અમદાવાદમાં ઓટોરિક્ષા ભાડામાં વધારો: મિનિમમ ભાડું ₹25, પ્રતિ કિમી ₹20; મુસાફરોમાં નારાજગી

અમદાવાદમાં વધતા CNGના ભાવ વચ્ચે ઓટોરિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ભાડામાં સુધારાની માંગ કરી રહેલા રિક્ષા ચાલકોને રાહત આપતા ટ્રાન્સપોર્ટ વિભાગે નવા ભાડા દરોને મંજૂરી આપી છે. નવા નિર્ણય અનુસાર હવે ઓટોરિક્ષાનું લઘુત્તમ (મિનિમમ) ભાડું ₹20માંથી વધારીને ₹25 કરવામાં આવ્યું છે, જ્યારે પ્રતિ કિલોમીટર ભાડું ₹15માંથી વધારીને ₹20 કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં બેઠક બાદ લેવાયો નિર્ણય અમદાવાદ રિક્ષા ચાલક એસોસિયેશન અને ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરી વચ્ચે Gandhinagar ખાતે યોજાયેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. રિક્ષા ચાલકો દ્વારા સતત રજૂઆત કરવામાં આવી રહી હતી કે વધતા ઇંધણ ખર્ચને કારણે વર્તમાન ભાડા દરો પર વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે. નવી વ્યવસ્થા હેઠળ રિક્ષા ચાલકોને વધારેલા દર મુજબ ભાડું વસૂલવાની મંજૂરી આપવામાં આવી છે.…

ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ : પત્ની સહિત 9 આરોપીઓ દોષિત, જાણો સમગ્ર મામલો

નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગના કર્મચારીઓ પર હુમલો, ધમકી અને ખંડણી માંગવાના વર્ષ 2023ના ચર્ચિત કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી છે. કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની કેદની સજા સંભળાવી છે, જેના કારણે તેમનું ધારાસભ્ય પદ પણ જોખમમાં મુકાયું છે. શું હતો સમગ્ર મામલો? નવેમ્બર 2023માં નોંધાયેલી પોલીસ ફરિયાદ અનુસાર, દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની સરકારી જમીન પર થયેલા ગેરકાયદે વાવેતરને વન કર્મચારીઓએ દૂર કર્યું હતું. આ બાબતનો રોષ રાખીને ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આરોપ મુજબ, બેઠક દરમિયાન કર્મચારીઓ સાથે મારામારી કરવામાં આવી હતી, તેમને સરકારી ફરજ બજાવતા અટકાવવામાં આવ્યા હતા અને બંદૂક…

ભાજપના ‘વ્યૂહરચનાકાર’ની વિદાય: જ્યોર્જ કુરિયનના રાજીનામા પાછળનું અસલી કારણ શું?

ભાજપના રાજકારણમાં મોટો વળાંક: વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયનનું કેન્દ્રીય મંત્રીપદેથી રાજીનામું, સંગઠનમાં ગરમાવો નવી દિલ્હી: ભારતીય રાજનીતિમાં આજે એક મોટી ઘટના સામે આવી છે. કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવતા ભાજપના વરિષ્ઠ અને પ્રભાવશાળી નેતા જ્યોર્જ કુરિયને પોતાના કેન્દ્રીય મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના આ પગલાથી રાજકીય ગલીઓમાં તર્ક-વિતર્કનો દોર શરૂ થઈ ગયો છે. તેમના રાજીનામાને ભાજપના આંતરિક સમીકરણો અને આગામી ચૂંટણીના રણનીતિના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે. શું છે રાજીનામાનું મૂળ કારણ? જ્યોર્જ કુરિયનનું રાજીનામું મુખ્યત્વે રાજ્યસભાની બેઠકો માટે ઉમેદવારોની પસંદગી સાથે જોડાયેલું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, તેમનો વર્તમાન રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા આગામી સમય માટે તેમને ફરીથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો…

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ

ગુજરાતમાં હજુ સત્તાવાર રીતે ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે, પરંતુ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોર પકડી રહી છે. ટ્રફ સિસ્ટમ સક્રિય થતાં આગામી છ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ, તેજ પવન અને વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 22 જૂન માટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. 23 જૂને સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ IMDની આગાહી મુજબ 23 જૂને અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ…

અમદાવાદના રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, વિસ્તારમાં ચકચાર

અમદાવાદના સૌથી વ્યસ્ત અને ભીડભાડવાળા વિસ્તારોમાંના એક રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. જાહેર રસ્તા પર અજાણ્યા હુમલાખોરે ધારદાર હથિયાર વડે હુમલો કરીને એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ભય અને અશાંતિનો માહોલ સર્જાયો છે. ભીડભાડ વચ્ચે જીવલેણ હુમલો મળતી માહિતી મુજબ, કાલુપુર અને લાલદરવાજાને જોડતા વ્યસ્ત રિલીફ રોડ પર એક યુવક પર અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો ઘાતક હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાથી લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો ઘટનાની જાણ થતાં જ કારંજ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ…

AMC વર્લ્ડ બેંકની ₹2700 કરોડની લોન માટે મિલકતો ગિરવી મૂકશે? મોનિટાઇઝેશન સેલ સક્રિય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિલકતોના મૂલ્યાંકન (Valuation) માટે ખાનગી એજન્સીને ₹3.37 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો; ભૂતકાળમાં હુડકોની લોન માટે સ્ટેડિયમ ગિરવી મુકાયું હતું પંકજ મકવાણા, અમદાવાદ: અમદાવાદ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયાની સુવિધાઓના વિકાસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) વર્લ્ડ બેંક પાસેથી આશરે ₹2700 કરોડની જંગી લોન લેવા જઈ રહ્યું છે. આ લોનની ગેરંટી પેટે મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની સ્થાવર અને જંગમ મિલકતો ગિરવી મૂકે તેવી પ્રબળ શક્યતાઓ મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે કોર્પોરેશને પોતાની તમામ મિલકતોનું પ્રવર્તમાન બજાર મૂલ્ય (Valuation) નક્કી કરવા અને તેમાંથી બિન-પરંપરાગત આવક ઊભી કરવા માટે એક ખાનગી એજન્સીની નિમણૂક કરી છે. એસેટ મોનિટાઇઝેશન સેલની રચના: ₹3.37 કરોડનો ખર્ચ વર્લ્ડ બેંકની લોનની શરતો અને ‘અમદાવાદ સિટી રેઝિલિયન્ટ પ્રોજેક્ટ’ની ભલામણોને પગલે AMC દ્વારા ખાસ…

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને હર્ષ સંઘવીએ પ્રહલાદનગર ગાર્ડન ખાતે કર્યો યોગાભ્યાસ

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને હર્ષ સંઘવીએ પ્રહલાદનગર ગાર્ડન ખાતે કર્યો યોગાભ્યાસ અમદાવાદ: સમગ્ર વિશ્વ આજે યોગના રંગે રંગાયું છે. આજે 21મી જૂનના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિન (International Yoga Day) ની વૈશ્વિક સ્તરે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ અવસરે ગુજરાતના અમદાવાદમાં પણ યોગ ઉત્સવનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ખાસ ઉપસ્થિત રહીને નાગરિકો સાથે યોગાભ્યાસ કર્યો હતો. પ્રહલાદનગર ગાર્ડન ખાતે સામુહિક યોગાભ્યાસ: મંત્રીઓ અને નાગરિકો એકસાથે જોડાયા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની સાથે રાજ્યના ગૃહ…

*૧૨મો આંતરાષ્ટ્રીય યોગ દિવસ – અમદાવાદ શહેર

શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રિવરફ્રન્ટ પર યોગ દિવસની ઉજવણી *** *અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત યોગ દિવસ ઉજવણીમાં અમદાવાદીઓ ઉત્સાહભેર સામેલ થયા* *** *ભાગદોડવાળી જિંદગીમાં રોગોથી બચવા, માનસિક એકાગ્રતા કેળવવા અને શરીરને સુદ્રઢ રાખવા માટે નિયમિત યોગ અનિવાર્ય :-શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા* *** અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘Yoga for Healthy Aging’ – એટલે કે ‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ’ ની થીમ પર ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, લોકસભા સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ તથા પદાધિકારીઓ, અમદાવાદના ધારાસભ્યશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાયેલા…

જગન્નાથ રથયાત્રા ૧૪૯: અમદાવાદ ફરી ભક્તિના રંગે રંગાશે, તૈયારીઓ પૂરજોશમાં!

ભક્તિ અને શ્રદ્ધાનો મહાસાગર: અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રા માટે જમાલપુરનું જગન્નાથ મંદિર સજ્જ! અમદાવાદ: અષાઢી બીજનો દિવસ એટલે આખા દેશમાં ભગવાન જગન્નાથના ભક્તો માટે ઉત્સવનો દિવસ. જ્યારે પુરીના દરિયાકિનારે ભક્તોનો મેળાવડો જામતો હોય, ત્યારે ગુજરાતના અમદાવાદમાં પણ જમાલપુર સ્થિત પ્રાચીન જગન્નાથ મંદિર ખાતે ભક્તિનો અનોખો માહોલ રચાય છે. આ વર્ષે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની ૧૪૯મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, જેને લઈને તૈયારીઓ હવે તેના અંતિમ તબક્કે છે. અમદાવાદની આ રથયાત્રા માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ તે શહેરની સાંસ્કૃતિક ઓળખ અને સર્વધર્મ સમભાવનું પ્રતીક છે. ભગવાન જગન્નાથની નગરચર્યા: પરંપરા અને શ્રદ્ધાનો અદભૂત સમન્વય જગન્નાથ મંદિરના પરિસરમાં અત્યારે ભક્તિમય વાતાવરણ છે. ભગવાનના રથો—નંદીઘોષ, તાલધ્વજ અને દર્પદલન—ને ખાસ આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત શણગાર સાથે તૈયાર કરવામાં આવી…

AMC ઉત્તર ઝોન: મ્યુનિ. પોલ ચણી લેવાયા બાદ વોર્ડ ઇન્સ્પેક્ટર વરૂણ રાવલને નાછૂટકે આપી શો-કોઝ નોટિસ!

– સાતેય ઝોનમાં ગેરકાયદે બાંધકામોની તપાસ થાય તો આખું એસ્ટેટ તંત્ર નોટિસને પાત્ર: ઉચ્ચ અધિકારીઓ કેમ મૌન? પંકજ મકવાણા – અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં એસ્ટેટ-TDO વિભાગ અને સ્થાનિક ભૂમાફિયાઓની મિલીભગતનો વધુ એક જીવતો-જાગતો પુરાવો સામે આવ્યો છે! સરદારનગર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામની આડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આખેઆખા સ્ટ્રીટ લાઈટ પોલને પણ દિવાલમાં ચણી લેવાના અજીબોગરીબ બાંધકામનો પર્દાફાશ થયો છે. ચારેકોરથી ઘેરાયેલા વહીવટી તંત્રએ આખરે આ મામલે નાછૂટકે કુબેરનગર વોર્ડના ટીડીઓ ઇન્સ્પેક્ટર વરૂણ રાવલને શો-કોઝ નોટિસ ફટકારીને સંતોષ માન્યો છે. ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી: પોલ પર જ આરસીસી ધાબું ભરી દીધું! ઉત્તર ઝોન એસ્ટેટ ખાતાના સત્તાવાર વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, કુબેરનગર વોર્ડ હેઠળ આવતી સરદારનગર ટાઉનશીપમાં ગુલશન પાર્ટી પ્લોટની બાજુમાં, માયા સિનેમાની સામે આ ગેરરીતિ આચરવામાં આવી છે. ઢાલુમલ…