અમદાવાદમાં પરિણીતાનો ત્રણ સંતાનો સાથે આપઘાતનો પ્રયાસ, માતા-પુત્રનું મોત, બે બાળકીઓ સારવાર હેઠળ

B INDIA અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિલ દહેલાવી દે તેવી ઘટનાં સામે આવી છે. જ્યાં એક પરિણીતાએ તેના સંતાનો સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી લેતાં માતા અને પુત્રનું મોત નીપજ્તાં ભારે અરેરાટી મચી છે. સાથે જ એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. હાલ ઘટનાને પગલે ઓઢવ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, પરિણીતાએ સંતાનો સાથે સામૂહિક આપઘાતનો પ્રસાસ કર્યો હતો. ઘઉંમાં નાખવાની દવા ચોકલેટમાં ભેળવી પરિણીતાએ પોતે અને બાળકોને પણ પીવડાવી હતી. દવા પીધા બાદ માતા અને પુત્રનું મોત નીપજ્યું છે. દવા પીધા બાદ બે બાળકીઓ સારવાર હેઠળ છે. પરિણીતાએ આત્મહત્યા પહેલા સ્યૂસાઇડ નોટ પણ લખી હતી.

-> પતિના હાથે સિંદૂર ન પુરવતા :- આ સુસાઇડ નોટમાં મહિલાએ મોત માટે કોઈને જવાબદાર ગણાવ્યા ન હતા. ત્યારે પતિના હાથે સિંદૂર ન પુરવતા તેવું લખી મોતને વ્હાલુ કર્યુ હતું. સમગ્ર ઘટનાને લઇ ઓઢવ પોલીસે પુત્રની હત્યા બદલ મૃતક માતા વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.ત્યારે બીજી તરફ પરણીતાના આત્મહત્યા પાછળના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. અને પતિ તથા અન્ય નજીકના લોકોની પૂછપરછ હાથ ધરી છે.

Related Posts

શું છે આ 1200 કિમી ચાલતી કારનું અસલી રહસ્ય? પેટ્રોલ અને બેટરીની એવી જુગલબંધી જે તમે ક્યારેય નહીં જોઈ હોય!

નવી દિલ્હી / અમદાવાદ: ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરમાં અત્યાર સુધી જેની માત્ર ચર્ચાઓ ચાલતી હતી, તે ક્રાંતિની હવે સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે. વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની BYD…

આણંદ: સ્વચ્છતાના નામે નેતાઓનું 5 મિનિટનું ‘ફોટો સેશન’!

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ ભાજપની ચૂંટાયેલી પાંખ હવે એક્શનમાં તો આવી છે, પણ આ એક્શન જનતાની સેવા માટે છે કે પછી સોશિયલ મીડિયા પર ‘રીલ્સ’ અને ‘ફોટો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *