ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તણાવ: હાઈ કમિશનરને એક અઠવાડિયામાં બીજી વખત સમન

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી તણાવ વધતો જોવા મળી રહ્યો છે. મંગળવારે ભારતે બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાજ હમીદુલ્લાને સમન મોકલ્યું છે, આ એક અઠવાડિયામાં બીજી વખત છે. ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશી રાજદૂતને બોલાવીને પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે.

સુરક્ષા પડકાર અને ખુલ્લા દાવા-આક્ષેપ:
MEAના જણાવ્યા અનુસાર, ઢાકામાં ભારતીય મિશન આસપાસ કેટલાક કટ્ટરપંથી તત્વો સુરક્ષાના પડકાર ઊભા કરી રહ્યા છે. બાંગ્લાદેશે નવી દિલ્હીમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને સમન મોકલ્યું હતું અને સિલિગુડી વિઝા કેન્દ્રમાં તોડફોડ અંગે “ગંભીર ચિંતા” વ્યક્ત કરી હતી.

શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ બાંગ્લાદેશમાં માહોલ તણાવભર્યો છે. પ્રદર્શનકારોએ બાંગ્લાદેશમાં આ હત્યાની પાછળ ભારતીય હસ્તક્ષેપનો દાવો કર્યો હતો, જ્યારે મેમનસિંહમાં હિન્દુ મજૂર દીપુ ચંદ્ર દાસને ભીડે માર માર્યા બાદ મોતને ઘેરી દીધું. આ ઘટનાથી ભારતમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તાજેતરમાં ફેલાવાયેલ ખોટા નેરેટિવને અત્યાર સુધી કોઈ કડક પુરાવા સાથે સમર્થન મળ્યું નથી. બંને દેશો વચ્ચે તણાવ સતત ઉંચા સ્તરે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

AMC વર્લ્ડ બેંકની ₹2700 કરોડની લોન માટે મિલકતો ગિરવી મૂકશે? મોનિટાઇઝેશન સેલ સક્રિય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિલકતોના મૂલ્યાંકન (Valuation) માટે ખાનગી એજન્સીને ₹3.37 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો; ભૂતકાળમાં હુડકોની લોન માટે સ્ટેડિયમ ગિરવી મુકાયું હતું પંકજ મકવાણા, અમદાવાદ: અમદાવાદ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયાની સુવિધાઓના…

RE-NEET 2026 પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ, દેશભરમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ હાજર

દેશભરમાં આજે RE-NEET (NEET-UG) 2026 પરીક્ષા શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. રાષ્ટ્રીય સ્તરે યોજાયેલી આ પરીક્ષામાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરીક્ષા દરમિયાન વિવિધ રાજ્યોમાં કડક સુરક્ષા…