8 ઓકટોબરથી UPI ટ્રાન્જેક્શન કરવું બનશે વધુ સરળ, બદલાય રહ્યો છે આ નિયમ

દેશમાં ડિજિટલ પેમેન્ટને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા તરફ એક મોટું પગલું લેવામાં આવ્યું છે. હવે, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા વ્યવહાર કરતા યુઝર્સ ને પેમેન્ટ માટે પિન દાખલ કરવાની જરૂર રહેશે નહીં. તેના બદલે, તેઓ ફેસ આઇડેન્ટિટી અથવા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને તેમના ટ્રાનજેક્શનને મંજૂરી આપી શકશે. આ નવી સુવિધા 8 ઓક્ટોબરથી અમલમાં આવશે. આ પગલું RBIના તાજેતરના માર્ગદર્શિકા અનુસાર છે જે વૈકલ્પિક ઓથેન્ટિકેશનને મંજૂરી આપે છે.

NPCI (જે UPIનું સંચાલન કરે છે) મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલમાં આ સુવિધા પ્રદર્શિત કરવા જઈ રહ્યું છે. આ ડિજિટલ પેમેન્ટ કરનારને ઝડપી, સુરક્ષિત અને વધુ અનુકૂળ બનાવશે. મીડિયાના એક અહેવાલ મુજબ, આ નવી સુવિધા ભારત સરકારની આધાર સિસ્ટમમાં સંગ્રહિત બાયોમેટ્રિક ડેટા દ્વારા પેમેન્ટ કરનારને પ્રમાણિત કરશે. એટલે કે, યુઝર્સના ચહેરા અથવા ફિંગરપ્રિન્ટને તેમના આધાર ડેટા સાથે મેચ કરવામાં આવશે, જેનાથી પેમેન્ટ થઈ શકશે.

RBI ની નવી માર્ગદર્શિકા
આ પગલું ડિજિટલ વ્યવહારો માટે વૈકલ્પિક ઓથેન્ટિકેશન પદ્ધતિઓને મંજૂરી આપતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના તાજેતરના માર્ગદર્શિકા અનુસાર છે. આનાથી ડિજિટલ પેમેન્ટમાં સુરક્ષા અને યુઝર્સના અનુભવ બંનેમાં સુધારો થવાની અપેક્ષા છે.

UPI અનુભવ સરળ બનશે
હાલમાં, યુઝર્સ એ દરેક UPI વ્યવહાર માટે 4- અથવા 6-અંકનો PIN દાખલ કરવો જરૂરી છે. એકવાર નવી સુવિધા લાગુ થઈ જાય, પછી ફેસ સ્કેન અથવા ફિંગરપ્રિન્ટ સેન્સરનો ઉપયોગ કરીને પેમેન્ટ ઓ તાત્કાલિક પ્રમાણિત કરવામાં આવશે. આનાથી વ્યવહારનો સમય ઓછો થશે, સુરક્ષા વધશે અને યુઝર્સનોઅનુભવ વધુ સરળ બનશે. નિષ્ણાતો કહે છે કે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન છેતરપિંડીની શક્યતા ઘટાડશે, કારણ કે ચહેરા અથવા ફિંગરપ્રિન્ટની નકલ કરવી મુશ્કેલ છે. જો કે, ડેટા સુરક્ષા અને ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે NPCI અને UIDAI વચ્ચે મજબૂત તકનીકી પ્રોટોકોલ અપનાવવામાં આવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

NIA કોર્ટનો વ્યાપ વધ્યો: ગુજરાતમાં નવા બે કેન્દ્રોને સરકારની મંજૂરી.2026

ગુજરાતમાં બે નવી NIA કોર્ટને મંજૂરી: આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાના કેસોના ઝડપી નિકાલ માટે મોટું પગલું અમદાવાદ: દેશની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાતને વધુ એક મહત્વપૂર્ણ ભેટ મળી છે. કેન્દ્ર સરકારે રાજ્યમાં બે નવી વિશેષ NIA (National Investigation Agency) કોર્ટને મંજૂરી આપી છે. આ કોર્ટ શરૂ થયા બાદ આતંકવાદ, દેશવિરોધી પ્રવૃત્તિઓ, સંગઠિત ગુનાખોરી અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા કેસોની ઝડપી સુનાવણી અને સમયસર નિકાલ શક્ય બનશે. ગુજરાત પહેલેથી જ દેશના મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને સરહદી રાજ્યોમાંનું એક છે. રાજ્યના વ્યૂહાત્મક મહત્વને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે નવી NIA કોર્ટ શરૂ થતાં તપાસ એજન્સીઓ અને ન્યાયતંત્ર વચ્ચે વધુ સારી સંકલન…

અપડેટ શું તમારો ફોન થઈ ગયો સ્લો? આ નવા અપડેટથી મળશે સુપરફાસ્ટ સ્પીડ!2026

નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ: ઓછા ખર્ચમાં વધુ ફીચર્સ, જાણો નવા સ્માર્ટફોન્સ કેવી રીતે બચાવશે તમારા પૈસા નવી દિલ્હી: ભારતમાં સ્માર્ટફોન બજારમાં સતત નવા મોડલ્સ લોન્ચ થઈ રહ્યા છે. ખાસ કરીને બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં કંપનીઓ એવા ફીચર્સ આપી રહી છે જે થોડા વર્ષો પહેલા માત્ર પ્રીમિયમ ફોનમાં જ મળતા હતા. આજે ₹10,000થી ₹20,000ની કિંમતમાં મળતા સ્માર્ટફોન્સમાં 5G કનેક્ટિવિટી, મોટી બેટરી, ફાસ્ટ ચાર્જિંગ, હાઈ-રિફ્રેશ રેટ ડિસ્પ્લે, AI કેમેરા અને લાંબા સમય સુધી સોફ્ટવેર અપડેટ જેવી સુવિધાઓ મળી રહી છે. ટેક્નોલોજી નિષ્ણાતોનું માનવું છે કે આજના નવા બજેટ સ્માર્ટફોન્સ માત્ર સસ્તા જ નથી, પરંતુ લાંબા ગાળે યુઝર્સના પૈસાની પણ બચત કરાવે છે. જો તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે ઉપયોગી બની શકે છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *