ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તણાવ: હાઈ કમિશનરને એક અઠવાડિયામાં બીજી વખત સમન
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી તણાવ વધતો જોવા મળી રહ્યો છે. મંગળવારે ભારતે બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાજ હમીદુલ્લાને સમન મોકલ્યું છે, આ એક અઠવાડિયામાં બીજી વખત છે. ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશી રાજદૂતને બોલાવીને પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે. સુરક્ષા પડકાર અને ખુલ્લા દાવા-આક્ષેપ: MEAના જણાવ્યા અનુસાર, ઢાકામાં ભારતીય મિશન આસપાસ કેટલાક કટ્ટરપંથી તત્વો સુરક્ષાના પડકાર ઊભા કરી રહ્યા છે. બાંગ્લાદેશે નવી દિલ્હીમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને સમન મોકલ્યું હતું અને સિલિગુડી વિઝા કેન્દ્રમાં તોડફોડ અંગે “ગંભીર ચિંતા” વ્યક્ત કરી હતી. શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ બાંગ્લાદેશમાં માહોલ તણાવભર્યો છે. પ્રદર્શનકારોએ બાંગ્લાદેશમાં આ હત્યાની પાછળ ભારતીય હસ્તક્ષેપનો દાવો કર્યો હતો, જ્યારે મેમનસિંહમાં હિન્દુ મજૂર દીપુ ચંદ્ર દાસને ભીડે માર માર્યા બાદ મોતને ઘેરી દીધું. આ ઘટનાથી…
બાંગ્લાદેશમાં વાયુસેનાના બેઝ પર મોટો હુમલો
બાંગ્લાદેશ એરફોર્સ બેઝ પર હુમલો: બાંગ્લાદેશ એરફોર્સ બેઝ પર થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. અજાણ્યા બદમાશોના જૂથે બેઝ પર હુમલો કર્યો. આ ઘટના બાદ, બાંગ્લાદેશ વાયુસેના પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને હુમલાખોરોને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, અત્યાર સુધી આ હુમલા પાછળના હેતુ અને હુમલાખોરોની ઓળખ અંગે કોઈ માહિતી બહાર આવી નથી. બાંગ્લાદેશ વાયુસેનાએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ હુમલો કોક્સ બજાર નગરપાલિકા હેઠળના સમિતિ પારામાં થયો હતો. આ હુમલાથી કોક્સ બજારમાં સુરક્ષા અંગે ચિંતાઓ વધી છે. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, આ હુમલા પાછળ સમિતી પારાના કેટલાક ગુનેગારોનો હાથ હોવાનું કહેવાય છે. તેમનો સામનો વાયુસેનાના કર્મચારીઓ સાથે થયો. જમીન વિવાદને લઈને વાયુસેનાના કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓ…








