ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢમાં દર્શનનાં સમયમાં ફેરફાર, મંદિરના ટ્રસ્ટે સમય પત્રક કર્યુ જાહેર

ચૈત્રી નવરાત્રીમાં માતાજીના અન્ય યાત્રાધામોની જેમ પાવાગઢમાં પણ ભક્તોની ભીડ ઉમટતી હોય છે. જેને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટે ખાસ સમય પત્રક બહાર પાડ્યું છે..જેથી ભક્તો આ સમય પત્રકને ધ્યાનમાં રાખે તો તેમને દર્શન માટે કોઇ અગવડતા નહીં પડે. અને ભક્તો સારી રીતે માતાજીનાં દર્શન કરી શકશે. પાવાગઢ મંદિરના સમય પત્રક અનુસાર, એકમ, આઠમ, નોમ અને પૂનમના દિવસે મંદિર સવારે 4 વાગ્યે ખુલશે, જ્યારે બાકીના દિવસોમાં મંદિર સવારે 5 વાગે ખુલશે. તમામ નવ દિવસોમાં મંદિર રાત્રે 8 વાગ્યે બંધ થશે.જેનું ભક્તોએ ખાસ ધ્યાનમાં રાખવું. ચૈત્રી નવરાત્રીનો ઈતિહાસ:- પૌરાણિક માન્યતાઓ અનુસાર પૃથ્વી પર મહિષાસુર નામના રાક્ષસનો આતંક ઘણો વધી ગયો હતો. મહિષાસુરને વરદાન હતું કે કોઈ દેવ કે દાનવ તેને હરાવી શકશે નહીં. મહિષાસુરનાં આતંકને કારણે સર્વત્ર અરાજકતા…

હેપ્પી પ્રોમિસ ડે 2025: પ્રોમિસ ડે પર તમારી ગર્લફ્રેન્ડને આ 10 વચનો આપો, પ્રેમ અને વિશ્વાસ જીવનભર રહેશે

આજે પ્રોમિસ ડે છે. દર વર્ષે ૧૧ ફેબ્રુઆરીના રોજ પ્રોમિસ ડે ઉજવવામાં આવે છે, જે વેલેન્ટાઇન વીકનો એક મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે લોકો તેમના મિત્રો, ભાગીદારો અથવા ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડને પ્રતિજ્ઞા અને વચનો આપે છે. તમે લાંબા ગાળાના સંબંધમાં હોવ કે મિત્રતામાં, પ્રોમિસ ડે તમને એકબીજાને વફાદાર રહેવા અને જીવનભર સાથે રહેવાનું વચન આપવાની તક આપે છે.જ્યારે તમે તમારા પ્રિયજનને દરેક પગલે તેની સાથે ઊભા રહેવાનું વચન આપો છો, ત્યારે તમારો સંબંધ વધુ મજબૂત બને છે. આવી સ્થિતિમાં, જો તમે હજુ સુધી પ્રોમિસ ડે પર તમારા જીવનસાથીને કોઈ વચન આપ્યું નથી, તો ચિંતા કરવાની કોઈ વાત નથી. અહીં અમે તમને પ્રોમિસ ડે માટેની શુભેચ્છાઓ, સંદેશાઓ અને વચનો જણાવી રહ્યા છીએ, જે તમે તમારા ખાસ લોકો સાથે શેર…

બાવળા તાલુકાનાં બગોદરા મંગલ મંદિર માનવસેવા પરિવાર આશ્રમમાં આર્યન ભગતે લીઘી મુલાકાત

B INDIA બાવળા :- આર્યન ભગતે બગોદરા નાં મંગલ મંદિર માનવ સેવા ખાતે મુલાકાત લીધી, બાવળા તાલુકાનાં બગોદરા માં આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર સંસ્થા ની આર્યન ભગતે મુલાકાત લીધી હતી. મંગલ મંદીર માનવ સેવા પરિવાર દ્વારા રસ્તે રજરતા દુઃખી નિરાધાર બિનવારસી અને અસ્થિર મગજના લોકો ની સેવા સાથે સારવાર કરવામા આવે છે. આર્યન ભગતે આ તમામ પ્રક્રિયા જોઇ હતી એક હજાર ત્રણસો ભાઈઓ અને બહેનો હાલ આ સંસ્થમાં સારવાર લઈ રહ્યા છે. સાથે  સંસ્થા નાં નવા બિલ્ડિંગ નું કામ કાજ ચાલુ છે તેની પણ મુલાકાત લીધી હતી. ત્યારે તમામ પ્રભુજી ( અસ્થિર મગજના) જલ્દી સાજા થઈ જાય તેવા આશીર્વાદ પણ આપ્યા હતા.   આર્યન ભગત લાખો લોકોની જનમેદની સાથે સત્સંગ કરે છે અને પોતાની…