અમિતાભ બચ્ચને તેમના પુત્રના જન્મદિવસ પર એક ખાસ નોંધ શેર કરી,જોઇ લો તમે પણ
ઇન્ડસ્ટ્રીના મોહક અભિનેતા અભિષેક બચ્ચન આજે, 5 ફેબ્રુઆરીએ પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે, જ્યારે ઉદ્યોગના તમામ સ્ટાર્સ અને ચાહકો તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, ત્યારે તેમના પિતા અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચને અભિષેકને એક ખાસ તસવીર સાથે શુભેચ્છા પાઠવી છે. તેણે સોશિયલ મીડિયા પર એક અદ્રશ્ય તસવીર શેર કરી છે જેના વિશે આજ સુધી બધા અજાણ હતા. આ અભિષેકના જન્મ સમયેનો ફોટો છે જ્યારે તે જન્મતાની સાથે જ ઇન્ક્યુબેટરમાં હતો. -> અમિતાભે પોતાના દીકરા અભિષેકની તસવીર શેર કરી :- નવજાત અભિષેક (૧૯૭૬) ની તસવીર શેર કરતા બિગ બીએ કહ્યું કે સમય ઝડપથી આગળ વધ્યો છે. અમિતાભે પોતાના બ્લોગમાં એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે જેમાં તે મેટરનિટી વોર્ડમાં નવજાત અભિષેકની…
દુષ્કર્મ કેસના આરોપીને જુનાગઢ કોર્ટે ફટકારી આજીવન કેદ, પીડિતાને 6 લાખ વળતર આપવાનો કર્યો આદેશ
દુષ્કર્મ કેસના આરોપીને જુનાગઢ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તેની સાથે 10 હજાર રૂપિયાનો રોકડ દંડ ફટકાર્યો હતો. જો આરોપી દંડની રકમ ભરપાઈ ન કરે, તો વધુ 6 મહિનાની સજાનો આદેશ કરીને ભોગ બનનાર સગીરાને 6 લાખ રુપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે. જુનાગઢ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ દ્વારા વર્ષ 2023માં જૂનાગઢની એક સગીરાને તેની પાડોશમાં જ રહેતા એક વ્યક્તિએ જાતીય દુષ્કર્મનો ભોગ બનાવીને તેને ગર્ભવતી બનાવી હતી. આ સમગ્ર મામલાની જાણ સગીરાએ તેના પરિવારને કહેતા અંતે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જે સમગ્ર મામલાની સુનવણી જુનાગઢ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ દ્વારા કરવામાં આવી હતી. 1 વર્ષ કરતા વધુ ચાલેલી દલીલો અને પુરાવાઓના આધારે જુનાગઢ કોર્ટે આરોપીને કેસમાં કસૂરવાર જાહેર કરતા તેને આજીવન કેદની…
યૂપી, પંજાબ અને ગુજરાતના 104 લોકો સાથે અમેરિકી લશ્કરી વિમાન અમૃતસરમાં ઉતર્યુ
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ૧૦૪ ભારતીયોને લઈને એક અમેરિકન લશ્કરી વિમાન બુધવારે શ્રીગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું. યુએસ લશ્કરી વિમાન C-17 પંજાબ અને પડોશી રાજ્યોના 104 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને આવી પહોંચ્યુ હતું. પરત મોકલવામાં આવેલા ૧૦૪ ભારતીયોમાં મોટાભાગના લોકો પંજાબ, હરિયાણા અને ગુજરાતના છે. આ યાદીમાં પંજાબના કુલ 30 લોકોનો સમાવેશ થાય છે. પંજાબના વિવિધ જિલ્લાઓની પોલીસ એરપોર્ટ પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત અમેરિકાથી દેશનિકાલ કરાયેલા લોકોમાં ઉત્તર પ્રદેશના લોકોનો પણ સમાવેશ થાય છે. -> ડીજીપીએ નિવેદન બહાર પાડ્યું :- પંજાબના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ગૌરવ યાદવે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સ્થળાંતર કરનારાઓનું સ્વાગત કરશે અને એરપોર્ટ પર કાઉન્ટર સ્થાપિત કરશે. પંજાબના NRI બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે મંગળવારે યુએસ સરકારના નિર્ણય પર નિરાશા વ્યક્ત…
નિવૃત્તિ પહેલા જ IPS અભય ચુડાસમાનાં રાજીનામાથી અનેક તર્કવિતર્ક
નિવૃત્તિ પહેલા જ ગુજરાત પોલીસના IPS અધિકારી અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે. અભયસિંહ ચુડાસમા 1999ની બેચના IPS અધિકારી છે. અભયસિંહ ચુડાસમાની ઓળખ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે થાય છે. ઉલ્લેખનીય છે કે IPS અધિકારી ઓક્ટોબર વયનિવૃતિ પહેલાં જ રાજીનામું આપી દીધું છે. IPS અભય ચુડાસમા આગામી ઓક્ટોબર માસમાં નિવૃત્ત થવાના છે ત્યારે વયનિવૃત્તિ પહેલાં જ તેમણે રાજીનામું આપી દીધું છે. આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમા પોલીસ બેડામાં હલચલ મચી ગઇ છે. ગુજરાત પોલીસના અનેક મહત્ત્વના કેસ સાથે જોડાયાલા હતા. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ હોય કે અન્ય મહત્ત્વના કેસ તેમણે ઉકેલવામાં મહત્ત્વની જવાબાદરી નિભાવી છે. -> રાજકારણમાં આવશે અધિકારી? :- એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપ્યું છે. ત્યારે શું બાહોશ અધિકારી રાજકારણમાં પ્રવેશ કરશે તેને લઈને અટકળો તેજ થઈ…
રાજ્યમાં ફરી ઠંડીનો રાઉન્ડ શરુ, હવામાન વિભાગે કહ્યું- આગામી 24 કલાકમાં વધશે ઠંડીનું જોર
રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો ગઈકાલથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હતું. જેના લીધે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. આવામાં માવઠું થાય તો કૃષિ પાકોને ભારે નુકસાન પહોંચી શકે છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટશે. જ્યારે જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે.અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હવામાનના પૂર્વાનુમાન વિશે તેમણે જણાવ્યું કે, અહીં લધુત્તમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેશે. તેમણે કહ્યું કે, અમદાવાદમાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.6 ડિગ્રી નોંધાયું છે. તેમણે જણાવ્યું કે, ઉત્તરના…
હાઈકોર્ટનો મોટો ચુકાદો, દ્વારકા ડિમોલિશન પર રોક માંગતી તમામ અરજી ફગાવી!
B INDIA દ્વારકા : બેટ દ્વારકા મેગા ડિમોલિશન પાર્ટ 2માં ગુજરત હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે આજે સુનાવણી કરતા વકફ બોર્ડ પાસે ધાર્મિક દબાણો પરના પૂરતા પુરાવા ન હોવાથી સ્ટે ઓર્ડર કોર્ટે હટાવ્યો છે.બેટ દ્વારકા ડિમોલિશન મામલે કોર્ટ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વકફ બોર્ડ દ્વારા ડિમોલિશન પર રોક માંગતી તમામ અરજી કોર્ટે ફગાવી છે. બેટ દ્વારકા વિસ્તારમાં ગૌચરની જમીન પર બાંધકામ કરવામાં આવેલ મસ્જિદો, મદરેસા અને દરગાહો ધારશાયી કરવાની પ્રક્રિયા પર રોક મૂકવાની માગ સાથે વકફ બોર્ડ દ્વારા અરજી કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજ દ્વારા દાખલ કરવામાં આવેલ ત્રણ અરજીઓ પણ અદાલતે ફગાવી છે. કોર્ટના ચુકાદા પર સ્ટે માંગતી અરજી પણ કોર્ટે ફગાવી છે. આ નિર્ણય પાછળ હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના…
જેતપુરમાં DYSP કચેરી બહાર યુવતીનો આત્મવિલોપનનો પ્રયાસ, પીડિત પરિવારે કરી ન્યાયની માંગ
B INDIA જેતપુર : જેતપુરમાં DYSP કચેરી બહાર એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસમાં દોડધામ મચી હતી. યુવતીએ કચેરીની બહાર ઝેરી દવા ગટગટાવતા આપઘાતના પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. યુવતીને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. પીડિતાના પરિવારે જેતપુર, વીરપુર, જૂનાગઢ પોલીસ ધક્કા ખડવતા હોવાનો આક્ષેપ કર્યો. પીડિતા અને તેના પરિવારજનોએ વીરપુર પોલીસના બદલે રૂરલ LCB અથવા જૂનાગઢ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરે તેવી માંગ કરી છે. યુવતીના પરિવારને શંકા છે કે, જૂનાગઢ પોલીસ આરોપી વલ્લભ જાદવને છાવરી રહી છે. અને એટલે જ ફરિયાદ નોંધવામાં ગલ્લાં તલ્લાં કરે છે. જેથી આરોપી સમય મળે ત્યારે ભાગી જઈ શકે.યુવતીના પરિવારજનોએ દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધી આરોપી સામે…
રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરવા ભાજપના સાંસદ નિશિકાંત દૂબેની માંગ
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મંગળવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે ‘વિશેષાધિકાર ભંગ’ના કેસમાં કાર્યવાહી શરૂ કરવા વિનંતી કરી હતી. તેમણે લખ્યું કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં માત્ર ઐતિહાસિક અને નક્કર તથ્યોને બેશરમીથી તોડી-મરોડી નાંખ્યા એટલું જ નહીં, પરંતુ આપણા દેશની મજાક ઉડાવવા અને આપણા ગણતંત્રની પ્રતિષ્ઠાને ઓછી કરવાનો પણ પ્રયાસ કર્યો. દુબેએ આરોપ લગાવ્યો કે વિપક્ષી નેતાએ તથ્યોને તોડી-મરોડીને રજૂ કર્યા છે. દુબેના પત્રમાં લખ્યું છે કે, “હું તમને વિનંતી કરું છું કે તેમની સામે તાત્કાલિક ધોરણે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી શરૂ કરો. હું એ પણ ભારપૂર્વક કહેવા માંગુ છું કે સંસદના રેકોર્ડ અને કાર્યવાહી તેમના સતત અસંસ્કારી/બેજવાબદાર વલણની સાક્ષી આપે છે.” હું તમને તે આપું છું. “ભાજપના સાંસદે કહ્યું કે…
મહાકુંભમાં નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના મોક્ષને લઇને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહી આ વાત
બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ તાજેતરમાં જ નિવેદન આપ્યું હતું કે મહાકુંભમાં ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોને મોક્ષ પ્રાપ્ત થયો છે. તેમના આ નિવેદને ઘણી બધી હેડલાઇન્સ બનાવી. હવે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આનો જવાબ આપ્યો છે. શંકરાચાર્યએ કહ્યું કે આ રીતે મુક્તિ પ્રાપ્ત થઈ શકતી નથી. તેમણે કહ્યું કે જ્યારે લોકો સંકલ્પ લે છે અને પોતાનો જીવ આપે છે, ત્યારે તેમને મુક્તિ મળે છે; સંકલ્પ વિના મૃત્યુ મુક્તિ તરફ દોરી શકતું નથી.શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, ‘અમે આ બાબતે પંડિતો સાથે વાત કરી. તેમણે પૂછ્યું, શું આ રીતે ભીડમાં કચડીને કોઈને મુક્તિ મળશે? તો પંડિતોએ અમને કહ્યું અને અમે પોતે પણ શાસ્ત્રોમાં જોયું છે કે જ્યાં સુધી આપણે સંકલ્પ ન કરીએ અને પદ્ધતિનું પાલન ન કરીએ ત્યાં સુધી તે પ્રાપ્ત…
















