અમેરિકાની ભારે ટેરિફ નીતિની ચીન પર વ્યાપક અસર નહીં? નિકાસમાં જોવા મળી મજબૂતી
અમેરિકા દ્વારા ચીન પર ભારે ટેરિફ લાદવામાં આવ્યા હોવા છતાં, ચીનના અર્થતંત્ર પર કોઈ ખાસ અસર પડી નથી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ, ચીનથી આવતા ઘણા ઉત્પાદનો પર 145 % સુધીની આયાત જકાત લાદવામાં આવી હતી, છતાં માર્ચ 2025 માં ચીનની નિકાસમાં વાર્ષિક ધોરણે 12.4 %નો તીવ્ર વધારો નોંધાયો હતો. ચીનના સરકારી ડેટા અનુસાર, જાન્યુઆરીથી માર્ચ સુધીના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિકાસમાં 5.8%નો વધારો થયો છે, જ્યારે આયાતમાં 7%નો ઘટાડો થયો છે. માર્ચ મહિનામાં જ ચીનની કુલ આયાતમાં 4.3%નો ઘટાડો થયો છે. અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ વધ્યો માર્ચ મહિનામાં ચીનનો અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ $27.6 બિલિયન હતો. ફક્ત માર્ચ મહિનામાં જ, ચીનની અમેરિકામાં નિકાસમાં 4.5%નો વધારો થયો હતો, અને સંપૂર્ણ ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) દરમિયાન ચીને અમેરિકા…
સિંગાપોરના પીએમ લોરેન્સ વોંગે ભારતીય સમુદાયની કરી પ્રશંસા, જાણો શું કહ્યું
સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગે દેશના વિકાસમાં ભારતીય સમુદાયના યોગદાનની હૃદયપૂર્વક પ્રશંસા કરી છે. વ્યવસાય, ઉદ્યોગ અને જાહેર જીવનના ઘણા ક્ષેત્રોમાં ભારતીયોની ભૂમિકાનો સ્વીકાર કરતા તેમણે કહ્યું, “તમે એક નાનો સમુદાય હોઈ શકો છો, પરંતુ તમારું યોગદાન અને પ્રભાવ નાનો ન હોઈ શકે.” વડાપ્રધાન લોરેન્સ વોંગે કહ્યું કે, “તમે સિંગાપોરની ભાવનાનું પ્રતિબિંબ છો. તમારી વાર્તા સિંગાપોરની વાર્તા છે,” પીએમ વોંગે કહ્યું. તેમણે ભારતીય સમુદાય સાથેના સંવાદ કાર્યક્રમ દરમિયાન આ વાત કહી, જ્યાં તેમણે ભારતીય મૂળના લોકો અંગે પીપલ્સ એક્શન પાર્ટી (PAP) ની ભાવિ વ્યૂહરચના પણ શેર કરી. આગામી ચૂંટણીઓમાં ભારતીય ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે પીએમ વોંગે જણાવ્યું હતું કે આગામી સામાન્ય ચૂંટણીઓમાં PAP દ્વારા ભારતીય સમુદાયના નવા ચહેરાઓને પણ ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે. જોકે, તેમણે હાલમાં કોઈ…
શેખ હસીનાએ મુહમ્મદ યુનુસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, જાણો શું કહ્યું
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને આવામી લીગના વડા શેખ હસીનાએ ફરી એકવાર નોબેલ પુરસ્કાર વિજેતા અને વચગાળાના સરકારના નેતા મુહમ્મદ યુનુસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે યુનુસને “સ્વાર્થી, આતમકેન્દ્રીત અને સત્તાના ભૂખ્યા” ગણાવ્યા અને તેમના પર દેશનો નાશ કરવા માટે વિદેશી દળો સાથે કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો. વર્ચ્યુઅલ સંબોધનમાં, શેખ હસીનાએ વિદ્યાર્થી નેતા અબુ સઈદની હત્યા પર શંકા વ્યક્ત કરી અને તેને સરકાર વિરોધી કાવતરાં સાથે જોડી દીધી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશની સ્વતંત્રતા સાથે જોડાયેલા પ્રતીકોને ભૂંસી નાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુનુસને સીધી ચેતવણી આપતા કહ્યું, “જો તમે આગ સાથે રમશો, તો તે તમને પણ બાળી નાખશે.” તેમણે કહ્યું કે સ્વતંત્રતા સેનાનીઓની યાદો ભૂંસાઈ રહી છે, જિલ્લાઓમાં બનેલા સ્વતંત્રતા સેનાની સંકુલને બાળી નાખવામાં આવી…
બિહારની ચૂંટણી પહેલા પશુપતિ પારસે ગઠબંધન અંગે કરી મોટી જાહેરાત, NDA ને મોટો ફટકો !
રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસે NDA સાથેનું ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીનો હવે NDA સાથે કોઈ સંબંધ રહેશે નહીં. પારસે નીતીશ સરકાર પર પ્રહારો કર્યા અને તેને દલિત વિરોધી ગણાવી. આ જાહેરાત પટનામાં RLJP દ્વારા આયોજિત બાપુ સભાગર કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી. પશુપતિ પારસે આજે (સોમવારે) એક મોટી જાહેરાત કરી અને જાહેરાત કરી કે હવેથી તેમનો NDA સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું, ‘આજથી અમે NDA સાથે નથી, NDA સાથે અમારો કોઈ સંબંધ નથી’. 2014માં NDAમાં જોડાયા ત્યારથી અમે તેમના વફાદાર સાથી રહ્યા છીએ. પરંતુ, અમારે જોવું પડ્યું કે જ્યારે લોકસભાની ચૂંટણીઓ થાય છે, ત્યારે અમારા પક્ષને અન્યાયનો સામનો કરવો…
હવે સરકારી વેબસાઇટ હિન્દી વેબ એડ્રેસમાં ખુલશે ! જાણો કેમ આવ્યો આ ફેરફાર
ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. ઘણી સરકારી વેબસાઇટ્સના વેબ એડ્રેસ હવે હિન્દીમાં ટાઇપ કરી શકાય છે, જેનો અર્થ એ છે કે અંગ્રેજી પરની નિર્ભરતા ટૂંક સમયમાં સમાપ્ત થશે. ઇન્ટરનેટને યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે, સરકારે ઘણી સરકારી વેબસાઇટ્સમાં હિન્દી વેબ એડ્રેસનો ઉપયોગ શરૂ કર્યો છે. આગામી થોડા વર્ષોમાં, ભારતીય ભાષાઓ, ખાસ કરીને હિન્દી, સાર્વત્રિક સ્વીકૃતિ મેળવશે. આવી સ્થિતિમાં, જેઓ અંગ્રેજી નથી જાણતા તેઓ પણ હિન્દીમાં ટાઇપ કરીને કોઈપણ વેબસાઇટ ખોલી શકશે. સરકારે યુનિવર્સલ એક્સેપ્ટન્સ ઇનિશિયેટિવ હેઠળ ઇન્ટરનેશનલાઇઝ્ડ ડોમેન નેમ્સ (IDNs) માં મોટો ફેરફાર કર્યો છે, જેના દ્વારા ભારતીય ભાષાઓમાં વેબ એડ્રેસ અને ઈ-મેલ આઈડી બનાવી શકાય છે. ઉદાહરણ તરીકે, ભારત સરકારના ગૃહ મંત્રાલયની વેબસાઇટનો URL હવે હિન્દીમાં પણ તૈયાર છે. ગૃહ…
રાષ્ટ્રપતિની મંજૂરીમાં વિલંબ મામલે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના આદેશને પડકારશે ! સમીક્ષા અરજી પર વિચારણા શરૂ
રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવા માટે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે સમય મર્યાદા નક્કી કરતા સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે કેન્દ્ર સરકાર સમીક્ષા અરજી દાખલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય પછી, સરકાર હવે સમીક્ષા અરજી દાખલ કરવાનું વિચારી રહી છે અને સમીક્ષા અરજી દાખલ કરવાની પ્રક્રિયા પર ચર્ચા થઈ રહી છે. સમીક્ષા અરજી પર ચર્ચા માટે દરખાસ્ત:- અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમીક્ષા અરજી દાખલ કરવા પર વિચારણા કરવામાં આવી રહી છે. જોકે આ સંદર્ભમાં હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. “હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ સમીક્ષા અરજી પર વિચારણા ચાલી રહી છે,” એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, અરજી દાખલ કરવાની સમયમર્યાદા હજુ નક્કી કરવામાં આવી…
IMD એલર્ટ: પૂર્વી અને દક્ષિણ ભારતમાં ભારે પવન અને કરા પડવાની ચેતવણી, ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ ચાલુ
ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી વચ્ચે, ઘણા રાજ્યોમાં હવામાન બદલાયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બિહાર, ઝારખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, સિક્કિમ, કેરળ અને આસામ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. જેનાથી લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે. તે જ સમયે, પૂર્વી ભારત અને દક્ષિણ પ્રદેશોમાં ભારે પવન અને કરા પડવાની ચેતવણી, રાજસ્થાનમાં ગરમીનું મોજું આવવાનો ભય ભારે પવન અને વીજળી સાથે વરસાદની ચેતવણી:- IMD ની આગાહી મુજબ, 14 એપ્રિલે મધ્ય ભારત અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં વાવાઝોડા, વીજળી અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. આ સાથે, આસામ અને મેઘાલયમાં 14 થી 16 એપ્રિલ દરમિયાન ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જ્યારે…
કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીને મળી શકે છે મહત્વનું પદ, પાર્ટીમાં આ ચર્ચાઓએ પકડયું જોર
કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ અને કેરળના વાયનાડથી સાંસદ પ્રિયંકા ગાંધીને એક મોટું પદ આપવાનું વિચારી રહી છે. સૂત્રોનું માનીએ તો, પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતે પાર્ટીના જિલ્લા પ્રમુખોને સશક્ત બનાવવા અને તેમને જવાબદારી સોંપવાના પાયલોટ પ્રોજેક્ટ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી. કોંગ્રેસ પાર્ટી આ પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાંથી શરૂ કરશે, જો તે સફળ થશે તો તેનો અમલ અન્ય રાજ્યોમાં પણ કરવામાં આવશે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રિયંકા ગાંધી વાડ્રાને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવા સહિતના ઘણા વિકલ્પો પર પાર્ટીમાં ચર્ચા થઈ રહી છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પ્રિયંકા ગાંધી વાડ્રા હાલમાં પાર્ટીના મહાસચિવ છે, પરંતુ તેમની પાસે હજુ સુધી કોઈ કાર્યભાર નથી. તે પડદા પાછળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે, જેનું ઉદાહરણ ગુજરાતમાં જિલ્લા પ્રમુખોને…
આંબેડકર જયંતિ પર વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું
આંબેડકર જયંતિ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને અનેક ગંભીર આરોપો લગાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ હંમેશા ડૉ. ભીમરાવ આંબેડકરનું અપમાન કરે છે અને તેમને સિસ્ટમથી દૂર રાખવાનું કાવતરું ઘડે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે આંબેડકરને બે વાર ચૂંટણીમાં હરાવીને તેમનું અપમાન કર્યું. ‘કોંગ્રેસે આંબેડકરને બહાર રાખ્યા, વોટ બેંકની રાજનીતિ કરી’:- પીએમ મોદીએ વધુમાં કહ્યું, “આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ કે કોંગ્રેસે આંબેડકર સાથે શું કર્યું. કોંગ્રેસે તેમનું જીવતા હતા ત્યારે અપમાન કર્યું હતું. તેઓ બે વાર ચૂંટણીમાં હારી ગયા હતા.” પીએમ મોદીએ કોંગ્રેસના વોટ બેંક રાજકારણ પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે તેઓ બાબાસાહેબના બંધારણનું સન્માન કરતા નથી. કોંગ્રેસે પોતાના સ્વાર્થ માટે બાબા સાહેબના બંધારણને બાજુ પર…
આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો, જણાવ્યું આ કારણ
ગુજરાતના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. 1 વર્ષ પહેલા એકટલે વર્ષ 2024માં ભાજપ સાથે જોડાયા બાદ હવે તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. આ સાથે તેમણે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, ભાજપમાં અહંકાર છે. કોઈનું સંભાળતા નથી. ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ મહેશ વસાવાએ ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, વિચારધારાના કારણે તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપમાં અહંકાર છે કોઈનું સાંભળતા નથી. આદિવાસી વિસ્તારો હજુ પણ વિકાસથી વંચિત છે. છોટુ વસાવા થયા હતા નારાજ છોટુભાઈ વસાવા તેમના પુત્રના ભાજપમાં જવાના નિર્ણયથી નારાજ થયા હતા. તેમણે જારી કરેલા એક વીડિયો નિવેદનમાં ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપે…
















