ઉત્તરાયણ પહેલા અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો
ગુજરાતમાં હાલ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ પવનની ગતિ અને ઉત્તર પર્વતીય વિસ્તારોમાંથી આવતાં ઠંડા પવનના કારણે હાલ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ન્યુક્લિયર એનર્જીના પ્રયોગો, માનવસર્જિત કારણો તેમજ કુદરતી ફેરફારોના કારણે પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) પર અસર પડી રહી છે. એટલાન્ટિક મહાસાગરથી લઈને સહરાના રણ અને આરબ દેશો સુધીના વાતાવરણમાં થતા ફેરફારોની અસર ભારત સુધી જોવા મળી રહી છે. તેમના અનુમાન મુજબ 18 જાન્યુઆરી આસપાસ એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. જેના પરિણામે ગુજરાતમાં 18 થી 23 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન લઘુતમ તાપમાનમાં થોડો વધારો થવાથી…
રાજસ્થાન: આગામી દિવસોમાં હવામાનમાં ફેરફારની સંભાવના, નવા પશ્ચિમી વિક્ષેપ સક્રિય
નવી હવામાન પ્રણાલીના પ્રભાવને લીધે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જયપુર હવામાન કેન્દ્ર મુજબ, અરબના અખાતમાં બનેલ ડિપ્રેશન ધીમું પડી ગયેલું છે અને હવે તે ‘વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા’ (WMM)માં પરિવર્તિત થયું છે. પરિણામે, 1 અને 2 નવેમ્બરના રોજ ઉદયપુર અને કોટા વિભાગમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે, જ્યારે રાજ્યના મોટાભાગના અન્ય વિસ્તારોમાં હવામાન સુકું રહેશે. 3 નવેમ્બરથી એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની સંભાવના છે. આ કારણે 3 અને 4 નવેમ્બરના રોજ જોધપુર, ઉદયપુર, અજમેર, જયપુર, ભરતપુર અને કોટા વિભાગના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તાપમાનમાં ઘટાડો જોવા મળશે અને હવામાનમાં ઠંડી લાગવાની શક્યતા રહેશે. હવામાન વિભાગે ખેડૂતો અને સામાન્ય જનતાને આ સમયગાળા દરમિયાન…








