ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબક્યું: 10 જવાન શહીદ, 7 ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં ગુરુવારે હૃદયદ્રાવક દુર્ઘટના બની, જેમાં ભારતીય સેનાના 10 જવાનો શહીદ અને 7 ઘાયલ થયા. અકસ્માત ભાદરવાહ સબ-ડિવિઝન વિસ્તારમાં સર્જાયો હતો. સેનાનું બુલેટ-પ્રૂફ વાહન એક ફોરવર્ડ પોસ્ટ તરફ જઈ રહ્યું હતું, ત્યારે ડ્રાઈવરે વાહન પર કાબૂ ગુમાવી દીધો. પરિણામે વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું. તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન: સેના અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે બચાવ કામગીરી શરૂ કરી. ખીણમાંથી 10 જવાનોના મૃતદેહ બહાર કઢાયા, જ્યારે 7 ઘાયલ જવાનોને સારવાર માટે ખસેડાયા. ગંભીર રીતે ઘાયલ 3 જવાનોને ઉધમપુરની મિલિટરી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. LG મનોજ સિન્હાનો શોક: લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ X પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો અને શહીદ જવાનોના બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પી. આ દુર્ઘટના ભારતીય સેના માટે ભારે ધક્કો છે, અને તમામ…

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક બાળક બોરવેલમાં પડ્યું, ફાયર ટીમે સફળ રેસ્ક્યૂ કર્યું

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક આજે એક બાળક બોરવેલ જેવા ખાડામાં પડી જતા હલચલ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક તંત્રને જાણ કરી હતી, જેના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ બોરવેલ ટાઈપના ખાડામાં બાળક અચાનક ખાબકી ગયું હતું. ફાયર ટીમે ઝડપથી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી અને બાળકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. હાલ બાળકની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ પણ બની ચૂકી છે આવી દુર્ઘટના ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે. આશરે છ મહિના અગાઉ સેક્ટર-1ના ચ-0 વિસ્તારમાં નવા બગીચાના કામ દરમિયાન ખાડામાં પડી જતાં એક…

ગ્વાટેમાલામાં ઊંડી ખીણમાં બસ ખાબકી, 15 લોકોના મોત; 19 ઘાયલ

મધ્ય અમેરિકાના દેશ ગ્વાટેમાલામાં એક ગંભીર માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 19 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. શુક્રવારે સાંજે પશ્ચિમ ગ્વાટેમાલામાં ઇન્ટર-અમેરિકન હાઇવે પર એક પેસેન્જર બસ નિયંત્રણ ગુમાવીને ઊંડી ખીણમાં ખાબકી હતી. સ્થાનિક ફાયર વિભાગના પ્રવક્તા લેઆન્ડ્રો અમાડોના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં મોતને ભેટેલા લોકોમાં 11 પુરુષો, 3 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ધુમ્મસ અને જોખમી રસ્તો બન્યો કારણ આ અકસ્માત સોલોલા વિભાગમાં કિલોમીટર 172 અને 174 વચ્ચે થયો હતો. આ વિસ્તાર તેની જોખમી ભૂગોળ અને વળાંકવાળા રસ્તાઓ માટે જાણીતો…

ઈન્ડોનેશિયામાં ડિવાઈડર સાથે અથડાઈ બસ પલટી: 16 મુસાફરોના મોત, અનેક ઘાયલ

ઈન્ડોનેશિયામાં જાવા ટાપુ પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ટોલ રોડ પર બસ ડિવાઈડર સાથે અથડાતા પલટી ગઈ, જેમાં 16 મુસાફરોનાં મોત થયા અને ઘણા ઘાયલ થયા છે. આ બસ જકાર્તાથી જૂના શહેર યોગ્યાકાર્તા જતી હતી, જેમાં 34 લોકો સવાર હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બસ ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે અકસ્માત થયો. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમો તુરંત પહોંચી ગઈ અને મૃતકોના મૃતદેહોને રિકવર કર્યા. વધુ 18 ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમની હાલત ગંભીર છે. નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી એ જણાવ્યું કે, અકસ્માત એટલો ભયાનક હતો કે અનેક મુસાફરો ઉછળી ગયા અને બસમાં ફસાઈ ગયા હતા. એમ્બ્યુલન્સ દ્વારા પીડિતો અને મૃતકોને સારવાર માટે દૂર લઈ જવામાં આવ્યા. આ અકસ્માતને કારણે ઈન્ડોનેશિયાની માર્ગ…

દમણમાં તળાવમાં ડૂબ્યા 3 કિશોર, એકનું મોત; 2ની શોધખોળ ચાલુ

દમણના ડાભેલ ગામમાં આવેલા તળાવમાં તળાવમાં ન્હાવા પડેલા 3 કિશોરો ડૂબી ગયા, જેમાંથી એક કિશોરનું મોત થયું છે અને બાકીના બે કિશોરોની શોધખોળ હાલમાં ચાલી રહી છે. ઘટના અને બચાવ કામગીરી જાણકારી મળતા ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને તરત જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. દમણ પ્રશાસન દ્વારા પણ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. તળાવમાં ન્હાવા પડેલા કિશોરો પ્રાપ્ત માહિતી અનુસાર, તળાવમાં કુલ 7 કિશોરો ન્હાવા પડ્યા હતા, જેમાંથી 3 ડૂબ્યા અને એકનું દુર્ઘટનાગ્રસ્ત મોત થઈ ગયું છે. ગામમાં પ્રતિક્રિયા આ દુઃખદ ઘટના પછી ગ્રામજનોમાં ભારે શોક પ્રસરી ગયો અને ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા. બચાવ ટીમો બાકીના બે કિશોરોને શોધવા માટે તળાવની તપાસ ચાલુ રાખી છે. Follow us…

મોરોક્કોમાં બે ઇમારતો ધરાશાયી : 22ના મોત, 16 ઘાયલ

મોરોક્કાના ઐતિહાસિક શહેર ફેઝમાં બુધવારની રાત્રે એક ભયંકર અકસ્માત બન્યો હતો. શહેરના જૂના વિસ્તારમાં આવેલી ચાર-ચાર માળની બે રહેણાંક ઇમારતો અચાનક ધરાશાયી થઇ, જેમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે અને 16થી વધુ લોકો ઘાયલ થયા છે. આલ-મુસ્તાકબાલ વિસ્તરમાં બનેલી આ ઘટના એટલી ગંભીર હતી કે અનેક પરિવાર કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. પોલીસે, નાગરિક સુરક્ષા દળોએ અને સ્થાનિક પ્રશાસને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અને રાતભર રાહત કામ ચાલુ રાખ્યું. ઇમારતોમાં પહેલેથી જ તિરાડો — છતાં કાર્યવાહી નહીં સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, આ બંને ઇમારતોમાં લાંબા સમયથી તિરાડો જોવા મળતી હતી. રહેવાસીઓએ ચિંતાઓ વ્યક્ત કરી હતી, પરંતુ સંબંધિત વિભાગ દ્વારા કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નહોતાં. પ્રાથમિક તપાસ મુજબ, માળખાકીય નબળાઇ અને જૂની ઇમારતોની…

નૈનિતાલમાં ઈમારતમાં ભીષણ આગ, ફસાયેલા લોકોને બચાવાયા

મંગળવારે સાંજે નૈનિતાલના ચાઇના બાબા વિસ્તારમાં શિશુ મંદિર સ્કૂલની બાજુમાં આવેલી ઈમારતમાં ભીષણ આગ લાગી. આગમાં ઇમારતનો મોટાભાગનો સામાન ખાખ થઇ ગયો હતો. પ્રારંભિક જાણકારી અનુસાર, ઈમારતમાં કેટલાક લોકો ફસાયેલા હતા. ફાયર બ્રિગેડની તાત્કાલિક ટીમે ઘટનાસ્થળે પહોંચી અને અંદર ફસાયેલા બે લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધો. આગને લગભગ એક કલાક અને 10 મિનિટમાં કાબુમાં લાવવામાં આવ્યું. ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી મળી નથી. આગ કેવી રીતે ફેલાઇ? નૈનિતાલના ફાયર બ્રિગેડે જણાવ્યું કે આ ઈમારત સંપૂર્ણપણે લાકડાની બનેલી હતી, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ. ત્રણ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા અને આગને નિયંત્રણમાં લાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી. દુર્ભાગ્યથી, અંદર કેટલીક વસ્તુઓ નષ્ટ થઈ ગઈ, પરંતુ નજીકની ઈમારતોમાં આગ ફેલાતી રહી ન હતી. પ્રતિક્રિયા અને સલામતી…

ગોવામાં નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ: 23નાં મોત, અનેક ઘાયલ

ગોવાના અરપોરા વિસ્તારમાં શનિવારે મધરાતે બનેલી ભીષણ દુર્ઘટનામાં એક નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત થયા છે. મૃતકોમાં 3 મહિલાઓ, 3-4 પ્રવાસીઓ તેમજ મોટાભાગના ક્લબના સ્ટાફ મેમ્બર્સનો સમાવેશ થાય છે. ઘટના વિગત – આગ રાત્રે લગભગ 12 વાગ્યે લાગી. – આગનું મૂળ કારણ કિચન વિભાગમાંથી હોવાનું પ્રાથમિક અનુમાન. – ભાગવાની કોશિશમાં બે મૃતદેહ સીડીઓ પર મળ્યા. – ઘણા લોકો દાઝવાથી નહીં, પરંતુ શ્વાસ રૂંધાવાથી મોતને ભેટ્યા. – ઘટનાની જાણ થતા જ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને સ્થાનિક BJP MLA માઈકલ લોબો સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. CM સાવંતનું નિવેદન સીએમએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે “આ દુર્ઘટના ખૂબ જ પીડાદાયક છે. સમગ્ર મામલે સંપૂર્ણ તપાસ કરાવવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી…

ભરૂચના જંબુસર નજીક બોટ પલટી: 30થી વધુ શ્રમિકો હતા સવાર, 1નું મોત

જંબુસરના આસરસા ગામ નજીક આજે એક ગંભીર બોટ દુર્ઘટના બની છે. ONGCના ડ્રિલિંગ માટે જતા શ્રમિકોની બોટ દરિયામાં પલટી જતા 30થી વધુ કામદારો પાણીમાં ખાબક્યા, જેમાં એક યુવાનનું મોત થયું છે. ઘટનાને પગલે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાની વિગતો – બોટમાં લગભગ 30થી વધુ કામદારો સવાર હતા. – અચાનક ઊંચા મોજા અને બોટમાં ભરી રહેલા કામદારોના ભારને કારણે બોટ પલટી ગઈ. – મૃતક: રોહિત ગણપત મકવાણા – લાપતા: નરેશ અનોપ રાઠોડ – બાકીના કામદારોને તાત્કાલિક જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડી સારવાર આપવામાં આવી. બચાવ કામગીરી સ્થાનિક પોલીસ, 108 ટીમ અને ગામલોકોની મદદથી બચાવ કાર્ય ચાલુ છે. લાપતા નરેશ અનોપ રાઠોડને શોધવા સ્થાનિક માછીમારો અને બચાવ દળ જોડાયા છે. સુરક્ષા મામલે ચિંતાઓ બચાવ માટે…

કચ્છ: કુકમા ગામ પાસે આશાપુરા ટેકરી નજીક વ્યક્તિ બોરવેલમાં ફસાયો, બચાવ કાર્ય શરુ

કચ્છ જિલ્લાના ભુજ નજીક કુકમા ગામ પાસે આવેલ આશાપુરા ટેકરી નજીક એક વ્યક્તિ બોરવેલમાં ફસાઈ જવાની ગંભીર ઘટના બની છે. ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી. જીવ બચાવવા તાત્કાલિક પગલાં ફાયર વિભાગની ટીમ અને અન્ય જવાનો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કાર્ય હાથ ધરાયું છે. બચાવ કાર્ય દરમિયાન યુવકને સતત ઓક્સિજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓનું નિરીક્ષણ સ્થળ પર પોલીસ, પ્રાંત અધિકારી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે અને સમગ્ર બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. હાલમાં યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તમામ શક્ય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા પ્રાંત અધિકારી અને ફાયર વિભાગની ટીમો સતત બચાવ કામગીરીમાં સક્રિય છે, અને…