ભારતમાં 2000 રૂપિયાની નોટો અંગે RBIની નવી સૂચના, જાણો વિગત

ભારતભરમાં ફરી 2000 રૂપિયાની નોટો ચર્ચામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નવી માહિતી જાહેર કરી છે, જેમાં જણાવાયું છે કે નોટબંધીના લગભગ સોઢા વર્ષ પછી પણ 5,817 કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો હજુ પણ ચલણમાં નથી આવી. મોટાભાગના લોકો માનતા હતા કે આ નોટો સિસ્ટમમાંથી સંપૂર્ણપણે હટાવી દીધી ગઇ છે. RBIએ જણાવ્યું હતું કે 19 મે, 2023ના રોજ ₹2,000 ની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે કુલ મૂલ્ય ₹3.56 લાખ કરોડ હતું. હવે માત્ર ₹5,817 કરોડ જ બાકી છે. આનો અર્થ છે કે RBI મુજબ, ₹2,000 ની 98.37% નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. 2000 રૂપિયાની નોટો હજુ પણ માન્ય છે: RBIએ સ્પષ્ટ કર્યું છે કે ₹2,000 ની નોટો કાયદેસર…

2000 રૂપિયાની નોટોને લઈ RBIનો મોટો ખુલાસો, હજુ પણ બજારમાં છે આટલી નોટો

દેશભરમાં ફરી એકવાર 2000 રૂપિયાની નોટો સમાચારમાં છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નવો ડેટા જાહેર કર્યો છે જે દર્શાવે છે કે નોટબંધીના લગભગ દોઢ વર્ષ પછી પણ, ₹5,817 કરોડની 2000 રૂપિયાની નોટો હજુ સુધી ચલણમાં પાછી આવી નથી. આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે મોટાભાગના લોકોએ માની લીધું હતું કે આ નોટો સંપૂર્ણપણે ચલણમાંથી બહાર થઈ ગઈ છે. શનિવારે જારી કરાયેલા એક નિવેદનમાં, RBI એ જણાવ્યું હતું કે જ્યારે 19 મે, 2023 ના રોજ 2,000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે તેમનું કુલ મૂલ્ય ₹3.56 લાખ કરોડ હતું. જે હવે ઘટીને માત્ર ₹5,817 કરોડ થઈ ગયું છે. આનો અર્થ એ થયો કે, RBI અનુસાર, 2,000 રૂપિયાની નોટોમાંથી 98.37% બેંકિંગ સિસ્ટમમાં પાછી…

ભારતના સોનાના ભંડારમાં નોંધાયો વધારો, ફોરેક્સ રિઝર્વ રેકોર્ડ ઊંચાઈની નજીક પહોંચ્યું

ભારતીય અર્થતંત્ર માટે એક વધુ સકારાત્મક સંકેત મળ્યો છે. દેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર (Foreign Exchange Reserves) ફરીથી ઐતિહાસિક સ્તરોની નજીક પહોંચી ગયો છે, જેમાં સોનાના ભંડારમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. શુક્રવારે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા અનુસાર, ભારતનો ફોરેક્સ રિઝર્વ $702.28 બિલિયન સુધી પહોંચી ગયો છે — જે તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર $704.88 બિલિયનથી માત્ર $2.5 બિલિયન ઓછો છે. ભારતીય ચલણમાં આ અનામત હવે ₹61.5 લાખ કરોડથી વધુના સ્તર પર છે. ફોરેક્સ રિઝર્વમાં વધારાના મુખ્ય કારણો 17 ઓક્ટોબર 2025ના અઠવાડિયા સુધી, ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર $4.496 બિલિયન વધ્યો. પાછલા અઠવાડિયામાં પણ તેમાં $2.176 બિલિયનનો વધારો નોંધાયો હતો. આ વૃદ્ધિનો મુખ્ય લાભ સોનાના ભાવમાં તેજી અને ડોલરના નબળા પડવાથી મળ્યો છે. સોનાના ભંડારમાં…

8 ઓકટોબરથી UPI ટ્રાન્જેક્શન કરવું બનશે વધુ સરળ, બદલાય રહ્યો છે આ નિયમ

દેશમાં ડિજિટલ પેમેન્ટને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા તરફ એક મોટું પગલું લેવામાં આવ્યું છે. હવે, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા વ્યવહાર કરતા યુઝર્સ ને પેમેન્ટ માટે પિન દાખલ કરવાની જરૂર રહેશે નહીં. તેના બદલે, તેઓ ફેસ આઇડેન્ટિટી અથવા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને તેમના ટ્રાનજેક્શનને મંજૂરી આપી શકશે. આ નવી સુવિધા 8 ઓક્ટોબરથી અમલમાં આવશે. આ પગલું RBIના તાજેતરના માર્ગદર્શિકા અનુસાર છે જે વૈકલ્પિક ઓથેન્ટિકેશનને મંજૂરી આપે છે. NPCI (જે UPIનું સંચાલન કરે છે) મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલમાં આ સુવિધા પ્રદર્શિત કરવા જઈ રહ્યું છે. આ ડિજિટલ પેમેન્ટ કરનારને ઝડપી, સુરક્ષિત અને વધુ અનુકૂળ બનાવશે. મીડિયાના એક અહેવાલ મુજબ, આ નવી સુવિધા ભારત સરકારની આધાર સિસ્ટમમાં સંગ્રહિત બાયોમેટ્રિક ડેટા દ્વારા પેમેન્ટ કરનારને પ્રમાણિત કરશે. એટલે કે, યુઝર્સના…

જનધન ખાતાધારકો માટે ખુશખબર : આ સુવિધાઓ મળશે જીવનભર મફતમાં, જાણો અહીં

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતાઓ માટે એક નવો ડ્રાફ્ટ પરિપત્ર બહાર પાડ્યો છે, જે નાની આવક ધરાવતા લોકો માટે બેંકિંગ વધુ સરળ, ડિજિટલ અને પારદર્શક બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ ખાતાઓ માટે હવે મીનીમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી અને તેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળના ખાતાઓનો સમાવેશ થાય છે. હાલમાં દેશમાં 56.6 મિલિયનથી વધુ આ પ્રકારના ખાતા સક્રિય છે, જેમાં ₹2.67 ટ્રિલિયન જેટલો જમા રકમ છે. મુખ્ય સુવિધાઓ: – અનલિમિટેડ કેશ ડિપોઝીટ: ખાતાધારકોને કેશ જમા કરાવામાં કોઈ મર્યાદા નહીં. – ફ્રી ATM અને ડેબિટ કાર્ડ: બિલકુલ મફતમાં ATM કાર્ડ અને ડેબિટ કાર્ડ આપવામાં આવશે. – 25 મફત ચેક પ્રત્યેક વર્ષે: વર્ષમાં 25 ચેક મફત આપવામાં આવશે. – ફ્રી પાસબુક અને…

શિરીષ ચંદ્ર મુર્મુ RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત, જાણો કોનું લેશે સ્થાન

સરકારે શિરીષ ચંદ્ર મુર્મુને ત્રણ વર્ષના કાર્યકાળ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. મુર્મુ એમ. રાજેશ્વર રાવનું સ્થાન લેશે, જેમનો વિસ્તૃત કાર્યકાળ 8 ઓક્ટોબરના રોજ સમાપ્ત થાય છે. સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે કેબિનેટની નિમણૂક સમિતિએ 9 ઓક્ટોબરના રોજ અથવા તે પછી કાર્યભાર સંભાળવાની તારીખથી ત્રણ વર્ષના સમયગાળા માટે તેમની નિમણૂકને મંજૂરી આપી છે, એમ PTI ના અહેવાલમાં જણાવાયું છે. મુર્મુ હાલમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને દેખરેખ વિભાગના વડા છે. RBI એક્ટ, 1934 મુજબ, સેન્ટ્રલ બેંક પાસે ચાર ડેપ્યુટી ગવર્નર હોવા જોઈએ – બે તેના પોતાના રેન્કમાંથી, એક કોમર્શિયલ બેંકિંગ સેક્ટરમાંથી, અને એક અર્થશાસ્ત્રી જે નાણાકીય નીતિ વિભાગનું નેતૃત્વ કરે. અન્ય ત્રણ ડેપ્યુટી ગવર્નર ટી.…

RBI ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ પાડશે બહાર, જાણો શું થશે જૂની નોટોનું?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ કહ્યું છે કે બેંક ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) સીરિઝમાં 20 રૂપિયાની નોટ બહાર પાડશે. આ નોટોની ડિઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી (નવી) સીરિઝની 20 રૂપિયાની નોટ જેવી જ છે. રિઝર્વ બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરાયેલી તમામ 20 રૂપિયાની નોટો કાયદેસર ટેન્ડર તરીકે ચાલુ રહેશે. RBI એ એક સૂચના જારી કરીને કહ્યું છે કે, ‘ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) સીરિઝમાં 20 રૂપિયાની નોટ બહાર પાડશે. આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) સીરિઝની 20 રૂપિયાની નોટ જેવી જ છે. આનો અર્થ એ થયો કે નવી નોટો જૂની નોટો જેવી…

સરકારની તિજોરી છલકાશે… RBI આપશે 2.5 લાખ કરોડ રૂપિયા ! જાણો કારણ

કેન્દ્ર સરકારને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી મોટી રકમ મળવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2025 માં, રિઝર્વ બેંક સરપ્લસ રકમ સરકારને ટ્રાન્સફર કરશે. તેની રકમ 2.5 લાખ કરોડ રૂપિયા કે તેથી વધુ હોઈ શકે છે. આ રકમ પાછલા નાણાકીય વર્ષમાં આપવામાં આવેલા ડિવિડન્ડ કરતાં વધુ હશે. આ રકમ નાણાકીય વર્ષ 2026 ના બજેટ અંદાજ કરતાં પણ વધુ હોઈ શકે છે. જો RBI આટલું દેવું સરકારને ટ્રાન્સફર કરે તો દેશની જરૂરિયાતો પૂરી કરવા માટે સરકારને વધુ લોન લેવાની જરૂર નહીં પડે. સરકારી દેવાના હિસાબ ફક્ત RBI પાસે જ રાખવામાં આવે છે. RBI મે મહિનાના અંતમાં સરકારને જણાવશે કે તે નાણાકીય વર્ષ 2025 માટે કેટલા સરપ્લસ પૈસા ટ્રાન્સફર કરશે. ગયા વર્ષે RBIએ 2.1 લાખ…

કાર અને હોમલોન થશે સસ્તી, RBIએ રેપો રેટમાં કર્યો ઘટાડો

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની MPC બેઠકના પરિણામો આવી ગયા છે અને ટેરિફ તણાવ વચ્ચે કેન્દ્રીય બેંકે મોટી રાહત આપી છે. RBI MPC ની 54મી બેઠક અને નવા નાણાકીય વર્ષ FY26 ની પ્રથમ બેઠકના પરિણામોની જાહેરાત કરતી વખતે, RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ વૈશ્વિક આર્થિક તણાવ અને વેપાર યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ પડકારજનક વાતાવરણમાં, કેન્દ્રીય બેંકે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે અને આ પછી રેપો રેટ ઘટીને 6 ટકા થઈ ગયો છે. વર્ષ 2025માં આ સતત બીજી વખત છે જ્યારે કેન્દ્રીય બેંકે મોટી રાહત આપી છે. અગાઉ ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જે પછી તે ઘટીને 6.25 ટકા થઈ ગયો. આ…

લોન સસ્તી થશે, EMI ઘટશે, RBIએ રેપોરેટ ઘટાડવાની જહેરાત કરી

ભારતીય રિઝર્વ બેંકે લોન લેનારાઓને મોટી ભેટ આપી છે. આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરતા નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે સમિતિએ રેપો રેટમાં એક ચતુર્થાંશ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. RBIનો રેપો રેટ 6.50 ટકાથી ઘટાડીને 6.25 ટકા કરવામાં આવશે. સેન્ટ્રલ બેંકના આ નિર્ણય બાદ, બેંકો માટે હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, કોર્પોરેટ લોન અને પર્સનલ લોન પર વ્યાજ દર ઘટાડવાનો માર્ગ મોકળો થયો છે. મે 2020 ની શરૂઆતમાં, કોરોના રોગચાળાને કારણે, જ્યારે RBI એ વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લીધો ત્યારે દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. એટલે કે 5 વર્ષ પછી, RBI એ વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. -> 5 વર્ષમાં પહેલીવાર લોન સસ્તી થઈ :- ડિસેમ્બર 2024 માં…