સાધ્વીથી ગ્લેમરસ લાઇફમાં વાપસી! મમતા કુલકર્ણી,દારુની પાર્ટી કરી સેલીબ્રેટ કર્યો બર્થ ડે,વીડિયો થયો વાયરલ

20 એપ્રિલે મમતા કુલકર્ણી તેનો 54 મો જન્મદિવસ ઉજવી રહી છે. જો કે મમતા કુલકર્ણીએ તો તેનો જન્મદિવસ શનિવાર રાત્રે જ ઉજવી લીધો હતો. તેણે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે .જેમાં તે સેટર ડે નાઈટ અને જન્મદિવસની ઉજવણી માણતી જોવા મળે છે. આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર એટલા માટે છે કે અભિનેત્રીમાંથી સાધ્વી બનેલી મમતા કુલકર્ણી દારુ પીને જન્મદિવસ ઉજવી રહી છે. સાધ્વીથી  મમતા કુલકર્ણી, આ વાત લોકોને ખૂબ ખટકી છે. મમતા કુલકર્ણીએ તેના ઈંસ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં તે કેટલાક લોકો સાથે જન્મદિવસ ઉજવતી જોવા મળે છે. મમતા કુલકર્ણીએ મોર્ડન ડ્રેસ પહેર્યો છે, તેની સાથે રહેલા લોકો પણ પાર્ટીના મૂડમાં જોવા મળે છે અને તેમના ટેબલ પર વાઈન અને અલગ…

આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિનો બોલિવુડમાં ભવ્ય ડેબ્યૂ, ‘કૃષ્ણાવતારમ’થી શરૂ થશે સફર

મનોરંજન જગતમાં હાલ એક ખાસ ચર્ચા જોર પકડી રહી છે, રાજકારણ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક અનોખું મિલન. આનંદીબેન પટેલની પૌત્રી સંસ્કૃતિ જયના હવે રૂપેરી પડદે પોતાની ઓળખ બનાવા માટે તૈયાર છે. તેની ડેબ્યુ ફિલ્મ કૃષ્ણાવતારમ પાર્ટ 1: ધ હાર્ટને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. સંસ્કૃતિ જયના આ ફિલ્મમાં ‘સત્યભામા’ ના મહત્વપૂર્ણ અને શક્તિશાળી પાત્રમાં જોવા મળશે. તેના રાજકીય પૃષ્ઠભૂમિ હોવા છતાં, તેણે પોતાની મહેનત અને પ્રતિભાના આધારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ મોટો મોકો મેળવ્યો છે. ટ્રેલરમાં તેની શાહી અંદાજ, અભિનય અને વ્યક્તિત્વે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. આ ફિલ્મનું નિર્દેશન હાર્દિક ગજ્જરએ કર્યું છે. ફિલ્મમાં સિદ્ધાર્થ ગુપ્તા ભગવાનકૃષ્ણના  પાત્રમાં છે, જ્યારે સુષ્મિતા ભટ્ટ રાધાના પવિત્ર પાત્રમાં નજરે પડશે. પૌરાણિક અને ભક્તિભાવથી ભરપૂર આ ફિલ્મ…

અક્ષય તૃતીયા 2026: સોનું ખરીદવાની પરંપરા પાછળનું વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

અક્ષય તૃતીયા (Akshaya Tritiya) હિંદુ અને જૈન ધર્મમાં અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવતો તહેવાર છે. આ દિવસ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. “અક્ષય” શબ્દનો અર્થ છે – જે ક્યારેય ક્ષય પામતું નથી, એટલે કે આ દિવસે કરવામાં આવેલ સારા કાર્ય, દાન અને પૂજા અક્ષય ફળ આપે છે એવું માનવામાં આવે છે. આ પાવન દિવસે લોકો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરે છે. માન્યતા મુજબ આ દિવસે સોનુ ખરીદવું ખૂબ શુભ ગણાય છે, કારણ કે તે સમૃદ્ધિ અને સુખ-શાંતિનું પ્રતિક છે. તેથી જ બજારોમાં સોનાની ખરીદી માટે ખાસ ભીડ જોવા મળે છે. અક્ષય તૃતીયા સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથાઓ છે. કહેવાય છે કે આ દિવસે પરશુરામનો જન્મ થયો હતો, જે ભગવાન…

અમદાવાદ ગ્રામ્યના વિદ્યાર્થીઓએ પીંછીના સ્પર્શે કંડાર્યું લોકશાહીનું મહાપર્વ: વહેતી કરી મતદાન જાગૃતિની સરવાણી

આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓમાં જન-જનની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન (SVAP) પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે તાજેતરમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ 620 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી મેકિંગ અને પોસ્ટર મેકિંગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીના આ ઉત્સવમાં કલા અને સર્જનાત્મકતાનો સમન્વય સાધીને વિદ્યાર્થીઓએ મતદાનનું મહત્વ સમજાવતા આકર્ષક કલાકૃતિઓ તૈયાર કરી હતી. આ પ્રવૃત્તિમાં જિલ્લાભરમાંથી અંદાજે 38,784 જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શૈક્ષણિક સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ‘મારો મત, મારો અધિકાર’ અને ‘લોકશાહીનું મહાપર્વ’ જેવી થીમ પર પોતાની કલ્પનાશક્તિ દ્વારા સુંદર ચિત્રો, રંગોળી અને પ્રેરણાદાયી પોસ્ટરો બનાવ્યા હતા. આ કલાકૃતિઓને સ્થાનિક સ્તરે જાહેર સ્થળોએ પ્રદર્શિત કરવાનું આયોજન…

અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં EVM અને મતદાન પ્રક્રિયા અંગે અપાયું માર્ગદર્શન

આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે મતદાર જાગૃતિ અભિયાન (SVAP) હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ૬૨૦ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ‘ઈલેક્ટોરલ લીટરસી ક્લબ’ (ELC) દ્વારા એક વિશેષ ટેકનિકલ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ટેકનોલોજીના વર્તમાન સમયમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અંગે લોકોના મનમાં રહેલી શંકાઓ દૂર કરવાનો અને મતદાન પ્રક્રિયા પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ વધારવાનો હતો. આ અભિયાન અંતર્ગત અંદાજે 35,090 જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફ મિત્રોએ સહભાગી થઈને EVM ની કાર્યપદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક સમજ મેળવી હતી. શાળાઓમાં પ્રાયોગિક નિદર્શન દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે કઈ રીતે ટેકનોલોજીના ઉપયોગથી મતદાન પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને ઝડપી બની છે. વિદ્યાર્થીઓએ આ ટેકનિકલ…

અમદાવાદની શાળાઓમાં મતાધિકારનો સંદેશ, વિદ્યાર્થીઓ બન્યા લોકશાહીના પ્રહરી

આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 100% મતદાન સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી અમદાવાદની શાળાઓમાં ‘સ્વેપ’ (SVAP) અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કડીમાં વસ્ત્રાપુર સ્થિત સ્કૂમ વિદ્યાલય ખાતે ધોરણ 11ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય સુશ્રી અમી દેસાઈના પ્રેરક માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવિ પેઢીના માધ્યમથી સમાજમાં મતાધિકાર પ્રત્યે સભાનતા કેળવવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ચિત્રકલા અને નિબંધ લેખન દ્વારા લોકશાહીના પર્વની મહત્તા સમજાવી હતી અને ‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’ના મંત્રને ગુંજતો કર્યો હતો. લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવાના સંકલ્પ સાથે શાળાના તમામ સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓએ સામૂહિક મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા.…

ગુજરાત પોલીસનો સપાટો: નાર્કોટિક્સનાં ગુન્હામાં સંડોવાયેલા વધુ પાંચ રીઢા આરોપીઓની NDPS હેઠળ અટકાયત

ગુજરાત પોલીસે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી તેજ બનાવી છે. પોલીસ દ્વારા Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988 (PIT NDPS Act) હેઠળ વધુ પાંચ આરોપીઓને અટકાયત કરી રાજ્યની વિવિધ જેલોમાં મોકલી આપ્યા છે. આ અટકાયતના આદેશો ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP-CID Crime) ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) અને CID ક્રાઈમની ટીમોએ કરી છે અને રાજકોટ શહેર, અરવલ્લી, બનાસકાંઠા, નવસારી અને જુનાગઢ જિલ્લાનાં આ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. અટકાયત કરાયેલા વ્યક્તિઓમાં ભિલોડા તાલુકાના વાંકાટીંબા ગામના બાબુભાઈ નીનામા (49), પાલનપુર (બનાસકાંઠા)ના ઈશ્વર ઉર્ફે હેંડલ સલાટ (28), વાંસદા (નવસારી)ના મનોજગીરી ગોસ્વામી (45), જુનાગઢના વહીદ પંજા (50) અને રાજકોટના ઇમરાન…

અમદાવાદની શાળાઓમાં મતાધિકારનો સંદેશ, વિદ્યાર્થીઓ બન્યા લોકશાહીના પ્રહરી

આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 100% મતદાન સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી અમદાવાદની શાળાઓમાં ‘સ્વેપ’ (SVAP) અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કડીમાં વસ્ત્રાપુર સ્થિત સ્કૂમ વિદ્યાલય ખાતે ધોરણ 11ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અમી દેસાઈના પ્રેરક માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવિ પેઢીના માધ્યમથી સમાજમાં મતાધિકાર પ્રત્યે સભાનતા કેળવવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ચિત્રકલા અને નિબંધ લેખન દ્વારા લોકશાહીના પર્વની મહત્તા સમજાવી હતી અને ‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’ના મંત્રને ગુંજતો કર્યો હતો. લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવાના સંકલ્પ સાથે શાળાના તમામ સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓએ સામૂહિક મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા. આ…

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, ચૂંટણી જંગ તેજ

ગુજરાતમાં એપ્રિલ-2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ પહેલાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ચૂંટણી માટે કોંગ્રેસે પોતાનું સંગઠન મજબૂત કરવા અને પ્રચાર અભિયાન તેજ કરવા માટે 40 સ્ટાર પ્રચારકોની સત્તાવાર યાદી જાહેર કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર કરાયેલી આ યાદી રાજ્ય ચૂંટણી પંચને પણ સોંપવામાં આવી છે. પક્ષના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ યાદી રજૂ કરી હોવાનું જાણવા મળે છે. આ પ્રચારકો રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં જઈને કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચારની જવાબદારી સંભાળશે. આ યાદીમાં રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરના અનુભવી નેતાઓ સાથે યુવા ચહેરાઓનું મિશ્રણ જોવા મળે છે. મુખ્ય નામોમાં મુકુલ વાસનિક, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોરનો સમાવેશ થાય છે. સાંસદ અને ધારાસભ્યોમાંથી ગેનીબેન ઠાકોર, જીજ્ઞેશ મેવાણી, શૈલેષ…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપની કડક કાર્યવાહી: વડોદરા અને નવસારીમાં કુલ 21 નેતા સસ્પેન્ડ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપે પક્ષવિરોધી પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવીને વડોદરા અને નવસારી જિલ્લામાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. પક્ષની સત્તાવાર લાઇનના વિરુદ્ધ જઈને અન્ય પક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર અથવા અપક્ષ તરીકે ચૂંટણી લડનાર નેતાઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં ભાજપે કુલ 11 નેતાઓને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, કેટલાક કાર્યકર્તાઓએ પાર્ટીના નિર્ણયોને અવગણીને કોંગ્રેસ અથવા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી, જેને ગંભીર શિસ્તભંગ ગણાવીને તાત્કાલિક અસરથી સસ્પેન્શન કરવામાં આવ્યું છે. પાદરા મંડળમાંથી નરસિંહ દાનભાઈ પટેલનું નામ ખાસ નોંધપાત્ર છે. આ ઉપરાંત કરજણ, ડભોઈ, વડોદરા શહેર, સાવલી, પાદરા અને વાઘોડિયા વિસ્તારોમાં પણ ભાજપે શિસ્તનિષ્ઠ પગલાં લીધા છે. આ કાર્યવાહીથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.…