Ahemdabad: હિટ એન્ડ રનમાં કૃષિ વિભાગની મહિલા અધિકારીનું મોત

શહેરમાં ફરી એકવાર બેફામ અને જવાબદારી વિહોણી ડ્રાઈવિંગના કારણે નિર્દોષનું જીવ ગયું. અમદાવાદના સોલા બ્રિજ પર મંગળવારે સાંજે બનેલા હિટ એન્ડ રન અકસ્માતમાં કૃષિ વિભાગની ક્લાસ-2 મહિલા અધિકારી શગુફતા ખોખરનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું.

અકસ્માત કેવી રીતે બન્યો?
મળતી માહિતી અનુસાર, શગુફતા ખોખર ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સીમાં મદદનીશ નિયામક તરીકે કાર્યરત હતાં. ઓફિસની ફરજ પૂરી કરીને તેઓ એક્ટિવા સ્કૂટર પર ગાંધીનગર ખાતે તેમના ઘરે જઇ રહ્યા હતા. ત્યારે સોલા બ્રિજ પાસે અજાણ્યા કારચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી. ટક્કરની તીવ્રતા એટલી વધારે હતી કે તેઓ રોડ પર પટકાયા અને ગંભીર ઈજાઓના કારણે તુરંત તેમનું મૃત્યુ થયું.

ચાલક ઘટના સ્થળ પરથી ફરાર
અકસ્માત બાદ વાહનચાલક કાયદાને અવગણતો ફરાર થઇ ગયો. હાલ SG-1 ટ્રાફિક પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નજીકના CCTV ફૂટેજની મદદથી પોલીસ આરોપીની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

શગુફતા ખોખર નમ્ર અને ફરજશીલ અધિકારી તરીકે ઓળખાતા હતાં. તેમના અવસાનથી કૃષિ વિભાગમાં ગમગીનીનું માહોલ છવાઈ ગયું છે. સહકર્મચારીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું કે તેઓ અત્યંત નમ્ર સ્વભાવ અને સમાજપ્રતિ જોડાયેલા કર્મઠ અધિકારી હતાં.

Related Posts

ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે…

ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.   લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *