વધુ એક 112 ઈમરજન્સી હેલ્પલાઇન સેવા શરુ કરવાની તૈયારી, સમગ્ર ગુજરાતમાં ટુંક સમયમાં થશે જાહેર

ગુજરાતમાં વધુ એક 112 ઈમરજન્સી હેલ્પલાઇન સેવા શરુ કરવાની તૈયારી ચાલી રહી છે. તમામ નાગરિકોને એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે તેના માટે વર્ષ 2019માં 112 ERSS (ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ) હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. 112 નંબરના માધ્યમથી સ્વાસ્થ્ય અને પરિવાર, પોલીસ, આગ, મહિલા અને બાળ વિકાસ અને રેવન્યુ- આપદા વ્યવસ્થાપન વિભાગના સ્વતંત્ર ટોલ-ફ્રી નંબરને એકીકૃત કરવામાં આવ્યા હતા. –>આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં અમલી બનશે:- પ્રાથમિક તબક્કામાં આ કામગીરી રાજ્યમાં અત્યારે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગરમાં શરૂ છે જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આગામી ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં અમલી બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ સેવાનો વ્યાપ સમગ્ર રાજ્યમાં મળી રહે તેના માટે…

દિલ્હીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક, ઝુંપડપટ્ટીના વડાઓ દ્વારા થશે વડાપ્રધાનનું સ્વાગત

દિલ્હીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં ભારતીય જનતા પાર્ટીએ એક અદભૂત કાર્ડ રમ્યું છે. પાર્ટીએ નિર્ણય લીધો છે કે કાર્યક્રમમાં ઝૂંપડપટ્ટીના વડાઓ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે. આ નિર્ણય દ્વારા, ભાજપ તમામ 250 ઝૂંપડપટ્ટી ક્લસ્ટરોને એક મોટો સંદેશ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. મંગળવારે મોડી રાત્રે ભાજપના અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે દિલ્હીના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની સારી પકડ છે. આવી સ્થિતિમાં, ભાજપ આ નવા પગલા દ્વારા આવા વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરવાની તૈયારી કરી રહ્યું છે. -> તૈયારી કેવી છે? :- દિલ્હીના મુખ્યમંત્રી અને તેમના કેબિનેટ મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ શુક્રવારે બપોરે 12 વાગ્યે શરૂ થશે. આ કાર્યક્રમ રામલીલા મેદાનમાં આયોજિત થશે. પહેલા આ માટેનો સમય સાંજે 4.30 વાગ્યાનો હતો,…