‘સ્તન પકડવા એ બળાત્કારનો પ્રયાસ નથી’ તેવા હાઇકોર્ટના ચૂકાદા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

ઉત્તર પ્રદેશમાં એક બાળકીના ઉત્પીડનના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે. હકીકતમાં, ચુકાદો આપતી વખતે, હાઇકોર્ટના ન્યાયાધીશે કહ્યું હતું કે છોકરીના સ્તનને સ્પર્શ કરવો અને તેના સલવારની દોરી ખેંચવી એ બળાત્કારના પ્રયાસ સમાન નથી. હવે સુપ્રીમ કોર્ટે તેને અસંવેદનશીલતા ગણાવી છે.જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે કહ્યું કે ચુકાદામાં કેટલીક ટિપ્પણીઓ જોઈને દુઃખ થયું. આ સાથે તેમણે આ મામલે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. –>’સંવેદનશીલતાનો અભાવ’:- કોર્ટે પોતાના આદેશમાં કહ્યું, “અમને દુઃખની વાત છે કે આ ચુકાદો લેખકની સંવેદનશીલતાનો અભાવ દર્શાવે છે. આ ચુકાદો તાત્કાલિક જાહેર કરવામાં આવ્યો ન હતો. 4 મહિના સુધી અનામત રાખ્યા પછી તે જાહેર કરવામાં આવ્યો હતો. અમે સામાન્ય રીતે…