ભારત પોરબંદર: આધુનિક રેલવે સ્ટેશનનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ.2026

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકસિત પોરબંદર રેલવે સ્ટેશનનું લોકાર્પણ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ-લોકાર્પણ, આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું ગાંધીજીનું જન્મસ્થળ પોરબંદર, 17 જુલાઈ: ભારતના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિશ્વસ્તરીય બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ પોરબંદર રેલવે સ્ટેશનનું પુનર્વિકાસ કાર્ય પૂર્ણ થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પંજાબના જલંધરથી દેશના 20 રાજ્યોમાં આવેલા 75 પુનર્વિકસિત રેલવે સ્ટેશનોનું ઇ-લોકાર્પણ કર્યું, જેમાં પોરબંદર રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. આ યોજના હેઠળ દેશભરમાં આશરે રૂ. 1,570 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશનો તૈયાર કરવામાં આવ્યા છે. પોરબંદર સ્ટેશનનું નવીનીકરણ માત્ર મુસાફરોની સુવિધા માટે જ નહીં પરંતુ શહેરના વિકાસ, પર્યટન અને સ્થાનિક અર્થતંત્રને નવી દિશા આપનાર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવી રહ્યું છે.…