ચક્રવાત દિત્વાહ: 47 ફ્લાઇટ્સ રદ ટ્રેનો પણ બંધ; તમિલનાડુ–પુડુચેરીમાં હાઈ એલર્ટ, NDRF તૈનાત

ચક્રવાત દિત્વાહ આજે તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પાસે ખૂબ નજીક પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર વાવાઝોડું આજે જ ભૂમિ પર ત્રાટકવાની શક્યતા છે. હાલમાં તોફાન “ચક્રવાતી તોફાન” સ્તરે છે અને વધુ મજબૂત થવાના કોઈ સંકેત નથી. શ્રીલંકામાં ભારે વિનાશ – દિત્વાહ ભૂમિ સ્પર્શ કરતાં પહેલાં શ્રીલંકાના પૂર્વ કિનારે ભારે તબાહી મચાવી હતી. – અત્યાર સુધી 150 થી વધુ લોકોના મોત – અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન – હજારો લોકો બેસહારા – તમિલનાડુમાં રેડ અને ઓરેન્જ એલર્ટ IMD એ રાજ્ય માટે ગંભીર ચેતવણીઓ જાહેર કરી છે: – 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ – 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ – કેટલાક શહેરોમાં પહેલેથી જ ભારે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાઈ રહ્યા છે. – IMD મુજબ, ચક્રવાત…

હોંગકોંગમાં ભયાનક આગ: સાત ઇમારતો જ્વાળાઓની લપેટમાં, 36 લોકોના મોત 279 ગુમ

હોંગકોંગના તાઈ પો વિસ્તારમાં બપોરે ભયાનક આગ ફાટી નીકળી હતી, જે શહેરમાં વર્ષોની સૌથી ભયાનક દુર્ઘટના સાબિત થઈ છે. અત્યાર સુધીમાં છત્રીસ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 279 લોકો હજુ પણ ગુમ છે. દુર્ઘટનામાં એક અગ્નિશામક પણ મોતને ભેટ્યો છે. આગ કઈ રીતે ફાટી નીકળી? આગ ચીનના શેનઝેનની સરહદ નજીકના તાઈ પો વિસ્તારમાં એક બહુમાળી રહેણાંક સંકુલમાં ફાટી નીકળી હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે આગે સાત ઇમારતોમાં ફેલાઈ ગઈ, જેમાં એક પડોશી ટાવર પણ અસરગ્રસ્ત થયો. આ ઘટનાના પગલે 900 થી વધુ લોકો સ્થળાંતર કરવામાં આવ્યા અને સેંકડો લોકોને કાંઠા પર કામચલાઉ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા. પ્રાથમિક તપાસ અને પોલીસ કાર્યવાહી હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ જોન લીએ જણાવ્યું કે આગના કારણની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ…

પેરુમાં ભયાનક માર્ગ અકસ્માત : પેસેન્જર બસ ખીણમાં ખાબકી, 37 ના મોત

દક્ષિણ પેરુમાંથી એક દિલ દહોળી દેતી ઘટના સામે આવી છે. બુધવારે વહેલી સવારે એક પેસેન્જર બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી, જેમાં ઓછામાં ઓછા 37 લોકોનાં મોત થયા છે અને 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક રેડિયો RPP મુજબ, બસ એક પિકઅપ ટ્રક સાથે અથડાયા પછી વળાંક પરનો કાબૂ ગુમાવી બેસી હતી અને સીધી ઓકોના નદીની ખીણમાં ખાબકી ગઈ હતી. બસ ચલા શહેર (ખાણકામ વિસ્તાર)થી અરેક્વિપા તરફ જઈ રહી હતી. પેરુમાં આવા માર્ગ અકસ્માતો નવી બાબત નથી. ગયા થોડા મહિનાઓમાં જ આવા અનેક અકસ્માતો થયા છે. – ઓગસ્ટમાં હાઇવે પર બસ પલટી જતાં 10 લોકોના મોત થયા હતા. – જુલાઈમાં, લીમાથી એમેઝોન વિસ્તાર જતી બસના અકસ્માતમાં 18 લોકોના મોત અને 48 લોકો ઘાયલ થયા…

તુર્કીયેનું લશ્કરી વિમાન જ્યોર્જિયામાં થયું ક્રેશ, 20 લોકોના મોતની આશંકા

મંગળવારે તુર્કીયેનું C-130 લશ્કરી કાર્ગો વિમાન જ્યોર્જિયામાં ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી છે. આ વિમાન અઝરબૈજાનથી ઉડાન ભરી રહ્યું હતું અને તેમાં આશરે 20 લોકો સવાર હતા. હાલ બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ અહેવાલો મુજબ તમામ 20 લોકોના મૃત્યુ થયાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યોર્જિયાના પૂર્વ કાખેતી વિસ્તારમાં થયું અકસ્માત અહેવાલો મુજબ વિમાન તુર્કીયે–અઝરબૈજાન સરહદ નજીક જ્યોર્જિયાના કાખેતી પ્રદેશમાં ક્રેશ થયું હતું. વિમાનમાં તુર્કીયે અને અઝરબૈજાન બંને દેશોના નાગરિકો હોઈ શકે છે, જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ હજી સુધી થઈ નથી. તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆને આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને શહીદોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હમ અલીયેવે પણ એર્દોઆન સાથે વાત કરીને દુઃખ વ્યક્ત કર્યું…

ઇન્દોરના ભેરુઘાટમાં ગમખ્વાર અકસ્માત : બસ અને કાર ખીણમાં પડી, 3 ના મોત

ઇન્દોર જિલ્લામાં મહુના ભેરુઘાટમાં સોમવારે રાત્રે લગભગ 9:40 વાગ્યે એક ગંભીર માર્ગ અકસ્માત થયો, જેમાં એક બસ અને કાર વચ્ચે ટક્કર થતા બંને વાહનો ઊંડી ખીણમાં ખસી ગયા. આ દુર્ઘટનામાં બે મહિલાઓ સહિત 3 મુસાફરોના મોત થયા છે, જ્યારે 13 મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોમાં સુરતના રિક્ષાચાલકનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. લગભગ 30 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા, જેમાં કેટલાકને બસની બારી તોડીને બહાર કાઢવું પડ્યું. ઘાયલોને ઇન્દોરની MY હોસ્પિટલ અને મહુ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મૃતકોમાં ઇન્દોરના તિલક નગરની પદ્માબાઈ (45), યુપીના દેવરિયાના રાહુલ (25) અને ઇન્દોરના ન્યૂ ગોરી નગરની અનિતા (40)નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ડૉ.…

નેપાળમાં યાલુંગ રી બેઝ કેમ્પ પર ભયાનક હિમપ્રપાત: 7 પર્વતારોહકોનાં મૃત્યુ, 4 લાપતા

ઉત્તર-પૂર્વી નેપાળના દોલખા જિલ્લામાં સોમવારે, 3 નવેમ્બર ૨૦૨૫ના સવારે યાલુંગ રી (5630 મીટર) પર્વતના બેઝ કેમ્પ પર અચાનક ભયાનક હિમપ્રપાત સર્જાયો. આ દુર્ઘટનામાં 15 પર્વતારોહકોની ટીમનો સમાવેશ થતો હતો. હિમપ્રપાતની ઘટનાઓમાં 7 પર્વતારોહકોનાં મોત થયા છે, જ્યારે 4 ઘાયલ છે અને અન્ય 4 હજુ લાપતા છે. મૃતકોમાં વિદેશી અને નેપાળી પર્વતારોહકો સામેલ ડીએસપી જ્ઞાન કુમાર મહતોએ જણાવ્યું કે, મૃતકોમાં 5 વિદેશી નાગરિકો અને 2 નેપાળી ગાઇડનો સમાવેશ થાય છે: – 3 અમેરિકન નાગરિક – 1 કેનેડિયન નાગરિક – 1 ઇટાલિયન નાગરિક – 2 નેપાળી ગાઇ ઘાયલ 4 પર્વતારોહકોને સારવાર માટે ખસેડવામાં આવી રહી છે. લાપતા પર્વતારોહકોની શોધખોળ માટે નેપાળ આર્મી અને પોલીસ દ્વારા ઓપરેશન ચાલુ છે. બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ દુર્ઘટનાની જાણ થતાં જ નેપાળ આર્મી, સશસ્ત્ર…

ઉત્તર પ્રદેશના બહરાઇચમાં દુર્ઘટના : કૌડિયાલા નદીમાં હોડી પલટી, 20થી વધુ લોકો ગુમ

ઉત્તર પ્રદેશના બહેરાઇચ જિલ્લામાં મોટી દુર્ઘટના સામે આવી છે. કૌડિયાલા નદીમાં એક હોડી પલટી જતા 20થી વધુ લોકો ગુમ થયા હોવાનું પ્રાથમિક અહેવાલો પરથી જાણવા મળ્યું છે. ઘટના બનતાની સાથે જ આસપાસના ગામોમાં ચકચાર મચી ગઈ હતી. નદીમાં વહેતા લોકોને બચાવવા માટે તાત્કાલિક બચાવ દળોને એલર્ટ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ હોડીમાં સ્થાનિક ગામલોકો બજાર તરફ જઈ રહ્યા હતા, ત્યારે હોડી અચાનક સંતુલન ગુમાવીને પલટી ગઈ. હોડીમાં કુલ કેટલા લોકો સવાર હતા તે અંગે હજી સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ 20થી વધુ લોકો ગુમ થયા છે અને કેટલાક લોકોને સ્થાનિક માછીમારો અને ગ્રામજનો દ્વારા બચાવાયા છે. સ્થાનિક વહીવટીતંત્રે ઘટના બાદ NDRF અને SDRFની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી દીધી છે, જ્યાં બચાવ કામગીરી ચાલી રહી…

વડાપ્રધાનના આગમન પૂર્વે નર્મદા ઘાટ પાસે બની ગોજારી ઘટના, ભેખડ ધસતા 3 સ્થાનિક મજૂરો દટાયા

નર્મદામાં ભેખડ ધસતા ત્રણ સ્થાનિક મજૂરો દટાયા. આ દુર્ઘટના નર્મદા ઘાટના નવીનીકરણ દરમિયાન બની હતી. ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તરત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી અને પોલીસ અને ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના ભારતી આશ્રમની બાજુમાં બની હતી, જ્યાં દિવાલ ધરાશાહી થતાં ત્રણ મજૂરો નીચે દટ્યા. સ્થાનિક લોકોને ઘટનાસ્થળે ટોળા થઈ પહોંચ્યા હતા, અને ગરુડેશ્વર મામલતદાર સહિત નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળ પર દોડ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક મજૂરો અંકતેશ્વર ગામના રહેવાસી છે. તેઓની ઓળખ આ પ્રમાણે છે: – શૈલેષભાઈ રણછોડભાઈ તડવી, 35 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) – દિલિપભાઈ ભાણાભાઈ તડવી, 47 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) – રોહિતભાઈ રણછોડભાઈ તડવી, 45 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) પરિવારજનો અત્યાર સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર…

મોઝામ્બિક બોટ દુર્ઘટના: 3 ભારતીય નાગરિકોના દુખદ અવસાન, 1 ઘાયલ, 5 બચાવાયા

ઇસ્ટ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં એક ગંભીર બોટ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ત્રણ ભારતીય નાગરિકોનો દુખદ અવસાન થયો છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. દુર્ઘટના મોઝામ્બિકના બીરા પોર્ટ નજીક ગુરુવારે બની હતી, જ્યારે એક લોન્ચ બોટ ટેન્કર પર કાર્યરત ક્રુ મેમ્બર્સને લઈ જઈ રહી હતી. આ દુર્ઘટનાની પૃષ્ટિ ભારતીય હાઈ કમિશને શનિવારે કરી હતી. બોટ પલટી જતાં 3 ભારતીયોનો લેવાયો ભોગ બોટમાં કુલ 14 ભારતીય નાગરિક સવાર હતા. યાત્રા દરમિયાન બોટ અચાનક પલટી ગઈ હતી. હજુ સુધી દુર્ઘટનાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને મામલે તપાસ ચાલુ છે. સ્થાનિક તંત્ર અને પોર્ટ અધિકારીઓ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં પાંચ નાગરિકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિને ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં…

તમિલનાડુમાં ભારે દુર્ઘટના, ચેન્નાઈમાં નિર્માણાધીન આર્ચ તૂટવાથી 9 શ્રમિકોની મોત, 10 વધુ ઈજાગ્રસ્ત

તમિલનાડુના ઉત્તર ચેન્નાઈમાં થર્મલ પાવર સ્ટેશન (એનોર)ના બાંધકામ સ્થળે મંગળવારે એક ભારે દુર્ઘટના બની છે. ત્યાં 30 ફૂટ ઊંચી નિર્માણાધીન આર્ચ(કમાન) અચાનક તૂટી પડી હતી, જેના કારણે 9 શ્રમિકોની ઘટના સ્થળે જ મોત થઇ ગઈ અને 10થી વધુ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાના કારણે ઘટનાસ્થળે અફરાતફરી ફેલાઈ ગઈ હતી. અનેક શ્રમિકો કાટમાળ નીચે દટાયા હતા, જેમને મુશ્કેલીથી બચાવવામાં આવ્યા. આ ઘટનાની વિગતો મુજબ, મૃતકોનો પોસ્ટમોર્ટમ માટે સ્ટેનલી હોસ્પિટલમાં દફતર કરવામાં આવ્યો છે. એક ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું નોંધાયું છે. પોલીસ કમિશનરે આ ઇમારતના ભાગ તૂટી પડવાના કારણની તપાસ શરૂ કરી છે. બચાવકાર્ય અને તપાસ ચાલુ છે. તમિલનાડુ વિદ્યુત બોર્ડના સચિવ ડૉ. જે. રાધાકૃષ્ણે જણાવ્યુ કે સ્થળ પર કુલ 3700 શ્રમિક કામ કરી રહ્યા હતા અને સુરક્ષા…