NAVRATRI 2025 : આજે છે દુર્ગા અષ્ટમી, મા મહાગૌરીની પૂજા કરવાનો પાવન દિવસ
શારદીય નવરાત્રી હવે તેના અંતિમ ચરણમાં પ્રવેશી ગઈ છે અને આજે દુર્ગા અષ્ટમી, નવરાત્રિનો આઠમો દિવસ, ભક્તિ અને શક્તિની આરાધનાનો ખાસ અવસર છે. આ પાવન દિવસે દેવી દુર્ગાના આઠમા સ્વરૂપ ‘મા મહાગૌરી’ની પૂજા કરવામાં આવે છે. મા મહાગૌરીને શુદ્ધતા, શાંતિ અને આશીર્વાદોની દેવી માનવામાં આવે છે. મા મહાગૌરી: શાંતિ અને શક્તિનું દૈવી સ્વરૂપ મા મહાગૌરીનું રૂપ અતિ તેજસ્વી અને ગુણાત્મક છે. તેમનો રંગ ગોરો છે, જેમ શંખ, ચંદ્ર અને કુંદના ફૂલો જેવો. માતાજીના ચાર હાથ છે, તેઓએ સફેદ વસ્ત્ર ધારણ કર્યાં છે અને તેઓ વૃષભ (બળદ) પર સવાર છે. એક હાથમાં ત્રિશૂળ, એકમાં ડમરૂ, અને બે હાથ ભક્તોને આશીર્વાદ આપતી મુદ્રામાં છે. મહાગૌરીની આરાધનાથી ભક્તોના પાપ દૂર થાય છે અને દુર્લભ સિદ્ધિઓની પણ પ્રાપ્તિ થાય…
અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલીનું કરાયું આયોજન
અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ્ટ ડેપોના કર્મચારીઓ અને આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા સ્વચ્છ ભારત મિશન’ ના 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેના ભાગરૂપે ‘સ્વચ્છતા હી સેવા 2025’ અભિયાનને ‘સ્વચ્છોત્સવ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ‘સ્વચ્છતા હી સેવા અંતર્ગત અંકલેશ્વર શહેર એસ.ટી. ડેપો ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી સ્વચ્છતા રેલીમાં ડેપોના ડ્રાઈવર કંડકટર સહીતનો સ્ટાફ તેમજ આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા ,આ રેલીમાં કમર્ચારીઓ અને વિદ્યાર્થીઓએ હાથમાં સ્વચ્છતા સંબંધિત સૂત્રોચ્ચારો સાથે પ્લેકાર્ડ્સ લઈને બસ સ્ટેશન વિસ્તારમાં ફરી હતી ,અને મુસાફરોને ડેપો અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. Follow us On Social Media…
રાજકોટ જિલ્લામાં અકસ્માત: ઉપલેટા શહેરમાં 2 ઇંચ ભારે વરસાદથી વર્ષો જૂનુ બંધ મકાન ધરાશાયી
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ગઈ રાત્રે પડેલા ભારે વરસાદના કારણે એક જૂનુ અને લાંબા સમયથી બંધ મકાન તૂટી પડ્યું છે. સવારે વહેલી તડકે બનેલી આ ઘટના લોકોમાં ચકચાર ફેલાવી છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ગઈ રાત્રે ઉપલેટા પંથકમાં આશરે 2 ઇંચ જેટલો ભારે વરસાદ થયો હતો, જે અચાનક શહેરમાં પૂરવર્ષા જેવા પરિસ્થિતિ સર્જી. આ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ભારે વરસાદ અને ભેજના કારણે ઉપલેટા શહેરના એક જર્જરિત મકાનની છત અને કાટમાળ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ મકાન વર્ષો જૂનું અને લાંબા સમયથી બંધ હતું, જેના કારણે કોઈપણ વ્યક્તિના મોત કે ઘાયલ થવાના આશંકા ટાળી શકાય. ઘટનાની જાણ થતાં ઉપલેટા વહીવટ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા…
ધારાસભ્ય હાર્દિક પટેલનું ધરપકડ વોરંટ થયું રદ, હાઇકોર્ટે આપી મોટી રાહત
ધારાસભ્ય હાર્દિક પટેલને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઇકોર્ટે હાર્દિક પટેલ સામે જાહેર કરાયેલા ધરપકડ વોરંટને રદ કરી દીધું છે. હાર્દિક પટેલ પર 2018માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન આવતા ધરપકડ મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ અમદાવાદના નિકોલ પોલીસ મથકમાં નોંધાયેલ હતી. ધારાસભ્ય હાર્દિક પટેલ પર પરવાનગી વિના ધરણાં પર બેસવાના આરોપમાં ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ધરપકડ માટે વોરંટ કાઢી હતી. હાર્દિક પટેલે કોર્ટમાં ઉપસ્થિત રહેવાની ખાતરી આપતા, હાઇકોર્ટે તેમની બાંહેધરી બાદ વોરંટ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હાર્દિક પટેલ માટે મોટી રાહત તરીકે જોવાય છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગુજરાત પર વરસાદી આફતનું સંકટ : અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની તૈયારીમાં
ગુજરાત હવે ફરીથી એક ભારે પવન અને વરસાદની દુહા સામે ઊભું છે. અરબી સમુદ્રમાં ઊંડા દબાણ (Deep Depression) અને બંગાળની ખાડીમાં સક્રિય થતી નવી લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત માટે બેવડી ચિંતા સર્જી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) તથા ખાનગી હવામાન એજન્સીઓએ આગામી ૪૮ કલાક માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ઊંડું દબાણ, બંગાળમાં નવી સિસ્ટમ IMDના જણાવ્યા પ્રમાણે, ગુજરાતને અડીને અરબી સમુદ્રમાં ઊંડું દબાણ સર્જાયું છે, જેના કારણે ભેજ ભરેલું વાતાવરણ સર્જાયું છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં એક નવું લો-પ્રેશર ઝોન આકાર લઈ રહ્યું છે, જેના સંયુક્ત પ્રભાવથી સમગ્ર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. રાજ્યના કેટલાંક વિસ્તારો માટે “અલર્ટ” અગાઉના ચોમાસાની ઋતુ સમાપ્ત થવાની આસપાસ…
કેનેડાની મોટી કાર્યવાહી: લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું
કેનેડા સરકારે ભારતના વિવાદાસ્પદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નેતૃત્વ હેઠળની બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન તરીકે સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે. કેનેડાના જાહેર સલામતી મંત્રાલય દ્વારા સોમવારના રોજ જાહેર કરાયેલા નિર્ણય અનુસાર, હવે બિશ્નોઈ ગેંગને સહાય કરવી કે સમર્થન આપવું કાયદેસર ગુનો ગણાશે. કેનેડાની “ટેરર લિસ્ટ”માં બિશ્નોઈ ગેંગનો સમાવેશ કેનેડાની ટેરરિસ્ટ એન્ટિટીઝ લિસ્ટમાં બિશ્નોઈ ગેંગને ઉમેરવાનો નિર્ણય કન્ઝર્વેટિવ પાર્ટી અને NDP નેતાઓની માંગણીઓ પછી લેવામાં આવ્યો છે. આ પગલાને પગલે હવે કેનેડિયન અધિકારીઓએ ગેંગ વિરુદ્ધ વધુ કડક પગલાં લેવા માટે પૂરતું કાનૂની આધાર મેળવ્યો છે. તેમાં સામેલ છે: – ગેંગની સંપત્તિ જપ્ત કરવી – બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવી – તેમના સંભવિત સમર્થકો અને નેટવર્ક સામે કાર્યવાહી બિશ્નોઈ ગેંગ સામે લાગેલા ગંભીર આરોપો કેનેડાના જાહેર સલામતી વિભાગ મુજબ,…
NAVRATRI 2025 : આજે સાતમાં નોરતે કરો કૃપાળુ અને ભયંકાર રૂપ ધરાવતી મા કાલરાત્રિને પ્રસન્ન; જાણો પૂજા વિધિ, ભોગ, મંત્ર અને આરતી
આજે નવરાત્રીનો સાતમો દિવસ છે, જે મા કાલરાત્રિને સમર્પિત હોય છે. દેવી દુર્ગાના નવ સ્વરૂપોમાંથી સાતમો રૂપ ગણાતી મા કાલરાત્રિને અંધકારની દેવી, વિનાશકાળી શક્તિ, અને પાપ નાશક શક્તિ તરીકે પૂજવામાં આવે છે. તેમ છતાં, તેઓ પોતાના ભક્તો માટે સદાય રક્ષિકા અને કલ્યાણકારી રહે છે. મા કાલરાત્રિનું દર્શન માત્ર ભય માટે નહીં, પણ આંતરિક શક્તિ, વિરોધી શક્તિઓનો નાશ, અને મૃત્યુ પર વિજય માટે પણ કરવામાં આવે છે. આવો જાણીએ આજે સાતમા નોરતને વિશેષ બનાવતી મા કાલરાત્રિની પૂજા વિધિ, ભોગ, મંત્ર અને આરતી વિશે સંપૂર્ણ માહિતી. માતા કાલરાત્રિ – કોણ છે આ ભયંકાર રૂપ? મા કાલરાત્રિનો જન્મ ત્યારે થયો હતો, જ્યારે પૃથ્વી પર અધર્મ અને પાપ ખૂબ વધી ગયા હતા. પૌરાણિક માન્યતા અનુસાર, દેવી દુર્ગાએ દુષ્ટોનો…















