ગુજરાતમાં HMPV વાયરસનાં ત્રણ કેસથી લોકોમાં ફફડાટ, આરોગ્ય મંત્રીએ આપી આ સલાહ

B india અમદાવાદ :- ચીનથી ઉદભવેલા વાયરસથી ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. આ વાયરસની એન્ટ્રી ભારત અને આપણા ગુજરાતમાં પણ થઈ ચુકી છે. જો કે, ડરવાનું કોઈ કારણ નથી. પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. અમદાવાદમાં પણ HMPVએ એન્ટ્રી મારી દીધી છે અને વસ્ત્રાપુર વિસ્તારમાં એક વૃદ્ધ સંક્રમિત થયા છે. સામાન્ય કહી શકાય તેવા શરદી, ખાંસી અને તાવના લક્ષણો આ 80 વર્ષના વૃદ્ધમાં જોવા મળ્યા હતા. કોરોના બાદ ફરી એકવાર વિશ્વ ટેન્શનમાં છે.કોરોનાએ ચીનમાંથી નીકળી દુનિયામાં હાહાકાર મચાવ્યો હતો. તેવો જ વધુ એક વાયરસ ચીનમાંથી ઉદભવી ચુક્યો છે. અને ધીરે ધીરે દરેક દેશ અને રાજ્યોમાં પ્રવેશી રહ્યો છે. રાહતની વાત એ છે કે ખાનગી હોસ્પિટલમાં નોંધાયેલા આ કેસમાં વૃદ્ધની હાલત એકદમ સ્થિર છે. દર્દીના સેમ્પલને બી.જે. મેડિકલ કોલેજમાં…

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

B india અમદાવાદ :- ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. ત્યારે અમદાવાદમાં આજે 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નો CMનાં હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના 11 રાજયોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ગુજરાતમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લેશે. અમદાવાદમાં દર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું આયોજન કરવામાં આવે છે. લોકસંસ્કૃતિ, કલા કારીગરી અને પ્રવાસન ક્ષેત્રની પ્રસિદ્ધિના ભાગરૂપે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ અગત્યની ભૂમિકા ભજવે છે. શરૂઆતના વર્ષોમાં ફક્ત અમદાવાદ શહેર ખાતે યોજાતો આ પતંગ મહોત્સવ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ આયોજિત કરવામાં આવે…

ભૂલો દરેકથી થતી હોય છે, મારાથી પણ થઇ છે, હું કોઇ દેવતા નથીઃ પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પહેલા પોડકાસ્ટમાં વડાપ્રધાન તરીકેના તેમના જુદા જુદા કાર્યકાળ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સાથેના પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, ‘પ્રથમ કાર્યકાળમાં, લોકો મને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અને હું દિલ્હીને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બીજા કાર્યકાળમાં હું ભૂતકાળના પરિપ્રેક્ષ્યથી વિચારતો હતો. ત્રીજી ટર્મમાં મારી વિચારસરણી બદલાઈ ગઈ છે, મારું મનોબળ ઊંચું થયું છે અને મારા સપના મોટા થઈ ગયા છે. -> ‘સરકારી યોજનાઓની 100% ડિલિવરી હોવી જોઈએ’ :- આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે – હું ઈચ્છું છું કે વિકસિત ભારત માટે 2047 સુધીમાં તમામ સમસ્યાઓનો ઉકેલ આવે, સરકારી યોજનાઓની 100% ડિલિવરી હોવી જોઈએ. આ જ વાસ્તવિક સામાજિક ન્યાય અને બિનસાંપ્રદાયિકતા છે. આની પાછળનું પ્રેરક બળ છે…

ક્રિકેટર અશ્વિનના નિવેદનથી હોબાળો, કહ્યું “હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી.”

ક્રિકેટર અશ્વિનનાં નિવેદનથી હોબાળો મચી ગયો છે. ક્રિકેટર અશ્વિને એક કાર્યક્રમમાં હિન્દી ભાષાને લઈને એક નિવેદન આપ્યું હતું. જેને લઈને સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો હતો. તેમણે કહ્યું કે, “હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી.”ક્રિકેટર અશ્વિને તાજેતરના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. હવે રવિચંદ્રન અશ્વિને એવું નિવેદન આપ્યું છે, જેના કારણે વિવાદ ઉભો થયો છે. ચેન્નાઈમાં એક એન્જિનિયરિંગ કોલેજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે અશ્વિને કહ્યું કે, હિન્દી ભારતની રાષ્ટ્રભાષા નથી. અશ્વિનના આ નિવેદનથી ફરી એકવાર ભાષા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. પોતાના સંબોધન દરમિયાન, અશ્વિને વિદ્યાર્થીઓને પૂછ્યું કે, શું કોઈને હિન્દીમાં પ્રશ્નો પૂછવામાં રસ છે, જેમાં કોઈએ રસ દાખવ્યો નહીં. આ પછી અશ્વિને કહ્યું, ‘મને લાગ્યું કે મારે આ કહેવું જોઈએ.’ હિન્દી…

ઉત્તરાયણને લઇને અંબાલાલ પટેલની આગાહી, પતંગ રસિયાઓને ઠંડીથી મળશે રાહત

ઉત્તરાયણને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં ઉત્તરાયણમાં 14થી 16 જાન્યુઆરી દરમિયાન ઠંડીમાં રાહત મળશે. તેમજ કચ્છ સિવાયના વિસ્તારોમાં ઠંડી ઓછી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ઉત્તરાયણના દિવસે સવારે સારો પવન રહેશે તેમજ બપોરના સમયે પવન બહુ નહી રહે અને સાંજના સમયે પાછો પવન ઉઘડશે,સાથે સાથે વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે. અંબાલાલ પટેલે વધારે માહિતી આપતા જણાવ્યું છે કે, તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. તારીખ 14થી 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા છે. ક્યારેક કોઈક ભાગમાં છાંટાછૂટી પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.…

મહેસાણામાં સરકારી ખાતરના કૌભાંડનો પર્દાફાશ, ફેકટરીમાંથી 100 કરતા વધુ ખાતરની બોરી ઝડપાઈ

B india મહેસાણા :- મહેસાણાની ફેકટરીમાંથી 100 કરતા વધુ ખાતરની બોરી ઝડપાઈ છે આ ખાતર ખેરપુર-લક્ષ્મીપુરા ગામ નજીકથી ઓમ નામની ફેક્ટરીમાંથી ઝડપાયું છે. ત્યારે પોલીસે સમગ્ર ઘટનાને લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. -> ક્યાં કામમાં વપરાતું હતું આ સરકારી ખાતર :- મહેસાણા એલસીબીની ટીમે ખાતરનો જથ્થો ઝડપી પાડયો છે. જેમાં પ્લાયવુડ-સન્માઇકા બનાવવામાં ખાતર વપરાતું હોવાની વાત સામે આવી છે. નંદાસણ પોલીસે ખાતરનો જથ્થો જપ્ત કર્યો છે. અને મુદ્દામાલને પોલીસ સ્ટેશન લઈ લેવામા આવ્યો છે. અને સરકારી ખાતર ફેકટરી સુધી કઈ રીતે પહોંચ્યું અને આ ઘટનામાં કોણ-કોણ સામિલ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. મહેસાણા એલસીબી ટીમ નંદાસણ પંથકમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે નંદાસણ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી.જે આધારે મહેસાણા એલસીબી ટીમે…

કિડની સ્વાસ્થ્ય: 8 રીતે તમારી કિડનીની સંભાળ રાખો, તે યોગ્ય રીતે કામ કરશે, વૃદ્ધત્વ તેના પર અસર કરશે નહીં

આપણા શરીરને સ્વસ્થ રાખવામાં કિડની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કિડની યોગ્ય રીતે કાર્ય કરે છે તો આખું શરીર યોગ્ય રીતે કાર્ય કરે છે. એકંદરે, હૃદયની જેમ, કિડનીનું પણ સંપૂર્ણપણે સ્વસ્થ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો વ્યક્તિને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.કિડની શરીરને ડિટોક્સિફાય કરવામાં અને ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે. સ્વસ્થ કિડની રાખવા માટે, સ્વસ્થ જીવનશૈલી અપનાવવી મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કિડનીને સ્વસ્થ રાખવા માટે કેટલીક સરળ ટિપ્સ. -> કિડની કેવી રીતે સ્વસ્થ રાખવી? :- પૂરતું પાણી પીવો: પાણી કિડની માટે શ્રેષ્ઠ ડિટોક્સિફાયર છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરવામાં મદદ કરે છે અને કિડનીમાં પથરી બનવાની શક્યતા ઘટાડે છે. -> સ્વસ્થ આહાર લો :- ફળો, શાકભાજી,…

ઉંદરોથી કેવી રીતે છુટકારો મેળવવો: શું ઉંદરો ઘરમાં આતંક મચાવી રહ્યા છે? આ 5 સરળ પગલાં અનુસરો; એક પણ દેખાશે નહીં

જો ઘરમાં એક પણ ઉંદર દેખાય, તો કપાળ પર કરચલીઓ પડવી અનિવાર્ય છે. ઉંદરોનો કૂદકો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જો તમે તમારા ઘરમાંથી ઉંદરોને ભગાડવાનો પ્રયાસ કરીને કંટાળી ગયા છો, તો કેટલાક ઘરેલું નુસખા અજમાવો. આ યુક્તિઓ ઘરમાંથી ઉંદરોને ભગાડવા માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.ઉંદરોથી છુટકારો મેળવવાના કેટલાક સરળ અને કુદરતી રસ્તાઓ અહીં આપ્યા છે. આ પદ્ધતિઓ ઘરે ખૂબ જ સરળતાથી અપનાવી શકાય છે અને આનાથી ઉંદરોને મારવાની પણ જરૂર નહીં પડે. -> તમારા ઘરમાંથી ઉંદરો દૂર કરવા માટેની ટિપ્સ : ફુદીનાનો ઉપયોગ: ઉંદરોને ફુદીનાની તીવ્ર ગંધ બિલકુલ ગમતી નથી. તમે પાણીમાં પેપરમિન્ટ તેલ ભેળવીને સ્પ્રે બનાવી શકો છો અને જ્યાં ઉંદરો દેખાય છે ત્યાં સ્પ્રે કરી શકો છો. લવિંગનો ઉપયોગ: લવિંગની તીખી…

ગેમ ચેન્જર ટ્વિટર રિવ્યૂ: શું ગેમ ચેન્જર પુષ્પા 2 ની ગુંડાગીરીનો અંત લાવી શકશે? પ્રેક્ષકોનો નિર્ણય આવી ગયો

આખરે સમય આવી ગયો છે જ્યારે એક સંપૂર્ણ ભારતીય ફિલ્મ થિયેટરોમાં પુષ્પા 2 સાથે સ્પર્ધા કરવા માટે આવી ગઈ છે. ૧૦ જાન્યુઆરીએ, ગ્લોબલ સ્ટાર રામ ચરણ તેમની ફિલ્મ ‘ગેમ ચેન્જર’ સાથે તેમની હિરોઈન કિયારા અડવાણી સાથે આવ્યા છે. એસ શંકર દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ એક રાજકીય એક્શન ડ્રામા છે જેમાં રામ ચરણ ટ્રિપલ રોલમાં જોવા મળે છે.અલ્લુ અર્જુનની પુષ્પા 2 ની જેમ, આ ફિલ્મ પણ મૂળ ભાષા તેલુગુ – હિન્દી, મલયાલમ, કન્નડ અને તમિલ ઉપરાંત પાંચ ભાષાઓમાં રિલીઝ થઈ છે. રામ ચરણની ફિલ્મ ‘ગેમ ચેન્જર’ ની એડવાન્સ બુકિંગ કમાણી ગઈકાલ સુધી ૧૨ કરોડ રૂપિયા હતી. શું ફિલ્મમાં ટ્રિપલ રોલ ભજવનાર રામ ચરણએ પુષ્પા 2 ની જેમ થિયેટરમાં દર્શકોને ટ્રિપલ મનોરંજન પૂરું પાડ્યું? શું આ ફિલ્મ એક…

PM મોદીએ ઝેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામથ સાથે પોડકાસ્ટ ડેબ્યુ કર્યુ, ટ્રેલર રિલિઝ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય ઉદ્યોગ સાહસિક, રોકાણકાર અને સ્ટોક બ્રોકર નિખિલ કામથના પોડકાસ્ટ શો ‘પીપલ બાય WTF’માં આગામી મહેમાન હશે. નિખિલ કામથે ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ X પર પોડકાસ્ટના આ એપિસોડનું બે મિનિટનું ટ્રેલર રિલીઝ કર્યું છે. કામથે પીએમને કહ્યું- હું તમારી સામે નર્વસ થઇ રહ્યો છુંઆ ટ્રેલરનું શીર્ષક “પીપલ વિથ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી, એપિસોડ 6 ટ્રેલર” છે. આ ટ્રેલરમાં પીએમ મોદી અને નિખિલ કામથ વચ્ચેની એક રસપ્રદ વાતચીત બતાવવામાં આવી છે. વીડિયોમાં, કામથ કહે છે, “હું અહીં તમારી સામે બેઠો છું અને વાત કરી રહ્યો છું, મને ગભરાટ થઈ રહ્યો છે. આ મારા માટે ખૂબ જ મુશ્કેલ વાતચીત છે.” -> પીએમએ કહ્યું- મને ખબર નથી કે દર્શકોને કેવું લાગશે :- આનો જવાબ આપતા, પીએમ મોદી…