ગુજરાતમાં ઉતરાયણ પર્વને લઈને તૈયારી, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પશુ-પક્ષીની સેવામાં રહેશે હાજર

B INDIA અમદાવાદ :- ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પતંગરસીકોમાં પણ ભારે ઉત્સાહ છે. ત્યારે તહેવારને ધ્યાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તહેવારમાં પંખી અને પ્રાણીઓની ઇમરજન્સી કેસોમાં વધારો શક્ય છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા ઉપલ્બધ કરવામાં આવી છે. પંખી અને પ્રાણીઓની ઇમરજન્સી કેસોમાં વધારાનો સામનો કરવા માટે 1962 એમ્બ્યુલન્સ ખડેપગે રહેશે. છેલ્લા કેટલાંક વર્ષોના તથ્ય અને વિશ્લેષણના આધારે, 14 જાન્યુઆરી 2025ના રોજ અંદાજે 1,476 ઈમરજન્સી કેસ નોંધાવાની શક્યતા છે. -> અબોલ જીવ માટે તૈયાર કરી અનોખી એમબ્યુલન્સ :- મુખ્ય જિલ્લાઓ, જેમ કે અમદાવાદ, અરવલ્લી, બાનાસકાંઠા, ગાંધીનગર, મહિસાગર, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, અને સુરેન્દ્રનગરમાં વિશેષ વૃદ્ધિ થવાની અપેક્ષા છે.કરુણા અભિયાન અંતર્ગત, પ્રાણી…