રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું, તાવ કારણે 8 માસના બાળકનું મોત

રાજયમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેના કારણે રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. અને તાવથી 8 માસના બાળકનું મોત થયું છે. મળતી મહિતી મુજબ વૈશાલીનગરમાં રહેતા બાળકનું મોત થયું છે. જેમાં બાળકની તબિયત ખરાબ થતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. અને વૈશાલીનગર વિસ્તારમાં તપાસ હાથધરી છે.

-> તાવથી 8 માસનાં બાળકનું મોત :- વૈશાલીનગર વિસ્તારમાં તાવથી 8 માસના બાળકનું મોત થયું છે. બાળકને તાવ આવતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. અને તેનું મોત થયું છે. તો રોગચાળો વકરતા આરોગ્ય વિભાગની ટીમે વૈશાલીનગરમાં અલગ-અલગ ઘરોમાં સ્વાસ્થયને લઈ તપાસ પણ કરી છે.

-> રાજકોટમાં મચ્છરનો ત્રાસ ! :- શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે. જેને કારણે રોગચાળો વકર્યો છે. ત્યારે હાલ હોસ્પિટલમાં દર્દીઓને લાઈનો જોવા મળી રહી છે.

Related Posts

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: 5 બાળકોના મોતથી આરોગ્ય તંત્ર એલર્ટ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોએ ફરી એકવાર ચિંતા વધારી છે. રાજ્યમાં આ વાયરસના કારણે અત્યાર સુધીમાં પાંચ બાળકોના મોત નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. બાળકોમાં ફેલાતા આ ગંભીર રોગને નિયંત્રણમાં…

અમદાવાદમાં માર્ગ અકસ્માતનો ખતરો વધ્યો: શહેરમાં 26 બ્લેક સ્પોટ નોંધાયા

ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં માર્ગ અકસ્માતોની સંખ્યા સતત ચિંતાનો વિષય બની રહી છે. શહેરમાં દર બે દિવસે સરેરાશ ત્રણ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યા છે, જ્યારે દરરોજ બે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *