રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસ પોર્ટુગલની મુલાકાતે, સિટી કી ઓફ ઓનર’થી કરવામાં આવ્યા સન્માનિત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલની બે દિવસીય રાજકીય મુલાકાતે પહોંચ્યા છે. તેમણે રાજધાની લિસ્બનમાં ‘સિટી કી ઓફ ઓનર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. લિસ્બનના મેયર કાર્લોસ મોએડાસે એક ખાસ સમારોહમાં તેમને આ સન્માન અર્પણ કર્યું. રાષ્ટ્રપતિ મુર્મુની મુલાકાત દરમિયાન, તેમને કામારા મ્યુનિસિપલ ડી લિસ્બોઆ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, જ્યાં ભારતીય સમુદાયના લોકોથી ખીચોખીચ ભરેલા હોલની સામે તેમને સન્માન આપવામાં આવ્યું હતું.

મેયર મોએડાસે સમારોહમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ મુર્મુને ‘સિટી કી ઓફ ઓનર’ના રૂપમાં આ સન્માન આપવામાં આવ્યું હતું, જેનાથી તેઓ લિસ્બનના માનદ નાગરિક બન્યા. આ પ્રસંગે, રાષ્ટ્રપતિએ પરંપરાગત પોર્ટુગીઝ અભિવાદન ‘બોમ ડિયા’ થી પોતાના અભિવાદનની શરૂઆત કરી અને ભારત-પોર્ટુગલ સંબંધો પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું, “ભારત અને પોર્ટુગલ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો સદીઓથી મજબૂત રહ્યા છે, અને આપણા રોજિંદા જીવન પર તેનો ઊંડો પ્રભાવ રહ્યો છે.”

ભારત અને પોર્ટુગલ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા પર ભાર
રાષ્ટ્રપતિ મુર્મુએ ભારત અને પોર્ટુગલ વચ્ચે સામૂહિક જવાબદારીની ભાવનાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ ભાગીદારી બંને દેશોને પ્રાદેશિક અને બહુપક્ષીય મંચો પર કુદરતી ભાગીદાર બનાવે છે. તેમણે એમ પણ કહ્યું કે પોર્ટુગલ યુરોપિયન યુનિયન તેમજ લુસોફોન દેશો સાથે ભારતનો એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે પોર્ટુગલમાં ભારતીય સંસ્કૃતિ, કલા, યોગ, આયુર્વેદ અને ખોરાકની વધતી જતી લોકપ્રિયતા આ મજબૂત સાંસ્કૃતિક આકર્ષણનું સ્પષ્ટ ઉદાહરણ છે.

રાષ્ટ્રપતિએ ભારતીય સ્થળાંતર કરનારાઓને “આપણા સંબંધોનો પાયો” ગણાવ્યો અને કહ્યું કે તેઓ પોર્ટુગલના સમાજ અને અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. પોર્ટુગલમાં ભારતીય સમુદાયની સંખ્યા લગભગ 1,25,000 છે, જેમાં35,000 થી વધુ ભારતીય નાગરિકો અને 90,000 ભારતીય મૂળના લોકોનો સમાવેશ થાય છે. આમાંના મોટાભાગના સ્થળાંતર કરનારાઓના મૂળ ગુજરાત અને ગોવામાં છે.

ભારત-EU સંબંધોમાં વૃદ્ધિ
રાષ્ટ્રપતિ મુર્મુની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે વૈશ્વિક સ્તરે આર્થિક પરિવર્તન આવી રહ્યા છે. ભારતની EU સાથે ભાગીદારી વધુ મજબૂત થઈ રહી છે, અને ભારત અને EU વચ્ચે આ વર્ષે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. અગાઉ, ફેબ્રુઆરીમાં, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને અન્ય યુરોપિયન પ્રતિનિધિઓએ ભારતની મુલાકાત લીધી હતી.

27 વર્ષ પછી ભારતીય રાષ્ટ્રપતિની પોર્ટુગલ મુલાકાત
આ મુલાકાત ભારતીય રાષ્ટ્રપતિ માટે ઐતિહાસિક છે, કારણ કે 27 વર્ષ પછી કોઈ ભારતીય રાષ્ટ્રપતિની પોર્ટુગલની આ પહેલી મુલાકાત છે. ઉપરાંત, આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે EU-ભારત સંબંધો એક નવી આર્થિક અને રાજકીય દિશા તરફ આગળ વધી રહ્યા છે. ભારત આ વર્ષના અંત સુધીમાં યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાનું લક્ષ્ય રાખે છે, જે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવશે.

Related Posts

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો : Awesome

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો, હવે મળશે રૂ. 885 – પશુપાલકોમાં ખુશીનો માહોલ પંચામૃત ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો: પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધ્યા, હવે મળશે રૂ. 885 પંચામૃત ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપતા દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો જાહેર કર્યો છે. નવા દર મુજબ હવે રૂ. 885 પ્રતિ કિલો ફેટ ચૂકવાશે. જાણો આ નિર્ણયથી પશુપાલકોને શું લાભ થશે. ગુજરાતના લાખો પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની અગ્રણી સહકારી ડેરીઓમાંની એક પંચામૃત ડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડેરીના નિર્ણય અનુસાર હવે પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દૂધનો નવો ખરીદી…

2026 : Gujarat Rain Forecast : અમદાવાદમાં રાહત, સોમવારથી વરસાદ ઘટે તેવી શક્યતા Red Alert Lifted : IMD Rain Warning

અમદાવાદ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદને રેડ એલર્ટમાંથી બહાર રાખવામાં આવ્યું, સોમવારથી વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા. ગુજરાતમાં મેઘમહેર યથાવત, અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ ચાલુ અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સક્રિય રહેલી વરસાદી સિસ્ટમની અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આજે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, રાહતના સમાચાર એ છે કે અમદાવાદ શહેરને હાલ રેડ એલર્ટમાંથી બહાર રાખવામાં આવ્યું છે. શહેરમાં છેલ્લા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *