CAA વિરોધની જેમ જ થઈ રહ્યો છે વક્ફ કાયદાનો વિરોધ ! બંનેની પેટર્ન એક સરખી જ કેમ ?
વકફ સુધારા કાયદાના અમલ સાથે, દેશના ઘણા ભાગોમાં તેની વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. પશ્ચિમ બંગાળ આ વિરોધનું કેન્દ્ર બન્યું છે, જ્યાં મુર્શિદાબાદ અને દક્ષિણ 24 પરગણા જેવા જિલ્લાઓમાં પરિસ્થિતિ તંગ બની ગઈ છે. એવું માનવામાં આવે છે કે આ કાયદો વકફ મિલકતો પરના નિયંત્રણ અંગે ચોક્કસ સમુદાયમાં અસંતોષ પેદા કરી રહ્યો છે. ભાંગર વિસ્તારમાં વિરોધ પ્રદર્શનોએ હિંસક વળાંક લીધો. પ્રદર્શનકારીઓએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી. અગાઉ મુર્શિદાબાદમાં પણ આવી જ હિંસા જોવા મળી હતી, જેના કારણે રાજ્યમાં અશાંતિ ફેલાઈ હતી. CAA વિરોધ પ્રદર્શનો જેવી જ પેટર્ન ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે વક્ફ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનોની પેટર્ન મોટાભાગે વર્ષ 2019 માં નાગરિકતા સુધારા કાયદા (CAA) વિરુદ્ધના આંદોલનો સાથે…
Surat: પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ હેલ્મેટનો કાયદો રદ્દ કરવા CMને લખ્યો પત્ર, ઉઠવ્યા આ સવાલો
રાજ્યમાં એક તરફ ગરમીનો પારો દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. આ દરમિયાન બીજી તરફ હેલમેટનો કાયદો લોકો માટે માથાના દુખાવા સમાન હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈ હવે સુરતના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ લોકોના હેલમેટના પ્રશ્ને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને સિટી વિસ્તારમાંથી હેલ્મેટનો કાયદો રદ કરવા અપીલ કરી છે. પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, અગાઉ મેં હેલ્મેટ બાબતે આપને પત્ર રાખ્યો હતો જે આજે હેલ્મેટ પ્રજા ને સીટી વિસ્તાર માં આરોગ્યને માટે જોખમ રૂપ છે કારણ કે બપોરના સમયમાં 40-45 ડીગ્રીમાં શહેરના કોઇપણ ભાગમાં જવું હોય તો 300 થી 400 મીટરના સિગ્નલ પાસ કરવા પડે અને આ ગરમીમાં પ્રજા માટે જોખમ છે. કોઇપણ મગજ ના ડોકટરોનો અભિપ્રાય લો…
EDએ રોબર્ટ વાડ્રાને પાઠવ્યું સમન્સ, જાણો શું છે મામલો?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાને સમન્સ જારી કર્યા છે. તેઓ પૂછપરછ માટે ED ઓફિસ પણ પહોંચી ગયા છે. આ દરમિયાન વાડ્રાએ કહ્યું કે અમે કંઈપણ માટે તૈયાર છીએ. જ્યારે હું લઘુમતીઓ માટે બોલું છું, ત્યારે આપણને દબાવવામાં આવે છે. રાહુલને સંસદમાં દબાવી દેવામાં આવે છે. ગુરુગ્રામના શિકોપુર ગામમાં જમીન સોદાના સંદર્ભમાં વાડ્રાને આ સમન્સ જારી કરવામાં આવ્યું છે. સમગ્ર મામલાથી વાકેફ લોકોનું કહેવું છે કે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે આ કેસમાં વાડ્રાને પહેલી વાર બોલાવવામાં આવ્યા છે. હરિયાણા પોલીસે 2018 માં આ કેસમાં FIR નોંધી હતી. જાણો શું છે મામલો આ કેસ ફેબ્રુઆરી 2008 ના એક જમીન સોદા સાથે સંબંધિત છે, જે હેઠળ રોબર્ટ…
Surat: કાપોદ્રા પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, 17 વર્ષીય રત્નકલાકારની હત્યા બાદ મહિલાઓ બની રણચંડી
રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં વધૂ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતના કાપોદ્રામાં 17 વર્ષીય રત્ન કલાકારની હત્યા કરવામાં આવી છે. જેને લઈ મહિલાઓ રસ્તા પર ઉતરી છે અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં 17 વર્ષીય રત્નકલાકાર પાસે એક વ્યક્તિએ નશા માટે પૈસાની માગણી કરી હતી પરંતુ પૈસા આપવાનો ઈનકાર કરતા આરોપીએ ચપ્પુના ઘા મારી તરુણની હત્યા કરવામાં આવી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી જોવા મળી છે. જોકે પોલીસે ગણતરીનની મિનિટોમાંજ આરોપીની ધરપકડ કરી છે. મહિલાઓ બની રણચંડી હત્યાને લઈને મહિલાઓ રસ્તા પર ઉતરી છે. સુરતના કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું સર્જન થયું છે. ચાર બહેનોના એકના એક ભાઈની હત્યાને લઈને લોકોમાં…
અંક જ્યોતિષ/15 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવ આવી શકે છે. તમને સલાહ આપવા માં આવે છે કે ઉધાર આપતા પહેલા તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો નહીંતર ધન હાનિ થયી શકે છે. તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબી મદદની જરૂર…
Panchang : 15 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી દ્વિતિયા (બીજ) 10:58 AM નક્ષત્ર વિશાખા +03:10 AM કરણ : ગરજ 10:58 AM વાણિજ 10:58 AM પક્ષ કૃષ્ણ યોગ સિદ્ધિ 11:31 PM દિવસ મંગળવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:56 AM ચંદ્રોદય 09:02 PM ચંદ્ર રાશિ તુલા સૂર્યાસ્ત 06:46 PM ચંદ્રાસ્ત 06:52 AM ઋતું વસંત હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન…
સરકારની તિજોરી છલકાશે… RBI આપશે 2.5 લાખ કરોડ રૂપિયા ! જાણો કારણ
કેન્દ્ર સરકારને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી મોટી રકમ મળવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2025 માં, રિઝર્વ બેંક સરપ્લસ રકમ સરકારને ટ્રાન્સફર કરશે. તેની રકમ 2.5 લાખ કરોડ રૂપિયા કે તેથી વધુ હોઈ શકે છે. આ રકમ પાછલા નાણાકીય વર્ષમાં આપવામાં આવેલા ડિવિડન્ડ કરતાં વધુ હશે. આ રકમ નાણાકીય વર્ષ 2026 ના બજેટ અંદાજ કરતાં પણ વધુ હોઈ શકે છે. જો RBI આટલું દેવું સરકારને ટ્રાન્સફર કરે તો દેશની જરૂરિયાતો પૂરી કરવા માટે સરકારને વધુ લોન લેવાની જરૂર નહીં પડે. સરકારી દેવાના હિસાબ ફક્ત RBI પાસે જ રાખવામાં આવે છે. RBI મે મહિનાના અંતમાં સરકારને જણાવશે કે તે નાણાકીય વર્ષ 2025 માટે કેટલા સરપ્લસ પૈસા ટ્રાન્સફર કરશે. ગયા વર્ષે RBIએ 2.1 લાખ…
મલેશિયાના પૂર્વ PM અબ્દુલ્લા અહમદ બદાવીનું 85 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
મલેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું 85 વર્ષની વયે અવસાન થયું છે. અબ્દુલ્લા લાંબા સમયથી બીમાર હતા. કુઆલાલંપુરની એક હોસ્પિટલે તેમના મૃત્યુની માહિતી આપી છે. અબ્દુલ્લાને 25 એપ્રિલ, 2024 ના રોજ નેશનલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. અબ્દુલ્લા ન્યુમોથોરેક્સ નામની બીમારીથી પીડાતા હતા. મલેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન “પાક લાહ” તરીકે પણ જાણીતા હતા. અબ્દુલ્લાને રવિવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં કુઆલાલંપુરના સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં કાર્ડિયોલોજિસ્ટની ટીમ દ્વારા તેમનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ તમામ પ્રયાસો છતાં, તેમનું સોમવારે સાંજે 7:10 વાગ્યે અવસાન થયું. 22 વર્ષ સુધી વડાપ્રધાન તરીકે સેવા આપ્યા બાદ અનુભવી નેતા મહાથિર મોહમ્મદના રાજીનામા બાદ 2003માં અબ્દુલ્લા વડાપ્રધાન બન્યા હતા. અબ્દુલ્લા અહમદ બદાવીના પિતા મલેશિયાના…
















