કર્ણાટકમાં સત્તા પરિવર્તનની અટકળો વચ્ચે ડી.કે. શિવકુમારનું મોટું નિવેદન: “તમામ 140 ધારાસભ્યો મારા પોતાના છે”

કર્ણાટકમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી રાજકીય અટકળો અને “નવેમ્બર ક્રાંતિ”ની ચર્ચા વચ્ચે નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પહેલી વાર ખુલ્લેઆમ પોતાના વલણની સ્પષ્ટતા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્ય સરકારમાં કોઈ આંતરિક જૂથવાદ નથી, અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. શિવકુમારનું સ્પષ્ટીકરણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લાંબી પોસ્ટ શેર કરતાં શિવકુમારએ લખ્યું “તમામ 140 ધારાસભ્યો મારા પોતાના છે. જૂથ બનાવવું મારા લોહીમાં નથી.” તેમણે ઉમેર્યું કે કેટલાક ધારાસભ્યોની દિલ્હી મુલાકાતને રાજકીય દબાણ કે જૂથવાદ તરીકે ના જોવી જોઈએ. તે સંભવિત મંત્રીમંડળ વિસ્તરણ પહેલા નેતૃત્વને મળવાની સામાન્ય પ્રક્રિયા છે. સિદ્ધારમૈયાને સંપૂર્ણ સમર્થન શિવકુમારે જણાવ્યું “મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. હું તેમને શુભકામનાઓ પાઠવું છું અને અમે સૌ સાથે મળીને કામ કરીશું.” અટકળો શા માટે વધતી હતી? છેલ્લા સપ્તાહમાં શિવકુમારના નજીક માનાતા કેટલાક ધારાસભ્યો અચાનક દિલ્હી પહોંચ્યા હતા. રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ કે કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનનો પ્રયાસ ચાલી રહ્યો છે. કેટલાક લોકોએ તેને “નવેમ્બર ક્રાંતિ” નામ પણ આપ્યું. શિવકુમારે હવે આ તમામ દાવાઓને નકારી કાઢીને સ્પષ્ટ કરી દીધું છે કે કર્ણાટક કોંગ્રેસ સરકારમાં કોઈ પ્રકારનું આંતરિક સંકટ નથી. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

બિહાર: નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ મળ્યો

મુખ્યમંત્રી નીતિશ કુમારના શપથ ગ્રહણના એક દિવસ બાદ શુક્રવારે બિહાર સરકારે નવા મંત્રીઓના વિભાગો ફાળવ્યા. મહત્વપૂર્ણ ગૃહ વિભાગ નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને સોંપવામાં આવ્યો છે. આ મંત્રીઓમાં ભાજપના 14 અને JDUના 8 મંત્રીઓનો સમાવેશ થાય છે. કુલ 26 મંત્રીઓએ શપથ લીધા, જેમાં એક મુસ્લિમ અને ત્રણ મહિલાઓ શામેલ છે. નીતિશ કુમાર પોતે પહેલા કરતાં ઓછા વિભાગો સંભાળશે: કેબિનેટ સચિવાલય, સામાન્ય વહીવટ, તકેદારી, ચૂંટણી અને અન્ય બધા અનફાળવેલા વિભાગો. 20 વર્ષમાં પ્રથમ વખત નીતિશ કુમારે ગૃહ મંત્રાલય જાળવી નથી રાખ્યું. મુખ્ય મંત્રીઓ અને તેમના વિભાગો ક્રમાંક મંત્રીનું નામ વિભાગ 1 નીતિશ કુમાર સામાન્ય વહીવટ, કેબિનેટ સચિવાલય, તકેદારી, ચૂંટણી, અન્ય અનફાળવેલા વિભાગો 2 સમ્રાટ ચૌધરી (નાયબ મુખ્યમંત્રી) ગૃહ વિભાગ 3 વિજય કુમાર સિંહા (નાયબ મુખ્યમંત્રી) મહેસૂલ, જમીન સુધારણા, ખાણ, ભૂસ્તરશાસ્ત્ર 4 વિજય કુમાર ચૌધરી જળ સંસાધન, સંસદીય બાબતો, માહિતી-જનસંપર્ક, મકાન બાંધકામ 5 વિજેન્દ્ર પ્રસાદ યાદવ ઉર્જા, આયોજન-વિકાસ, દારૂબંધી-આબકારી, નાણાં, વાણિજ્યિક કર 6 શ્રવણ કુમાર ગ્રામીણ વિકાસ, પરિવહન 7 મંગલ પાંડે આરોગ્ય, કાયદા 8 ડૉ. દિલીપ કુમાર જયસ્વાલ ઉદ્યોગ 9 અશોક ચૌધરી ગ્રામીણ બાંધકામ 10 લેશી સિંહ ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા 11 નીતિન નવીન માર્ગ બાંધકામ, શહેરી વિકાસ, ગૃહનિર્માણ 12 મદન સાહની સમાજ કલ્યાણ 13 રામ કૃપાલ યાદવ કૃષિ 14 સુનિલ કુમાર શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી, ટેકનિકલ શિક્ષણ 15 મોહમ્મદ જામા ખાન લઘુમતી કલ્યાણ 16 સંજય સિંહ ‘ટાઈગર’ શ્રમ સંસાધન 17 અરુણ શંકર પ્રસાદ પ્રવાસન, કલા-સંસ્કૃતિ, યુવા વિભાગ 18 સુરેન્દ્ર મહેતા પશુ અને માછલી સંસાધન 19 નારાયણ પ્રસાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ 20 રામ નિષાદ પછાત વર્ગ, અતિ પછાત વર્ગ કલ્યાણ 21 લખેન્દ્ર કુમાર રોશન અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ 22 શ્રેયસી સિંહ માહિતી ટેકનોલોજી, રમતગમત 23 ડૉ. પ્રમોદ કુમાર સહકાર, પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન 24 સંજય કુમાર શેરડી ઉદ્યોગ 25 સંજય કુમાર સિંહ જાહેર આરોગ્ય ઇજનેરી 26 દીપક પ્રકાશ પંચાયતી રાજ 27 સંતોષ કુમાર સુમન લઘુ જળ સંસાધન પાર્ટી અનુસાર વિતરણ ભાજપ: 14 મંત્રીઓ (સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા, મંગલ પાંડે, ડૉ. દિલીપ જયસ્વાલ, નીતિન નવીન, રામ કૃપાલ યાદવ, સંજય સિંહ, અરુણ શંકર પ્રસાદ, સુરેન્દ્ર મહેતા, નારાયણ પ્રસાદ, રામા નિષાદ, લખેન્દ્ર પાસવાન, શ્રેયસી સિંહ, ડૉ. પ્રમોદ કુમાર) JDU: 8 મંત્રીઓ (વિક્રંદ્ર ચૌધરી, શ્રવણ કુમાર, વિજેન્દ્ર યાદવ, અશોક ચૌધરી, લેસી સિંહ, મોહમ્મદ જામા ખાન, મદન સાહની, ડૉ. પ્રમોદ કુમાર) LJP/ અન્ય: સંજય કુમાર (LJP), સંજય સિંહ (LJP), દીપક પ્રકાશ (જીતન રામ માંઝી / ઉપેન્દ્ર કુશવાહા) અને સંતોષ કુમાર સુમન Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

SIR મામલે સુપ્રીમ કોર્ટમાં ફરી પડકાર, મતદાર યાદી સુધારણા ચર્ચામાં

ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં ચૂંટણી પંચ દ્વારા SIR (Summary Intensive Revision of Electoral Rolls) હાથ ધરવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે આ અરજીઓની સુનાવણી માટે સંમતિ આપી છે. સુપ્રીમ કોર્ટની કાર્યવાહી સુપ્રીમ કોર્ટની બેન્ચમાં ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ SVN ભટ્ટી અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી સામેલ છે. બેન્ચે ચૂંટણી પંચને નોટિસ આપી છે અને વિવિધ રાજ્યોમાં SIRને પડકારતી અરજીઓ પર સુનાવણી હાથ ધરવાની તૈયારી દર્શાવી છે. કેરળની અરજીઓ માટે સુનાવણી 26 નવેમ્બરે થશે, જ્યારે બીજા રાજ્યોની અરજીઓ ડિસેમ્બરના પ્રથમ કે બીજા અઠવાડિયામાં સાંભળવામાં આવશે. પૂર્વ સ્નેપશૉટ સુપ્રીમ કોર્ટ પહેલેથી જ સમગ્ર દેશમાં SIR કરવાના ચૂંટણી પંચના નિર્ણયની માન્યતા પડકારતી અરજીઓની સુનાવણી કરી રહી છે. 11 નવેમ્બરના રોજ એક બેન્ચે DMK, CPI(M), પશ્ચિમ બંગાળ કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસની અરજીઓ પર કમિશન પાસેથી અલગ-અલગ જવાબો માંગ્યા હતા. આદિવાસી સમુદાયની ચિંતાઓ કોંગ્રેસે દાવો કર્યો છે કે, SIR દ્વારા આદિવાસીઓને ચૂંટણી પ્રક્રિયાથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના આદિવાસી વિભાગના પ્રમુખ વિક્રાંત ભૂરિયાએ જણાવ્યું કે આદિવાસીઓ માટે સ્પષ્ટ સ્થળાંતર નીતિ જરૂરી છે. મધ્યપ્રદેશમાં સિવિલ જજ પરીક્ષા 2022ના પરિણામો પર પણ તેઓએ પ્રશ્નો ઉઠાવ્યા છે, જે અનુસાર એક પણ આદિવાસી પસંદગીમાં ન આવ્યો, અને આ અનામત દૂર કરવાનો માર્ગ છે. શું બની શકે છે અસર? SIRને લઈને સુપ્રીમ કોર્ટમાં પડકારો અને અરજીઓ દેશભરમાં રાજકીય અને ચૂંટણી વિવાદોમાં ફેરફાર લાવી શકે છે. સુનાવણીનો પરિણામ મતદાર યાદીઓની સમીક્ષા પ્રક્રિયા અને ખાસ કરીને આદિવાસી સમુદાયના અધિકારો પર સીધો પ્રભાવ કરશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

બિહાર વિજય પર PM મોદીના પ્રહાર, કહ્યું – “જાતિવાદના ઝેરને બિહારે નકારી કાઢ્યું

બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ની ૨૦૨ સીટની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધી ગઠબંધન, ખાસ કરીને RJD અને કોંગ્રેસ પર તીખા રાજકીય પ્રહાર કર્યા. ગુજરાતના સુરત એરપોર્ટ પર યોજાયેલી જનસભામાં તેમણે કહ્યું કે “બિહારના લોકોએ જાતિ આધારિત રાજકારણનું ઝેર નકારી કાઢ્યું છે.” મોદીએ દાવો કર્યો કે છેલ્લા બે વર્ષથી RJD–કોંગ્રેસ ગઠબંધન દ્વારા “જાતિવાદ”નું રાજકારણ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, પરંતુ ચૂંટણી પરિણામો એ લોકોના મૂડને સ્પષ્ટ કરી દીધો. તેમણે જણાવ્યું કે દલિત પ્રભાવ ધરાવતા તમામ ૩૮ મતવિસ્તારોમાં NDAનો વિજય એ વિભાજનકારી રાજકારણ પર મોટો પ્રહાર છે. કોંગ્રેસને ‘MMC’ ગણાવી પ્રહાર કોંગ્રેસ પર આરોપ લગાવતા મોદીએ પાર્ટીને “મુસ્લિમ લીગ માઓવાદી કોંગ્રેસ (MMC)” માતાલ વાણીથી નિશાન બનાવી. તેમણે કહ્યું કે કોંગ્રેસના જૂના અને પરંપરાગત નેતાઓ પણ હવે પાર્ટીની દિશાથી અસંતુષ્ટ છે. મોદીના જણાવ્યા મુજબ, વિપક્ષ પોતાની હાર માટે EVM, ચૂંટણી પંચ અને અન્ય સંસ્થાઓને દોષ આપીને બહાના બનાવે છે, પરંતુ “જનતા હવે આવા બહાનાઓને સ્વીકારશે નહીં.” NDA માટે 2010 પછીનું શ્રેષ્ઠ પરિણામ બિહારમાં NDAનું ૨૦૨ સીટ સાથેનું પ્રદર્શન 2010 પછીનું સૌથી મજબૂત છે. આ પરિણામો પછી નીતિશ કુમાર ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લેવા માટે તૈયાર છે. આ તેમનો દસમો કાર્યકાળ હશે. મોદીએ આ જીતને “ભારતના રાજકારણમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન” ગણાવ્યું અને જણાવ્યું કે બિહારનો મત જનાદેશ “વિકસિત ભારતની દિશા”ને મજબૂત કરે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

જમ્મુ કશ્મીર: શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 9 લોકોના મોત 27 ઘાયલ

શુક્રવારે રાત્રે દક્ષિણ શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા ભયાનક વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો. રાત્રે 11:22 વાગ્યે થયેલા આ વિસ્ફોટમાં 9 લોકોના મોત ની પુષ્ટિ થઈ છે, જ્યારે 27 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાસ્થળે માનવ શરીરના અવશેષો 300 ફૂટ દૂર સુધી ફેલાઈ ગયાનું જાણવા મળ્યું છે. ssવિસ્ફોટના પ્રહારથી પોલીસ સ્ટેશનનો મોટો ભાગ ઢળી પડ્યો. આગના ગોટેગોટા અને ઘેરો ધુમાડો દૂર સુધી જોવા મળ્યો. બચાવ કાર્યને શરૂઆતમાં મુશ્કેલી પડી કારણ કે નાના વિસ્ફોટો સતત થતા રહ્યા. કાટમાળ હેઠળ હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની શકયતા વ્યક્ત થઈ છે. તપાસના બે મુખ્ય સંદર્ભો: સુરક્ષા એજન્સીઓ આ વિસ્ફોટને લઈને બે ખૂણાઓથી તપાસ કરી રહી છે: 1. બેદરકારીનો મુદ્દો પોલીસ સ્ટેશનની અંદર 360 કિલો એમોનિયમ નાઈટ્રેટ વિસ્ફોટક સામગ્રી મેજિસ્ટ્રેટની હાજરીમાં સીલ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન કોઈ ટેકનિકલ ખામી અથવા બેદરકારીથી વિસ્ફોટ થયો હોવાની શંકા છે. 2. આતંકવાદી IED કાવતરું સૂત્રો અનુસાર, પરિસરમાં પાર્ક કરેલી જપ્ત કરાયેલી કારમાં IED લગાવવામાં આવ્યું હશે, જે ફૂટી જવાથી અંદરના વિસ્ફોટકોને પણ આગ લાગી હોઈ શકે છે. આતંકવાદી સંગઠન PAFF (The Resistance Front) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે, જોકે તેની સત્યતા તપાસ હેઠળ છે. ડોક્ટરોના તાજેતરના મૉડ્યુલ સાથે કડી? નૌગામ પોલીસ સ્ટેશન એ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા ડોક્ટરોની ટોળકીના તાજેતરના મોડ્યુલની તપાસનું કેન્દ્ર પણ હતું. તાજેતરમાં જ હરિયાણાના ફరీદાબાદમાંથી 2,900 કિલો વિસ્ફોટકો મળી આવ્યા હતા. તેથી આ વિસ્ફોટને બદલો લેવાની કાર્યવાહી તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. દિલ્હીના લાલ કિલ્લે તાજેતરમાં થયેલા વિસ્ફોટ સાથે જોડાણ? આ સપ્તાહની શરૂઆતમાં દિલ્હીના લાલ કિલ્લા ખાતે થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં 13 લોકોના મોત થયા હતા. બંને ઘટનામાં વિસ્ફોટકોનો ઉપયોગ અને કાર્યપદ્ધતિને લીધે એજન્સીઓ કોઈ સંભવિત જોડાણની તપાસ કરી રહી છે. કાશ્મીર ખંડમાં હાઈ એલર્ટ કડી સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં મુકવામાં આવી છે. રાજ્યના ડીજીપી નલિન પ્રભાતે તમામ જિલ્લાઓમાં તાકીદની સુરક્ષા સમીક્ષા બોલાવી છે. દેશની નજર તપાસના પરિણામો પર ઘટનામાં ઘાયલ લોકોની સ્થિતિ ગંભીર હોવાથી મૃતકોની સંખ્યા વધી શકે છે. આ ઘટના દેશભરમાં ચિંતા ઊભી કરી રહી છે અને સુરક્ષા એજન્સીઓ હવે વધુ સતર્ક બની ગઈ છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

બિહાર: તરારી વિધાનસભા બેઠકના જન સૂરજ પાર્ટીના ઉમેદવાર ચંદ્રશેખર સિંહનું હૃદયરોગના હુમલાથી અવસાન

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તરારી વિધાનસભા બેઠકના જન સૂરજ પાર્ટીના ઉમેદવાર ચંદ્રશેખર સિંહનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. પટનાની એક ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. ચંદ્રશેખર સિંહની તબિયત અને સારવાર પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા અનેક દિવસોથી ગંભીર રીતે બીમાર હતા. ચૂંટણી પ્રચારમાં તેઓ ભાગ લઈ શક્યા નહોતા. 31 ઓક્ટોબરે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને પહેલો હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક પટનાની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા. સતત સારવાર દરમિયાન આજે ફરી હૃદયરોગનો જીવલેણ હુમલો આવતા તેમનું અવસાન થયું. રાજકીય વર્તુળોમાં શોકની લાગણી તરારી વિધાનસભા વિસ્તારમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂકી છે. ઉમેદવારના આકસ્મિક અવસાનથી સ્થાનિક રાજકીય માહોલમાં શોક અને નિરાશાનો માહોલ છે. પક્ષના નેતાઓએ તેમની સેવાભાવ અને સંઘર્ષને યાદ કરતાં શોક વ્યક્ત કર્યો છે અને પરિવારમાં પ્રગાઢ સંવેદનાઓ વ્યક્ત કરી છે. ચંદ્રશેખર સિંહના નિધનથી જન સૂરજ પાર્ટીને ચૂંટણી દરમિયાન મોટો ઝટકો લાગ્યો છે અને તેમના સમર્થકોમાં પણ ભારે શોક વ્યાપ્ત છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

બિહારમાં NDAની લહેર: એક્ઝિટ પોલમાં મહાગઠબંધનને મોટો ઝટકો, પ્રશાંત કિશોરની JSP પણ ધોવાઈ ગઈ

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ બહાર આવેલા વિવિધ એક્ઝિટ પોલના અંદાજોમાં NDA માટે ઐતિહાસિક જીતના સંકેત મળી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાની હેઠળનું રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ફરી સત્તામાં વાપસી કરશે, તેવો અનુમાન મોટાભાગની એજન્સીઓએ વ્યક્ત કર્યો છે. એક્ઝિટ પોલના સંકલિત આંકડા મુજબ: NDA ને 147 થી 167 બેઠકો મળવાની શક્યતા છે. મહાગઠબંધન (રાષ્ટ્રીય જનતા દળ + કોંગ્રેસ) ને 70 થી 90 બેઠકો મળી શકે છે. અન્ય નાના પક્ષો, જેમાં પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી (JSP) પણ શામેલ છે, તેમને 0 થી 2 બેઠકો મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે. બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકોમાંથી બહુમતી માટે 122 બેઠકોની જરૂર છે. આ આંકડા સૂચવે છે કે NDA 2020 કરતાં વધુ મજબૂત સ્થિતિમાં છે — 2020ની ચૂંટણીમાં NDAને 125 બેઠકો મળી હતી. MATRIZE-IANS એક્ઝિટ પોલ મુજબ મત ટકા વિતરણ: NDA – 48% મત મહાગઠબંધન – 37% મત અન્ય – 15% મત આ પરિણામો NDA તરફ મોટો વલણ દર્શાવે છે, જોકે રાજકીય નિષ્ણાતો ચેતવણી આપે છે કે એક્ઝિટ પોલ હંમેશા સચોટ નથી હોતા અને વાસ્તવિક પરિણામો અલગ પણ હોઈ શકે છે. તેમ છતાં, આ આંકડાઓએ બિહારની રાજકીય હવામાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. “વિકાસ વિરુદ્ધ જંગલ રાજ”નો નારો ચૂંટણી અભિયાન દરમિયાન PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે “વિકાસ વિરુદ્ધ જંગલ રાજ” જેવા નારાથી NDAના અભિયાનને તીવ્રતા આપી હતી. બીજી તરફ, તેજસ્વી યાદવે બેરોજગારી, મોંઘવારી અને સરકારી નોકરીના વચનો જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા, પરંતુ એક્ઝિટ પોલ દર્શાવે છે કે લોકોનો વિશ્વાસ હજી NDA તરફ છે. નીતિશ કુમાર માટે ઐતિહાસિક ચૂંટણી: રાજકીય નિરીક્ષકોના મતે, આ ચૂંટણી નીતિશ કુમાર માટે ઐતિહાસિક છે કારણ કે શક્ય છે કે આ તેમની છેલ્લી વિધાનસભા ચૂંટણી હોઈ શકે. લાલુ પ્રસાદ યાદવે પણ આ ચૂંટણીમાં પાર્ટીની કમાન પોતાના પુત્ર તેજસ્વી યાદવને સોંપી દીધી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

“મારી પીએમ મોદી સાથે સારી વાતચીત થઈ રહી છે, ટૂંક સમયમાં ભારત આવીશ” – યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત ખૂબ સકારાત્મક રહી હોવાનું જણાવ્યું છે. ટ્રમ્પના નિવેદન મુજબ, તેઓ ટૂંક સમયમાં ભારતની મુલાકાત કરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું, “મોદી મારા મિત્ર છે. અમે વારંવાર વાત કરીએ છીએ અને તેમણે મને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. અમે તારીખ નક્કી કરીશું.” જ્યારે તેમને પૂછાયું કે તેઓ આવતા વર્ષે ભારત આવી શકે છે કે નહીં, તો ટ્રમ્પ હસતાં જવાબ આપ્યા, “કદાચ, હા.” તેમણે ઉમેર્યું કે ભારત અને અમેરિકાના વચ્ચે વેપાર કરારો અને વાટાઘાટો હજુ ચાલુ છે. ટ્રમ્પએ કહ્યું કે કેટલાક વેપાર મુદ્દાઓ પર મતભેદ છે, પરંતુ તેમની ટીમ તે મુદ્દાઓ પર કાર્યરત છે. ભારત-અમેરિકા વેપાર અને રાજકીય સંબંધો: ટ્રમ્પએ જણાવ્યું કે ભારત-અમેરિકા વચ્ચે વ્યાપાર કરાર અંગે ચર્ચા ચાલુ છે, જેમાં અમેરિકાને ભારતના બજારો વધુ ખોલવા માટે પ્રેરણા મળી રહી છે. બીજી તરફ, ભારત કૃષિ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અમેરિકાથી છૂટછાટની આશા રાખી રહ્યું છે. ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અનેક વેપાર કરારો પર ચર્ચા થઈ છે, પરંતુ કેટલાક મુદ્દાઓના કારણે તે અધૂરા રહ્યા. ભારત-રશિયા તેલ વેપાર: ટ્રમ્પે તાજેતરમાં ભારત-રશિયા તેલ વેપાર અંગે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદવાનું મર્યાદિત કરશે. ટ્રમ્પના દાવા અનુસાર, ભારત-રશિયા વચ્ચેના તેલ વેપારમાં ફેરફાર ભારત અને અમેરિકા વચ્ચેની સકારાત્મક વાતચીતના ભાગરૂપે આવ્યો છે. ટ્રમ્પના ટેરિફ દાવા: ટ્રમ્પે કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે આઠ યુદ્ધોનો અંત લાવ્યો, જેમાંથી પાંચથી છ યુદ્ધો ટેરિફ (આર્થિક પ્રતિબંધો)ના કારણે રોકાયા. તેમણે નોંધ્યું કે ટેરિફના કારણે ભારત અને પાકિસ્તાનના સંઘર્ષ પર નિયંત્રણ લાવી શકાયું. મોદી-ટ્રમ્પનો સબંધ: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની જૂની મિત્રતા 2020ના ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમથી જાણીતી છે. ટ્રમ્પના તાજેતરના નિવેદન પછી ફરી એકવાર ભારત-અમેરિકા સંબંધો અંગે ચર્ચા શરૂ થઈ છે. તેઓએ સ્પષ્ટ કર્યું કે બંને દેશો વચ્ચે વ્યાપાર અને રાજકીય સહકાર વધારવા માટે નવી તકો શોધી રહી છે. ટ્રમ્પની આ જાહેરાત સાથે ભારત-અમેરિકા સંબંધોમાં નવા સકારાત્મક સંકેત મળ્યા છે. ભારત માટે આ મુલાકાત એક મહત્વપૂર્ણ રાજકીય અને આર્થિક સંકેત બની શકે છે, જ્યારે બંને દેશો માટે વ્યાપાર, ઊર્જા અને સુરક્ષા ક્ષેત્રમાં સહકાર વધારવાની તકો ખૂલી શકે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

NDA 160 થી વધુ બેઠકો જીતશે : અમિત શાહે બિહારમાં ચૂંટણી પહેલાં કર્યો દાવો

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટો દાવો કર્યો છે. શાહે જણાવ્યું કે NDA 160 થી વધુ બેઠકો જીતશે અને ગઠબંધનમાં સામેલ તમામ પાર્ટીઓનું સ્ટ્રાઇક રેટ આ વખતે ઉત્તમ રહેશે. શાહે કહ્યું કે બિહાર ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ન ઉતારવાના પ્રશ્ન પર સ્પષ્ટતા આપી, NDA પાસે ચાર મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં છે. ટિકિટ ફક્ત વિજેતા ઉમેદવારોને જ આપવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું. અમિત શાહે મહાગઠબંધન પર ટિપ્પણી કરી, તેમના પોસ્ટરોમાંથી લાલુ યાદવનો ફોટો હટાવવાનું ઉલ્લેખ કરીને કહ્યું કે અમારામાં એવા લોકો છે જેઓ ચૂંટણી લડતા નથી છતાં તેમને પોસ્ટરોમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. રાહુલ ગાંધીના નિવેદનો પર પ્રતિક્રિયા આપતાં શાહે કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ વડા પ્રધાન મોદી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો, ત્યારે BJP વધુ મજબૂત બની. તેમણે કહ્યું કે મણિશંકર ઐયરથી લઈને સોનિયા ગાંધી સુધી જે પણ અપશબ્દ બોલ્યા, BJP એ વધુ મજબૂત રીતે જીત પ્રાપ્ત કરી છે. જંગલ રાજના મુદ્દે તેમણે જણાવ્યું કે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જંગલ રાજને અટકાવે છે. ઘટના પછી કાયદો વ્યક્તિની શક્તિ અનુસાર જ કામ કરે છે, અને આ પ્રકારની પરિસ્થિતિ બનાવવાથી જંગલ રાજ ફેલાય છે. બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 18 જિલ્લાઓની 121 બેઠકો માટે 6 નવેમ્બરે મતદાન થશે. પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત: 2 ડિસેમ્બરે મતદાન, 3 ડિસેમ્બરે પરિણામ

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે મંગળવારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરી છે. આ ચૂંટણી માટે મતદાન 2 ડિસેમ્બર 2025એ અને ગણતરી 3 ડિસેમ્બર 2025એ યોજાશે. ચૂંટણી પંચે આ જાહેરાત એક ખાસ પત્રકાર પરિષદમાં કરી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ વખતે રાજ્યની 246 નગર પરિષદો અને 42 નગર પંચાયતો માટે મતદાન યોજાશે. આ ચૂંટણી દ્વારા 6,859 સભ્યો અને 288 અધ્યક્ષોની પસંદગી કરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ – નામાંકન ભરવાની છેલ્લી તારીખ: 17 નવેમ્બર 2025 – ચૂંટણી પ્રતીક ફાળવણી: 26 નવેમ્બર 2025 – મતદાન: 2 ડિસેમ્બર 2025 – ગણતરી: 3 ડિસેમ્બર 2025 વિભાગવાર ચૂંટણીની વિગતો – કોંકણ વિભાગ: 27 નગર પરિષદો – નાસિક વિભાગ: 49 નગર પરિષદો – છત્રપતિ સંભાજીનગર વિભાગ: 52 નગર પરિષદો – અમરાવતી વિભાગ: 45 નગર પરિષદો – નાગપુર વિભાગ: 55 નગર પરિષદો ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે, આ 246 નગર પરિષદોમાંથી 10 નવી નગર પરિષદો છે, જ્યારે 42 નગર પંચાયતોમાંથી 15 નવી છે. મતદારો અને મતદાન વ્યવસ્થા – કુલ મતદારો: અંદાજે 1.6 કરોડ (16 મિલિયન) – મતદાન મથકો: 13,155 – મતદાન પ્રણાલી: ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં 288 ચૂંટણી અધિકારીઓ અને 66,775 ચૂંટણી સ્ટાફ તૈનાત રહેશે. ચૂંટણી પંચની પારદર્શિતાનો દાવો ચૂંટણી પંચના રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેએ જણાવ્યું કે પંચે “નિષ્પક્ષ અને પારદર્શક” રીતે ચૂંટણી યોજવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચ કોઈના દબાણ હેઠળ કામ નથી કરતું. પંચે કહ્યું છે કે ડુપ્લિકેટ મતદારો અટકાવવા માટે નવી તકનીક વિકસાવવામાં આવી છે. જો કોઈ મતદાર પહેલેથી જ અન્ય મથક પર નોંધાયેલ હશે, તો તે સમયે “ડબલ-સ્ટાર એલર્ટ” દેખાશે. આ પછી મતદારની ઓળખ ચકાસીને લખિત ઘોષણા લેવામાં આવશે કે તે વ્યક્તિ ફરી મતદાન નહીં કરે. વિપક્ષના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો કે ચૂંટણી પંચ સરકારના દબાણ હેઠળ કાર્ય કરે છે. તેનો જવાબ આપતાં પંચે જણાવ્યું કે,“અમે કેન્દ્રીય ચૂંટણી પંચ પાસેથી મતદાર યાદી મેળવીએ છીએ અને તમામ ભૂલો સુધારવાની પ્રક્રિયા શરૂ કરી છે. વોર્ડ ખોટા હોય કે નામ ગાયબ હોય, દરેક મુદ્દાને સુધારવામાં આવશે.” મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી રાજ્યની રાજકીય હવા પર મહત્વપૂર્ણ અસર કરશે. નગર પરિષદો અને નગર પંચાયતોમાં કોણે જીત મેળવશે, તે માટે હવે આખા રાજ્યની નજર 2 અને 3 ડિસેમ્બર પર ટકી ગઈ છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in