બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાને લઇ ભારતભરમાં પ્રદર્શન અને આક્રોશ

બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યાના કેસને લઈને ભારતમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. દેશભરમાં છેલ્લા કેટલાય દિવસોથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. દિલ્લીથી કોલકાતા સુધી, VHP, બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું. કેટલાક સ્થળોએ બાંગ્લાદેશી હાઈકમિશનના બહાર પ્રદર્શનકારીઓએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો અને મોહમ્મદ યુનુસના પुतળા પણ ફાડવામાં આવ્યા. દિલ્લીમાં સ્થિતિ સૌથી વધારે કટોકટીભરી બની હતી. હજારો પ્રદર્શનકારીઓ બેનર અને ભગવા ઝંડા સાથે હાઈકમિશનની નજીક પહોંચ્યા અને પોલીસ સાથે ધક્કા મુક્કી થઈ. હાઈકમિશનની સુરક્ષા માટે ત્રણ સ્તરની બેરિકેડ અને 15 હજાર પોલીસ તેમજ અર્ધસૈનિક દળ તૈનાત કરવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓને 800 મીટર દૂર જ રોકવામાં આવ્યું. DTC બસો પ્રદર્શનકારીઓએ અવરોધરૂપ બનાવી દીધી હતી, અને પોસ્ટરો પર “હિંદુ રક્તની એક-એક બૂંદનો…

ઓરંગજેબની કબર દુર કરવામાં નહીં આવે તો બાબરીની જેમ કાર સેવા કરીશું, VHP અને બજરંગદળની ચેતવણી

મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર હટાવવા અંગે મહારાષ્ટ્રમાં ચાલી રહેલો વિવાદ સમાપ્ત થવાનું નામ લેતો નથી. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળે ઔરંગઝેબની કબરના મુદ્દા પર રાજ્યમાં આંદોલનની જાહેરાત કરી. હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ ઔરંગઝેબના મકબરા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. VHP-બજરંગ દળે મહારાષ્ટ્ર સરકારને ધમકી આપતા કહ્યું કે જો ઔરંગઝેબની કબર દૂર કરવામાં વિલંબ થશે તો તેઓ બાબરી જેવી ‘કાર સેવા’ કરશે. હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ, ઔરંગઝેબના મકબરા પાસે રાજ્ય અનામત પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના મહારાષ્ટ્ર-ગોવા પ્રદેશના વડા ગોવિંદ શેંડેએ કહ્યું કે કેટલાક લોકો ઔરંગઝેબના વખાણ કરવામાં વ્યસ્ત છે. ઔરંગઝેબે દેશ પર ઘણા અત્યાચાર કર્યા. તેઓએ હિન્દુઓ પર અત્યાચાર ગુજાર્યા. તેના પિતા પર ત્રાસ ગુજાર્યો. આવા…