અજય દેવગનઃ ‘તાનાજી’ થી ‘દે દે પ્યાર દે’ સુધી, આ છે અજય દેવગનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો

અજય દેવગનની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મો: અજય દેવગન તાજેતરમાં ફિલ્મ રેડ 2 માં જોવા મળ્યો હતો. લોકો સોશિયલ મીડિયા પર આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મ પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે, ચાલો તમને તેમની ટોચની 10 સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો વિશે જણાવીએ.   બોલિવૂડના શક્તિશાળી અભિનેતા અજય દેવગનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘રેડ 2’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. અજય દેવગન સાથે રિતેશ દેશમુખની જોડીએ ચાહકોના દિલ જીતી લીધા છે. ‘રેડ 2’ ઝડપથી 100 કરોડ રૂપિયાના ક્લબ તરફ આગળ વધી રહી છે. આજકાલ તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ પ્રસંગે, ચાલો અજય દેવગનની અત્યાર સુધીની 10 સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો…

જૂનાગઢમાં ગેસ પાઇપલાઇનનાં ખોદકામ દરમ્યાન બ્લાસ્ટ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ/ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. ઘટનાના પગલે અધિકારીઓ પદાધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે સવારના સમયે JCB દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ટોરેન્ટ ગેસની લાઈનમાં લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે અડધો કિલોમીટર દૂર સુધી તેનો અવાજ સાંભળવા મળ્યો હતો. જ્યારે ઝાંઝરડા ચોકડી પાસે રહેલી ખાણીપીણીની દુકાનોમાં કામ કરી રહેલા અને પસાર થઈ રહેલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ખાણી પીણીની દુકાન ચલાવી રહેલા શૈલેષભાઈ સોલંકી…

ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના આખા પરિવારનો થયો ખાતમો, જાણો શું કહ્યું આતંકીએ

પાકિસ્તાનના બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્ય ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. જેમાં મસૂદ અઝહરના સમગ્ર પરિવારના 10 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે, જેમાં તેની પત્ની, પુત્ર અને મોટી બહેનનો સમાવેશ થાય છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, આ હુમલામાં મસૂદની મોટી બહેન, સાળી અને ચાર નજીકના સાથીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. માર્યા ગયેલાઓમાં મૌલાના કાશિફ, તેમનો પરિવાર, મૌલાના અબ્દુલ રઉફની મોટી પુત્રી, પૌત્ર અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલામાં પોતાના પરિવારના વિનાશ બાદ મસૂદ અઝહર ખૂબ જ નારાજ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે કહ્યું, “જો હું પણ મરી ગયો હોત તો સારું થાત.” સૂત્રો કહે છે કે જ્યારે ભારતે આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી છે. હુમલો કર્યો ત્યારે આ બધા લોકો મરકઝ પરિસરમાં…

ઓપરેશન સિંદૂરની સમગ્ર વિગત આપનાર સોફિયા કુરેશીનું આ છે ગુજરાત કનેશન, જાણો વિગત

ભારતે પહેલગામમાં 15 દિવસ પહેલા થયેલા આતંકવાદી હુમલા સામે મોટી કાર્યવાહી કરી અને પાકિસ્તાન દ્વારા કબજામાં લેવાયેલા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ હુમલામાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. આજે ભારતીય સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી. કોન્ફરન્સમાં, કર્નલ સોફિયા કુરેશીએ પહેલગામ હુમલાના પીડિતોને ન્યાય અપાવવા માટે ઓપરેશન સિંદૂર દ્વારા નક્કર પગલાં લેવાની વાત કરી. લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સના અધિકારી છે, જેમણે 2006 માં કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા કામગીરીમાં પણ સેવા આપી છે. અહીં તેમણે યુદ્ધવિરામનું નિરીક્ષણ કર્યું અને માનવતાવાદી મિશનમાં મદદ કરી. ગુજરાતના વતની લેફ્ટનન્ટ કર્નલ કુરેશી પાસે બાયોકેમિસ્ટ્રીમાં અનુસ્નાતકની ડિગ્રી છે. કોણ છે કર્નલ સોફિયા કુરેશી? ગુજરાતની રહેવાસી સોફિયા કુરેશી ભારતીય સેનાના…

જાણો કેમ આપવામાં આવ્યું Operation Sindoor નામ, પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું સેનાએ ?

ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં નવ સ્થળોએ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. ભારતીય સેના, વાયુસેના અને વિદેશ મંત્રાલય સમગ્ર ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ બ્રીફિંગ આપી હતી. આ દરમિયાન પ્રેસ બ્રીફિંગમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને બે મહિલા અધિકારીઓ હાજર રહ્યા હતા. આમાં વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીનો સમાવેશ થાય છે. પ્રેસ બ્રીફિંગની શરૂઆતમાં, 2001 માં ભારત પર થયેલા સંસદ હુમલા, 2008 માં મુંબઈ આતંકવાદી હુમલો, ઉરી, પુલવામા અને પહેલગામ હુમલાને લગતી ક્લિપિંગ્સ બતાવવામાં આવી હતી. વિક્રમ મિશ્રીએ કહ્યું કે પહેલગામ પરનો હુમલો કાયરતાપૂર્ણ હતો. આ હુમલો જમ્મુ અને કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો. કોમી રમખાણો ભડકાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું…

મોટી મોટી ડંફાસ મારતું પાકિસ્તાન હવે બેકફૂટ પર ! કહ્યું- અમે કંઈ કરીશું નહીં

ભારતે પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સૈન્ય કાર્યવાહીમાં, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના મુખ્યાલય સહિત નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. ભારતીય સૈન્ય દળોના આ હુમલામાં 90 આતંકવાદીઓ માર્યા ગયા છે. પરમાણુ હુમલા અને જોરદાર બદલો લેવાની ધમકી આપતું પાકિસ્તાન હવે બેકફૂટ પર આવ્યું છે. ભારત દ્વારા કરવામાં આવેલા આ હુમલાને બંને દેશો વચ્ચે યુદ્ધની શરૂઆતના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું હતું. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે અમે અમારો બચાવ કરીશું. પાકિસ્તાની પ્રદેશ પર ભારતના હુમલા બાદ, એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં, પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને કહ્યું કે જો ભારત આગળ કાર્યવાહી નહીં કરે તો અમે પણ કંઈ કરીશું નહીં. આ પણ વાંચો: ભારતે આ 9 સ્થળો પર કરી…

Operation Sindoorને લઈ રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

ઓપરેશન સિંદૂર પછી, સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે અને દરેક વ્યક્તિ ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ સેનાની બહાદુરીની પ્રશંસા કરી અને કહ્યું કે અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું, ‘અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે. જય હિંદ! રાહુલ ગાંધી પહેલાં, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુને કહ્યું હતું કે, પાકિસ્તાન અનેPoKથી ઉદ્ભવતા તમામ પ્રકારના આતંકવાદ સામે ભારતની એક મજબૂત રાષ્ટ્રીય નીતિ છે. Proud of our Armed Forces. Jai Hind! — Rahul Gandhi (@RahulGandhi) May 7, 2025 તેમણે પોસ્ટમાં આગળ લખ્યું, અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે જેમણે પાકિસ્તાન અને Pokમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે. અમે…

ભારતે આ 9 સ્થળો પર કરી એર સ્ટ્રાઈક, ‘ઓપરેશન સિંદૂર’ માં આતંકીઓનો થયો સફાયો

આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા, ભારતે મંગળવારે રાત્રે 1.30 વાગ્યે 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. આ હુમલાને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. આ ત્રણેય સેનાઓનું સંયુક્ત ઓપરેશન હતું. ભારતના શક્તિશાળી દળોએ પાકિસ્તાનમાં 4 સ્થળો અને POKમાં 5 સ્થળોને નિશાન બનાવ્યા છે. ભારતીય ગુપ્તચર એજન્સી RAW એ બધા લક્ષ્યોને ઓળખી કાઢ્યા હતા, ત્યારબાદ લશ્કર અને જૈશના ઠેકાણાઓ પર સંપૂર્ણ આયોજન સાથે હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં કરવામાં આવી એરસ્ટ્રાઈક 1. બહાવલપુર – આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 100 કિમી દૂર આવેલું, તે જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક હતું, જેને ભારતીય દળો દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. 2. મુરિદકે – આ આતંકવાદી ઠેકાણું આંતરરાષ્ટ્રીય સરહદથી 30 કિમી દૂર આવેલું છે. લશ્કર-એ-તૈયબા કેમ્પ 26/11 ના મુંબઈ હુમલા સાથે જોડાયેલો…

OPERATION SINDOOR: આતંકવાદ પર ભારતની કાર્યવાહી અંગે 10 વાગ્યે મળશે વિગતવાર માહિતી

ભારત સરકાર દ્વારા આતંકવાદ વિરુદ્ધ ચલાવવામાં આવેલ “ઓપરેશન સિંદૂર”ને લઈને આજે સવારે 10 વાગ્યે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજાવાનાં ખાસ પ્રેસ બ્રીફિંગમાં આ ઓપરેશનની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવશે. પ્રાથમિક માહિતી મુજબ, આ ઓપરેશનના માધ્યમથી ભારતે આંતરરાષ્ટ્રીય સરહદની નજીક અને નિયંત્રણ રેખાની પાર રહેલા આતંકી ઠેકાણાઓને નિશાન બનાવીને મોટી કાર્યવાહી કરી છે. આ હુમલાનો ઉદ્દેશ દેશની આંતરિક સુરક્ષા અને નાગરિકોના જીવને સુરક્ષિત બનાવવાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આજની પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશનની કાળજીપૂર્વક યોજના, અસરગ્રસ્ત સ્થળો, લક્ષિત આતંકી સંગઠનો અને પરિણામોની વિગતો રજૂ થશે. “ઓપરેશન સિંદૂર”એ રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ કડિયા પૂરાં પાડ્યા હોવાનો દાવો સંરક્ષણ સૂત્રોએ કર્યો છે. આ બાબતે દેશભરમાં તર્કવિતર્ક ચાલુ છે અને સમગ્ર દૃષ્ટિ હવે સવારે 10 વાગ્યે…

OPERATION SINDOOR: ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાના નાયબ વડાપ્રધાન ઇશાક દારે મગરના આંસુ વહાવ્યા

ભારતની તાજેતરની કાર્યવાહી બાદ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક દાર એ ભારત પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખાને પાર કરીને નાગરિક વસ્તીને નિશાન બનાવી છે. ડારએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે “ભારતનું આ કૃત્ય યુદ્ધસમાન છે,” અને મુરિદકે, બહાવલપુર, તેમજ આઝાદ જમ્મુ-કાશ્મીરના કોટેલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારમાં થયેલા હુમલાઓમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નાગરિકોના મોત થયા છે. તેમણે ભારત પર સ્ટેન્ડઓફ હથિયારોથી પાકિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કર્યો. પાકિસ્તાને આ કાર્યવાહી યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના ધોરણોનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે. ઇશાક દાર એ જણાવ્યું કે “ભારતના આકસ્મિક અને અણધાર્યા હુમલાથી બંને પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષનો જોખમ વધી ગયો છે.” ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર…