ઓરંગજેબની કબર દુર કરવામાં નહીં આવે તો બાબરીની જેમ કાર સેવા કરીશું, VHP અને બજરંગદળની ચેતવણી
મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર હટાવવા અંગે મહારાષ્ટ્રમાં ચાલી રહેલો વિવાદ સમાપ્ત થવાનું નામ લેતો નથી. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળે ઔરંગઝેબની કબરના મુદ્દા પર રાજ્યમાં આંદોલનની જાહેરાત કરી. હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ ઔરંગઝેબના મકબરા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. VHP-બજરંગ દળે મહારાષ્ટ્ર સરકારને ધમકી આપતા કહ્યું કે જો ઔરંગઝેબની કબર દૂર કરવામાં વિલંબ થશે તો તેઓ બાબરી જેવી ‘કાર સેવા’ કરશે. હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ, ઔરંગઝેબના મકબરા પાસે રાજ્ય અનામત પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના મહારાષ્ટ્ર-ગોવા પ્રદેશના વડા ગોવિંદ શેંડેએ કહ્યું કે કેટલાક લોકો ઔરંગઝેબના વખાણ કરવામાં વ્યસ્ત છે. ઔરંગઝેબે દેશ પર ઘણા અત્યાચાર કર્યા. તેઓએ હિન્દુઓ પર અત્યાચાર ગુજાર્યા. તેના પિતા પર ત્રાસ ગુજાર્યો. આવા…







