અંક જ્યોતિષ/17 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

અમરેલી: પ્રબુદ્ધ નાગરિક દ્વારા પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે ગંભીર આક્ષેપો

અમરેલીના જાણીતા સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયા દ્વારા શહેરના પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી છે. તેઓએ દાવો કર્યો છે કે નારણ કાછડીયા હવે કોઈ પણ શાસકીય હોદ્દા પર નથી, તેમ છતાં પોતાની ફોર વ્હીલ ગાડી પર “સાંસદ” લખેલી નંબર પ્લેટ લગાવીને મોટર વિહિકલ એક્ટની અવગણના કરી રહ્યા છે. ગાડીમાં “સાંસદ”ની પ્લેટ લાગેલી હોવાનો આક્ષેપ નાથાલાલ સુખડિયા અનુસાર, નારણ કાછડીયા હાલમાં સાંસદ ન હોવા છતાં ગાડીમાં “સાંસદ” લખેલી પ્લેટ લગાવી સત્તાનો ભ્રમ ઉભો કરી રહ્યા છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે આવા કૃત્યથી સામાન્ય નાગરિકોમાં ગેરસંદેશ જાય છે અને તે કાયદાની સીધી ઉલ્લંઘના છે. અધિકારીઓને રજૂઆત માંગ : પ્લેટ દૂર કરી કાયદેસર કાર્યવાહી થાય સુખડિયાએ આ મામલે અમરેલી ટ્રાફિક વિભાગ અને…

બાંગ્લાદેશી નાગરિકની કરાઈ ધરપકડ, ગેરકાયદેસર પાસપોર્ટ બનાવવાનો આરોપ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે એક બાંગ્લાદેશી નાગરિક આઝાદ મલિક ઉર્ફે અહેમદ હુસૈન આઝાદને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. આરોપી પર આરોપ છે કે તેણે બાંગ્લાદેશના નાગરિકો માટે ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ અને આધાર કાર્ડ બનાવ્યા હતા, જેને કારણે દેશની આંતરિક સુરક્ષાને મોટો ખતરો ઉભો થયો છે. શું છે સમગ્ર મામલો? ED અનુસાર, આઝાદ મલિક પૈસાના બદલામાં બાંગ્લાદેશી નાગરિકોને ભારતના નાગરિક તરીકે ઓળખાવતાં દસ્તાવેજો, જેમ કે પાસપોર્ટ, આધાર કાર્ડ વગેરે બનાવવામાં સામેલ હતો. મલિક સામે આગળની કાર્યવાહી માટે મંગળવારે કોલકાતાની PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 13 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. દરોડા દરમિયાન મળેલા પુરાવા – EDએ પશ્ચિમ બંગાળના સાત સ્થળોએ દરોડા પાડી હતા જેમાંથી મલિકની ધરપકડ થઈ. – દરોડા દરમિયાન…

Ahemdabad: હિટ એન્ડ રનમાં કૃષિ વિભાગની મહિલા અધિકારીનું મોત

શહેરમાં ફરી એકવાર બેફામ અને જવાબદારી વિહોણી ડ્રાઈવિંગના કારણે નિર્દોષનું જીવ ગયું. અમદાવાદના સોલા બ્રિજ પર મંગળવારે સાંજે બનેલા હિટ એન્ડ રન અકસ્માતમાં કૃષિ વિભાગની ક્લાસ-2 મહિલા અધિકારી શગુફતા ખોખરનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું. અકસ્માત કેવી રીતે બન્યો? મળતી માહિતી અનુસાર, શગુફતા ખોખર ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સીમાં મદદનીશ નિયામક તરીકે કાર્યરત હતાં. ઓફિસની ફરજ પૂરી કરીને તેઓ એક્ટિવા સ્કૂટર પર ગાંધીનગર ખાતે તેમના ઘરે જઇ રહ્યા હતા. ત્યારે સોલા બ્રિજ પાસે અજાણ્યા કારચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી. ટક્કરની તીવ્રતા એટલી વધારે હતી કે તેઓ રોડ પર પટકાયા અને ગંભીર ઈજાઓના કારણે તુરંત તેમનું મૃત્યુ થયું. ચાલક ઘટના સ્થળ પરથી ફરાર અકસ્માત બાદ વાહનચાલક કાયદાને અવગણતો ફરાર થઇ ગયો. હાલ SG-1 ટ્રાફિક પોલીસે અજાણ્યા…

West Bengal: મુર્શિદાબાદ હિંસાની તપાસ નવ સભ્યોની SIT કરશે

મુર્શિદાબાદ જિલ્લામાં તાજેતરમાં ભડકેલી હિંસાને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હિંસાની ઘટનાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે 9 સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. આ SITનું નેતૃત્વ મુર્શિદાબાદ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) કરશે. શરૂઆતમાં હિંસા બાદ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું. એકાદ વખત ટોળાએ હિંસક દેખાવો કર્યા, વાહનોને આગ ચાંપી, દુકાનો અને ઘરોને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસ દ્વારા પણ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ઘટનાના વિસ્તારને કારણે મુદ્દો ગંભીર બની ગયો. રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હિંસા માટે જવાબદાર તત્વો સામે કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આવશે. SIT હિંસાની પૃષ્ઠભૂમિ, તેના જવાબદાર લોકો, અને શક્યતાપૂર્વક રાજકીય અથવા સામાજિક…

દિલ્હી: 600 શાળાઓ સામે ફી વધારાને લઇ મોટી કાર્યવાહી, હાઇકોર્ટે આપ્યો ઠપકો

દિલ્હી શહેરમાં હાલ શાળાઓમાં ફી વધારા અને વિવાદોને લઈને ભારે ઉથલપુથલ મચી ગઈ છે. 600થી વધુ ખાનગી શાળાઓમાં શિક્ષણ ખર્ચના વધારાને લઈને વર્તમાન સમયમાં લોકો, ખાસ કરીને બાળકોના વાલીઓ, ભારે ગુસ્સામાં છે. આ અંગે આજકાલ આમ આદમી પાર્ટી (AAP) પણ તેજીથી સરકાર પર દબાણ બનાવી રહી છે, ત્યારે દિલ્હીના ઊર્જા મંત્રી આશિષ સૂદે સરકારે આ મામલામાં કડક પગલાં ભરવાનું સ્પષ્ટ કર્યું છે. હાઈકોર્ટે ફી વધારાને લઈને સખત ઠપકો આપ્યો દિલ્હીની હાઈકોર્ટએ DPS (દિલ્હી પબ્લિક સ્કૂલ)ને તીવ્ર ઠપકો આપ્યો છે. કોર્ટએ શાળાની કાર્યપદ્ધતિને પારદર્શિતા અને જવાબદારીના મુદ્દે આક્ષેપ કર્યા છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે થયેલા અમાનવીય વર્તન પર ન્યાયાધીશ સચિન દત્તાએ જણાવ્યું હતું કે શાળાએ વિદ્યાર્થીઓ સાથે શરમજનક અને માનવ અધિકારોનું ઉલ્લંઘન કરતા વ્યવહારો કર્યા. આ સમયે,…

ગુજરાત માટે રાહુલ ગાંધીએ તૈયાર કર્યો માસ્ટર પ્લાન, ભાજપ માટે ઘડી આ રણનીતિ

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આ દરમિયાન ગુજરાતમાં ભાજપને ચેલેન્જ આપ્યા બાદ હવે ગુજરાત માટે તે રણનીતિ તૈયાર કરી રહ્યા છે. ત્યારે આજે વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુજરાતના મોડાસામાં જિલ્લા કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યા હતા. કોંગ્રેસ પક્ષ જ ભાજપ અને આરએસએસને હરાવી શકે છે. જિલ્લા કાર્યકર્તા સંમેલનને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, “આ ફક્ત રાજકીય લડાઈ નથી પણ વિચારધારાની લડાઈ પણ છે. દેશમાં ફક્ત બે જ વૈચારિક પક્ષો છે, એક ભાજપ અને બીજો કોંગ્રેસ. આખો દેશ જાણે છે કે ફક્ત કોંગ્રેસ પક્ષ જ ભાજપ અને આરએસએસને હરાવી શકે છે. જો આપણે દેશમાં ભાજપ અને આરએસએસને હરાવવા હોય, તો રસ્તો ગુજરાતમાંથી પસાર થાય છે.” રાહુલ ગાંધીએ કહ્યું ગુજરાત પ્રોજેક્ટ રાહુલ ગાંધીએ…

રાજ્ય સરકારના કર્મચારીઓ અંગે કેબીનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, મોંઘવારી ભથ્થામાં કર્યો આટલો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જાન્યુઆરી, 2025 થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મુખ્યમંત્રીના નેતૃત્વમાં લેવામાં આવેલા આ કર્મયોગી હિતકારી નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો વધારો કરવામાં આવેલ છે. આ સાથે જ આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025 થી 31 માર્ચ 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-2025ના…

ગુજરાતના પ્રવાસ દરમિયાન એસ જયશંકરે પાકિસ્તાન મામલે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે પાકિસ્તાન અંગે મોટું નિવેદન આપ્યું છે. જયશંકરે કહ્યું કે પાકિસ્તાન હજુ પણ ઘણી રીતે ખોટી પ્રવૃત્તિઓમાં સામેલ છે. મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચેના સંબંધો સારા નથી. વિદેશ મંત્રી એસ જયશંકરે આ નિવેદન ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, આણંદ ખાતે એક ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન આપ્યું હતું. એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાન પર કિંમતી સમય બગાડવાની કોઈ જરૂર નથી. વિદેશ મંત્રીએ બદલાતી દુનિયા: તકો અને પડકારો પર બોલતી વખતે મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરીને વિદેશ મંત્રી એસ જયશંકરની ટીકા કરી. તેમણે કહ્યું કે 2008 ના મુંબઈ આતંકવાદી હુમલા ભારત-પાકિસ્તાન સંબંધોમાં એક વળાંક સાબિત થયા કારણ કે લોકોની લાગણીઓ મજબૂત હતી. જયશંકરે કહ્યું કે…

હવે હાઈવે પર ટોલ બુથની જરૂર નહિ પડે? નવી નીતિ આવી રહી છે અમલમાં; શું કહ્યું ગડકરીએ…

કેન્દ્ર સરકાર દેશના ટોલ બૂથ અંગે મોટો ફેરફાર કરવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દેશના હાઇવે પર ટોલ ચૂકવવાની પદ્ધતિ બદલાવા જઈ રહી છે. કેન્દ્ર આગામી 15 દિવસમાં નવી ટોલ નીતિ રજૂ કરવા જઈ રહ્યું છે. એટલે કે આ નીતિ મે મહિનાથી લાગુ થઈ શકે છે. જોકે, ગડકરીએ હજુ સુધી તેના વિશે વધુ વિગતો આપી નથી. તેમણે સંકેત આપ્યો કે એકવાર નવી નીતિ લાગુ થઈ ગયા પછી, કોઈને પણ ટોલ અંગે ફરિયાદ કરવાની તક મળશે નહીં. આ નવી સિસ્ટમ સાથે, FASTag નું કામ પણ સમાપ્ત થઈ જશે. ગડકરીએ કહ્યું કે નવી સિસ્ટમમાં ટોલ બૂથની જરૂર રહેશે નહીં. તેના બદલે, સેટેલાઇટ ટ્રેકિંગ અને વાહન નંબર પ્લેટ ઓળખનો ઉપયોગ કરીને ટોલ ચૂકવણી આપમેળે બેંક…