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરીને ચીન પર મોટો આર્થિક હુમલો કર્યો છે. અગાઉ અમેરિકાએ આ દર વધારીને 104 ટકા કર્યો હતો. આ પછી, ચીને પણ અમેરિકાથી આવતા ઉત્પાદનો પર ડ્યુટી વધારીને 84 ટકા કરી દીધી. ટ્રમ્પે ‘પારસ્પરિક ટેરિફ’ પર 90 દિવસની છૂટની જાહેરાત કરીને ભારત સહિત 75 દેશોને મોટી રાહત આપી છે. આ સમયગાળા દરમિયાન, આ દેશો પર ફક્ત 10 ટકા ડ્યુટી લાગુ પડશે. ટ્રમ્પના ટેરિફને લઈને શેરબજારમાં હાહાકાર મચ્યો હતો અને વૈશ્વિક મંદીની આશંકા વધી હતી એક તરફ ટ્રમ્પના આ નિર્ણયને ચીન પર દબાણ લાવવાની રણનીતિ માનવામાં આવી રહી છે, તો બીજી તરફ ટીકાકારોનું કહેવું છે કે આ પગલું વૈશ્વિક બજારોમાં ઘટાડા અને ભારે ટીકા પછી…

26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને આજે કરવામાં આવશે ભારત પ્રત્યાર્પણ, ખાસ જેલોમાં સુરક્ષા વ્યવસ્થા કરાઇ

  મુંબઈ 26/11 હુમલાના મુખ્ય કાવતરાખોર તહવ્વુર રાણાને હવે ભારત લાવવામાં આવી રહ્યો છે. યુએસ ન્યાયતંત્રની ભલામણો અનુસાર, દિલ્હી અને મુંબઈની ખાસ જેલોમાં રાણા માટે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભારત આવ્યા પછી રાણાને શરૂઆતના થોડા અઠવાડિયા રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની કસ્ટડીમાં રાખવામાં આવી શકે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે.   રાણા લશ્કર-એ-તૈયબાનો સક્રિય સભ્ય તહવ્વુર રાણા લશ્કર-એ-તૈયબાનો સક્રિય સભ્ય હતો જેણે 26/11 ના હુમલાનું કાવતરું ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. રાણાએ તેના સાથી ડેવિડ હેડલી (દાઉદ ગિલાની) ને મુંબઈ હુમલાની યોજના બનાવવા માટે ભારતમાં રેકી કરવામાં મદદ કરી હતી. રાણાએ હેડલી માટે પાસપોર્ટની વ્યવસ્થા કરી અને તેને ભારત મોકલ્યો જેથી તે…

US-China Trade War: ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને 104% કર્યો, વ્હાઇટ હાઉસે કહ્યું – તે મધ્યરાત્રિથી લાગુ થશે

અમેરિકાએ ચીનથી આયાત થતી વસ્તુઓ પર 104% ટેરિફ લાદ્યો, જે મધ્યરાત્રિથી અમલમાં આવશે. આ નિર્ણય ચીન દ્વારા લાદવામાં આવેલી 34% ડ્યુટીના જવાબમાં લેવામાં આવ્યો છે. ચીને આનો વિરોધ કર્યો છે અને બદલો લેવાની ચેતવણી આપી છે.ટ્રમ્પે પહેલાથી જ ચેતવણી આપી હતી કે જો ચીન 8 એપ્રિલ સુધીમાં ટેરિફ દૂર નહીં કરે તો તેના પર વધારાનો 50% ટેરિફ લાદવામાં આવશે.   અમેરિકા-ચીન વેપાર યુદ્ધ: અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર સંઘર્ષ ફરી એકવાર ગરમાયો છે. આ વખતેમામલો ખૂબ ગંભીર બની ગયો છે. સોમવારે, વ્હાઇટ હાઉસે સત્તાવાર રીતે જાહેરાત કરી કે કેટલાક ચીની ઉત્પાદનો પર 104% સુધીના ભારે ટેરિફ લાદવામાં આવ્યા છે. બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી અને તેની અસર વિશ્વની તમામ મુખ્ય…

શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે? આપ્યા આ સંકેત

  બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ તાજેતરમાં એક ટિપ્પણી કરી હતી જેમાં તેમણે પોતાના જીવિત રહેવાનો શ્રેય અલ્લાહને આપ્યો હતો અને કહ્યું હતું કે એક દિવસ જે લોકો આવામી લીગના સભ્યોને નિશાન બનાવી રહ્યા છે તેમને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. શેખ હસીનાએ સોશિયલ મીડિયા પર તેમના પક્ષના નેતાઓ અને તેમના પરિવારના સભ્યો સાથે વાત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.   શેખ હસીનાએ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ પર પણ નિશાન સાધ્યું. હસીનાએ તેમને “એવા વ્યક્તિ તરીકે વર્ણવ્યા જે ક્યારેય લોકોને પ્રેમ કરતા નહોતા”. તેમણે કહ્યું કે યુનુસે ઊંચા વ્યાજ દરે ઉછીના લીધેલા પૈસાનો ઉપયોગ વિચિત્ર જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે કર્યો. હસીનાએ આગળ કહ્યું, “અમે ત્યારે તેમનો બેવડો સ્વભાવ સમજી શક્યા નહીં, અમે તેમને…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસ પોર્ટુગલની મુલાકાતે, સિટી કી ઓફ ઓનર’થી કરવામાં આવ્યા સન્માનિત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલની બે દિવસીય રાજકીય મુલાકાતે પહોંચ્યા છે. તેમણે રાજધાની લિસ્બનમાં ‘સિટી કી ઓફ ઓનર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. લિસ્બનના મેયર કાર્લોસ મોએડાસે એક ખાસ સમારોહમાં તેમને આ સન્માન અર્પણ કર્યું. રાષ્ટ્રપતિ મુર્મુની મુલાકાત દરમિયાન, તેમને કામારા મ્યુનિસિપલ ડી લિસ્બોઆ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, જ્યાં ભારતીય સમુદાયના લોકોથી ખીચોખીચ ભરેલા હોલની સામે તેમને સન્માન આપવામાં આવ્યું હતું. મેયર મોએડાસે સમારોહમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ મુર્મુને ‘સિટી કી ઓફ ઓનર’ના રૂપમાં આ સન્માન આપવામાં આવ્યું હતું, જેનાથી તેઓ લિસ્બનના માનદ નાગરિક બન્યા. આ પ્રસંગે, રાષ્ટ્રપતિએ પરંપરાગત પોર્ટુગીઝ અભિવાદન ‘બોમ ડિયા’ થી પોતાના અભિવાદનની શરૂઆત કરી અને ભારત-પોર્ટુગલ સંબંધો પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું, “ભારત અને પોર્ટુગલ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો સદીઓથી મજબૂત રહ્યા…

CBIની મોટી કાર્યવાહી, ત્રણ રેલવે અધિકારીઓના ઠેકાણા પર પાડયા દરોડા; મળી આ કિંમતી વસ્તુઓ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તાજેતરમાં ત્રણ ટોચના રેલ્વે અધિકારીઓના પરિસરમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી મોટી માત્રામાં રોકડ અને કિંમતી સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. CBIને માહિતી મળી હતી કે આ અધિકારીઓ દિલ્હી સ્થિત એક ખાનગી કંપનીના વિક્રેતા અને તેના પરિવારને ફાયદો પહોંચાડવા માટે લાંચ લઈ રહ્યા હતા. CBIને જાણવા મળ્યું હતું કે આ રેલવે અધિકારીઓએ 7 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જે તેઓ એક ખાનગી કંપની પાસેથી મેળવી રહ્યા હતા. એજન્સીએ આ અધિકારીઓને રંગેહાથ પકડ્યા અને પછી દરોડા દરમિયાન તેમના ઘરમાંથી મોટી રકમ અને કિંમતી વસ્તુઓ જપ્ત કરી. અધિકારીઓએ કોન્ટ્રાક્ટ અને બિલ ચૂકવવાનું વચન આપીને લાંચ લીધી હતી. CBIએ ‘કુબેરનો ખજાનો’ પકડ્યો CBIના દરોડા દરમિયાન, અધિકારીઓના ઘરેથી 60 લાખ રૂપિયાથી વધુ રોકડા, સોનાના લગડીઓ…

Elon Muskએ ટ્રમ્પને નવા ટેરિફ પાછા ખેંચવાની કરી અપીલ, જાણો શું છે મામલો

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ Elon Muskએ હવે પોતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નવી ટેરિફ નીતિ પાછી ખેંચવા અપીલ કરી છે. અમેરિકાએ ચીનને કહ્યું છે કે જો તે જવાબી ડ્યુટી પાછી નહીં ખેંચે તો અમેરિકા તેના પર 50 ટકાનો વધારાનો ટેરિફ લાદશે. અમેરિકાની આ જાહેરાત બાદ, વિશ્વભરમાં વેપાર યુદ્ધની શક્યતાઓ ફરી એકવાર વધી ગઈ છે. અમેરિકાની આ તાજેતરની જાહેરાત સામે Elon Muskએ અવાજ ઉઠાવ્યો. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, Elon Muskએ નવી ટેરિફ નીતિ પાછી ખેંચવા માટે રાષ્ટ્રપતિને સીધી અપીલ કરી છે. જોકે, આ પ્રયાસમાં તેને કોઈ સફળતા મળી ન હતી. આ પહેલી વાર નથી જ્યારે Elon Musk અને ડોનાલ્ડ ટ્રમ્પ વેપાર મુદ્દે સામસામે આવ્યા હોય. વર્ષ 2020 માં જ્યારે Elon Muskએ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે ટેરિફને પડકારવા માટે…