આવતી કાલે વડાપ્રધાન મોદી પ્રયાગરાજ જશે, મહાકુંભમાં લગાવશે આસ્થાની ડૂબકી

પ્રયાગરાજ ખાતે મહાકુંભનો મેળો યોજાયો છે. ત્યારે પ્રયાગરાજ ખાતે આસ્થાનું ઘોડાપુર ઉમટ્યુ છે. સૌ કોઇ સંગમ તટે પવિત્ર સ્નાનનો લ્હાવો લઇ રહ્યા છે. રાજકારણીઓ, અભિનેતાઓ તથા વિશ્વના નામાંકિત લોકો પણ મહાકુંભની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ પ્રયાગરાજ જશે. તેઓ 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં સંગમ તટે આસ્થાની ડૂબકી લગાવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાતે આવશે. આ સમય દરમિયાન, પ્રધાનમંત્રી મોદી સંગમમાં પવિત્ર સ્નાન કરશે. વડાપ્રધાન મોદી 5 ફેબ્રુઆરીએ સવારે લગભગ 10 વાગ્યે પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે. તેઓ પ્રયાગરાજ એરપોર્ટથી DPS હેલિપેડ પહોંચશે.

જ્યાંથી તેઓ 10.45 વાગ્યે અરિયલ ઘાટ જશે. તેઓ અરિયલ ઘાટ પર બોટ દ્વારા મહાકુંભ પહોંચશે. વડાપ્રધાન મોદી સવારે 11 વાગ્યે પ્રયાગરાજના સંગમમાં પવિત્ર સ્નાન કરશે. મહાકુંભ મેળામાં સવારે 11 થી 11.30 વાગ્યાનો સમય વડાપ્રધાન માટે અનામત રાખવામાં આવ્યો છે. પવિત્ર સ્નાન પછી, પીએમ મોદી 11.45 વાગ્યે બોટ દ્વારા અરિયલ ઘાટ પરત ફરશે. અહીંથી તેઓ DPS હેલિપેડ થઈને પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે. પીએમ મોદી બપોરે 12.30 વાગ્યે વાયુસેનાના વિમાન દ્વારા પ્રયાગરાજથી પરત ફરશે.

-> સીએમ યોગી જશે પ્રયાગરાજ :- મહત્વનું છે કે સીએમ યોગી આજે પ્રયાગરાજ જશે. સીએમ યોગી આજે અક્ષય વડ અને સંગમ ઘાટ જશે. તેઓ ત્રિવેણી સંગમ પર જશે. મહત્વનું છે કે આવતીકાલે પીએમ મોદી પ્રયાગરાજ આવવાના છે ત્યારે આજે તેઓ પ્રયાગરાજ જશે. હનુમાન મંદિરમાં પૂજા પણ કરશે.

Related Posts

🚨 “ટૂર રદ કરવી પડી ભારે! ટ્રાવેલ કંપનીને ₹78,000 ચૂકવવાનો આદેશ”

ગ્રાહકને રદ થયેલી ટૂર બદલ ₹78,000 ચૂકવવાનો ટ્રાવેલ કંપનીને આદેશ – ગુજરાત ગ્રાહક પંચનો મહત્વપૂર્ણ નિર્ણય       ગુજરાત ગ્રાહક વિવાદ નિવારણ પંચે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં ટ્રાવેલ કંપનીને…

🚨 અમદાવાદમાં આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ!

અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી – નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનતાં હવામાન વિભાગે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *