લોક સાહિત્યકાર માયાભાઇ આહીર હવે સ્વચ્છ છે, હોસ્પિટલમાંથી મળી રજા

B INDIA મહેસાણા : મહેસાણાનાં કડીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત અચાનક બગડી હતી. અને તેમને સારવાર હેઠળ થલતેજની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આજે તેમની તબિયત સ્વસ્થ થતાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલની બહાર આવતા જ માયાભાઈ આહીરે કહ્યું કે, હું એકદમ સ્વસ્થય છું.

લોક સાહિત્યકાર માયાભાઈ આહીરે કહ્યું હતું કે, એપેક્ષ હોસ્પિટલમાં 10 ફેબ્રુઆરીના રોજ અચાનક આવવાનું થયું. ડોક્ટર તેજસ પટેલે ખુસ સારી સારવાર કરી છે. મારી એન્જિયોગ્રાફી કરી બે દિવસમાં એકદમ રેડી કરી દીધો છે. હું હાલ પરત ઘરે જઈ રહ્યો છું.દરેક મારા પ્રેમી મિત્રો બે દિવસથી સુતા નથી, બધાના ફોન પણ એટલા આવ્યા, એ બધાને મારે કહેવું છે કે હું એકદમ રેડી છું અને ઘરે જઈ રહ્યો છું. બધાને મારા જયશ્રીરામ. કોઈ ચિંતાનો સવાલ નથી. હું એક દમ સ્વચ્છ છું.

માયાભાઈ આહિર બે દિવસ પહેલા કડીના ઝુલાસણ ગામમાં એક પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા, તે દરમ્યાન ચાલું ડાયરામાં અચાનક તેમને છાતીમાં દુખાવો થતાં તાત્કાલિક તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી.

Related Posts

“ફૂડ, ફન અને શોપિંગ! અમદાવાદના સૌથી મોટા ફેસ્ટિવલ માટે થઈ જાઓ તૈયાર.”

અમદાવાદ શહેર તેની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાગત ભોજન, આધુનિક જીવનશૈલી અને વેપાર માટે સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવે છે. વર્ષ દરમિયાન શહેરમાં વિવિધ સાંસ્કૃતિક, વેપારી અને મનોરંજનના કાર્યક્રમો યોજાતા રહે છે,…

અમદાવાદમાં વરસાદનો કહેર: અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ, વાહનચાલકો પરેશાન

અમદાવાદમાં વરસાદથી ટ્રાફિક જામ – કયા વિસ્તારોમાં સૌથી વધુ અસર?   અમદાવાદ: શહેરમાં પડેલા વરસાદ બાદ અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અચાનક વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *