IND vs NZ: જીત સાથે શ્રીગણેશ! વડોદરામાં ભારતે ન્યૂઝીલેન્ડને પહેલી વનડેમાં 4 વિકેટથી હરાવ્યું

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન સાથે શ્રેણીની શરૂઆત જીત સાથે કરી છે. વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી પરાજય આપ્યો અને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. ન્યૂઝીલેન્ડે મૂક્યો 301 રનનો પડકાર ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 300 રન બનાવ્યા. ઓપનર ડેવોન કોનવે (56) અને **હેનરી નિકોલ્સ (62)**એ પ્રથમ વિકેટ માટે 117 રનની મજબૂત ભાગીદારી કરી. ત્યારબાદ ડેરિલ મિશેલે 84 રનની શાનદાર ઇનિંગ રમીને કિવી ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી. ભારત તરફથી બોલિંગમાં હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ મહત્વપૂર્ણ વિકેટો મેળવીને ન્યૂઝીલેન્ડની ગતિ રોકી. વિરાટ કોહલીની ઝળહળતી 93 રનની ઇનિંગ 301 રનના લક્ષ્યાંકના પીછા માટે ઉતરેલી…

ભારત-ન્યુઝીલેન્ડ T20 શ્રેણી પહેલા મોટો ફટકો, તિલક વર્મા ત્રણ મેચમાંથી બહાર

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની T20 શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. તિલક વર્મા પાંચ મેચની શ્રેણીનો પ્રથમ ત્રણ મેચમાંથી બહાર થઈ ગયો છે. તિલકની તબિયત અને ફિટનેસ અપડેટ: તિલકને ગુરૂવારે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. તેમની તબિયત સારી છે અને તેઓ હૈદરાબાદ પરત ફરશે. લક્ષણો ઓછા થતા અને ઘા રૂઝાતા, તેઓ ધીમે ધીમે શારીરિક તાલીમ અને કૌશલ્ય પ્રેક્ટિસમાં પાછા ફરશે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ત્રણ T20 માટે તેઓ ઉપલબ્ધ નથી. અંતિમ બે T20 મેચ માટે ઉપલબ્ધતા પ્રગતિ પર આધારિત રહેશે. ઘાયલ થવાના કારણો: 23 વર્ષીય ડાબા હાથના બેટ્સમેન તિલક વર્મા રાજકોટમાં વિજય હજારે ટ્રોફીમાં હૈદરાબાદ તરફથી રમતા વખતે અચાનક ભારે દુખાવો અનુભવ્યો. તેમને તાત્કાલિક ગોકુલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ટેસ્ટિક્યુલર ટોર્સન હોવાનું જાણવા મળ્યું. ડોક્ટરોએ સર્જરીની…

IPL 2025: પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું, શ્રેયસ ઐયર અને ચહલ બન્યા વિજયના નાયક

IPL 2025ની 49મી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને 4 વિકેટથી હરાવી, પ્લેઓફની દોરથી બહાર ફેંકી દીધી. ચેન્નઈ માટે આ શારમજનક હાર સાબિત થઈ છે કારણ કે તે સતત બીજી વાર પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગઈ છે. ચેન્નઈની પહેલી બેટિંગ અને ચહલનો ચમત્કાર ચેપોક સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર CSKએ સેમ કરનના શાનદાર 88 રનના ઇનિંગ પર ભરોસો રાખીને 20 ઓવરમાં 190 રન બનાવ્યા. જોકે તેમની આ મજબૂત બેટિંગ લાઇન અપ યુઝવેન્દ્ર ચહલની લેજન્ડરી બોલિંગ સામે ટકી શકી નહીં. ચહલે એક જ ઓવરમાં હેટ્રિક કુલ 4 વિકેટ ઝડપી, જેના કારણે ચેન્નઈનો મિડલ ઓર્ડર અને ટેલ એન્ડ ધરાશાયી થઈ ગયો. પ્રભસિમરન અને ઐયરની ધમાકેદાર બેટિંગ 191 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત…

GT vs PBKS: કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું, કોણ છે ગુજરાત સામેની જીતનો અસલી હીરો

ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે 97 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી, જેના કારણે પંજાબની ટીમ 20 ઓવરમાં 243 રન બનાવવામાં સફળ રહી હતી. જે બાદ ગુજરાત ટાઇટન્સ ટીમ ટાર્ગેટનો પીછો કરતા 232 રન જ બનાવી શકી હતી અને પંજાબનો 11 રને વિજય થયો હતો. ભલે પંજાબ કિંગ્સની ટીમની જીતમાં ઐયરની સદીએ મહત્વની ભૂમિકા ભજવી અને તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો, પરંતુ ખુદ કેપ્ટનને લાગે છે કે તે જીતનો અસલી હીરો નથી. અય્યરે સ્વીકાર્યું કે ગુજરાતની ઇનિંગ્સની છેલ્લી કેટલીક ઓવરો દરમિયાન, વિજય કુમાર વૈશાખે, પ્રભાવશાળી ખેલાડી તરીકે, શાનદાર બોલિંગ કરી જેણે મેચ બદલી નાખી. અય્યરે છેલ્લી ઓવરોમાં શાનદાર બોલિંગ કરનારા વિજયકુમાર વૈશાખ અને અર્શદીપ સિંહના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. તેણે…