PM મોદી–ટ્રમ્પ વચ્ચે 2025માં 8 વખત વાતચીત, અમેરિકી દાવાને ભારતે નકારી કાઢ્યો

ભારત સરકારે અમેરિકા સાથેના વેપાર કરારને લઈને અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકના નિવેદનને ખોટું અને ભ્રામક ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 2025 દરમિયાન કુલ આઠ વખત વાતચીત થઈ હતી, જ્યારે લુટનિકે દાવો કર્યો હતો કે વેપાર કરાર ન થવાનું કારણ મોદી દ્વારા ટ્રમ્પને ફોન ન કરવો હતું. ભારત સરકારે દાવાને નકારી કાઢ્યો વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારને લઈને બંને દેશો ઘણી વખત સમજૂતીની નજીક પહોંચ્યા હતા. આ સોદો પરસ્પર લાભદાયક હોવાનું ભારતે પુનઃવાર સ્પષ્ટ કર્યું છે. ભારતે અમેરિકાના આ દાવાને સાવ ખોટો ગણાવીને કહ્યું કે મોદી અને ટ્રમ્પ વચ્ચે નિયમિત સંવાદ રહ્યો છે. લુટનિકે શું કહ્યું હતું?…

પુણે: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન

પુણેના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા. મંગળવાર, 6 જાન્યુઆરીના રોજ વહેલી સવારે 3:30 વાગ્યે પુણેમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. સુરેશ કલમાડીના નશ્વર દેહને બપોરે 2:00 વાગ્યા સુધી પુણેના એરંડવાને સ્થિત કલમાડી હાઉસ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ સાંજે નવી પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સ વિવાદથી ચર્ચામાં સુરેશ કલમાડીનું નામ 2010માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સના આયોજન સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસને કારણે ખાસ ચર્ચામાં આવ્યું હતું. ગેમ્સના આયોજન અને કોન્ટ્રાક્ટ આપવામાં થયેલી નાણાકીય અનિયમિતતાઓના આરોપ હેઠળ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. લાંબી રાજકીય કારકિર્દી સુરેશ કલમાડીનો જન્મ 1 મે, 1944ના રોજ…

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોને ન્યૂયોર્ક કોર્ટમાં કરાયા રજૂ, ડ્રગ્સ અને હથિયાર હેરાફેરીનો કેસ

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને આજે અમેરિકાના ન્યૂયોર્ક શહેરની કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. તેઓ પર ડ્રગ્સ અને હથિયારની હેરાફેરી સાથે જોડાયેલા કેસની કાર્યવાહી થશે. આજે કોર્ટમાં રજૂઆત પહેલાં માદુરોને કડક સુરક્ષા સાથે અદાલત સુધી લાવવામાં આવ્યા. ન્યૂયોર્કના રસ્તાઓ પર સુરક્ષા વાહનોનો વિશાળ કાફલો જોવા મળ્યો, જેમાં DEA (Drug Enforcement Agency)ના અધિકારીઓ પણ રહેલા હતા. માહિતી અનુસાર, માદુરોને હેલિકોપ્ટર મારફતે અદાલત પાસે હેલિપેડ પર ઉતારવામાં આવ્યા, જ્યાંથી તરત જ એક વેનમાં બેસાડીને કોર્ટમાં લઇ જવામાં આવ્યા. ત્રણ દિવસ પહેલા, માદુરોને તેમની પત્ની સિલિયા ફ્લોરેસ સાથે વેનેઝુએલામાંથી પકડવામાં આવ્યા હતા. આ અદાલતી રજૂઆતથી સંબંધિત વધુ વિગતો અને કેસની આગળની કામગીરી અંગે કોર્ટ તરફથી અપડેટ આપવામાં આવશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER…

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, પથ્થરમારો કરીને બારીઓ તોડી

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસના ઓહાયો સ્થિત નિવાસસ્થાન પર હુમલો થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ અમેરિકાની રાજકીય સુરક્ષા વ્યવસ્થાને લઈને ચકચાર મચાવી છે. ન્યૂઝ અહેવાલ મુજબ એક શંકાસ્પદ વ્યક્તિ અચાનક વેંસના ઘરમાં ઘૂસી ગયો હતો અને તોડફોડ શરૂ કરી હતી. મળતી માહિતી પ્રમાણે હુમલાખોરે પથ્થરમારો કરીને ઘરની બારીઓ તોડી હતી. સદનસીબે આ સમયે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસ ઘરમાં હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે અને તેની કડક પૂછપરછ ચાલી રહી છે. હાલ તપાસ એજન્સીઓ એ બાબતની તપાસ કરી રહી છે કે હુમલો પાછળ શું કારણ હતું અને શું હુમલાખોરનો ઉદ્દેશ જે.ડી. વેંસ અથવા…

અમિત શાહે બંગાળ વિજય માટે કાર્યકરોને આપી બ્લૂપ્રિન્ટ: 5 મુખ્ય મુદ્દા અને બૂથ સ્તરે મજબૂત તૈયારી

આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પશ્ચિમ બંગાળમાં રાજનીતિ ગરમાઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં રાજ્યમાં ત્રણ દિવસનો પ્રવાસ કર્યો અને ભાજપના સંગઠન સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી. આ મુલાકાત માત્ર સામાન્ય કાર્યક્રમ નહીં, પરંતુ રાજ્યમાં સત્તા મેળવવા માટેની સંપૂર્ણ તૈયારી અને યોજના તરીકે જોવામાં આવી રહી છે. અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે, ભાજપનું લક્ષ્ય માત્ર વિજય મેળવવું નથી, પરંતુ 294 બેઠકોમાંથી લગભગ બે તૃતીયાંશનો હિસ્સો જીતવાનો છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને તેમણે કાર્યકરોને સ્પષ્ટ દિશા અને ચૂંટણી યોજના આપી. પાંચ મુદ્દાઓ પર આધારિત ચૂંટણી અભિયાન અમિત શાહે પાર્ટીના ચૂંટણી અભિયાનને પાંચ મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્રિત રાખવાનું નક્કી કર્યું છે: – ઘૂસણખોરી – રાજ્યની સુરક્ષા માટે ઘૂસણખોરીને મોટો ખતરો માનીને, BJP સત્તામાં આવ્યા પછી તેને નિવારવાનો સંકલ્પ.…

ગુજરાત ભાજપ સંગઠનની જાહેર કરાયેલ નવી ટીમની આવતીકાલે કમલમ ખાતે મહત્વની બેઠક

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂંક બાદ ભાજપ પ્રદેશ સંગઠનની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શનિવારે મોડી રાતે જાહેર કરાયેલી આ ટીમમાં મહામંત્રી, ઉપપ્રમુખ સહિત વિવિધ મહત્વના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. નવી ટીમની જાહેરાત બાદ આવતીકાલે સવારે 10 વાગ્યે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે મહત્વની બેઠક યોજાશે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રીઓ તેમજ વિવિધ મોરચાના પ્રદેશ આગેવાનો હાજર રહેશે. બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા, સંગઠનને વધુ મજબૂત બનાવવાની રણનીતિ તેમજ 2027માં આવનારી વિધાનસભાની ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ભાજપ પ્રદેશ સંગઠનના નવા હોદ્દેદારોની યાદી ભાજપ પ્રદેશ સંગઠનમાં ચાર મહામંત્રીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં – અનિરૂદ્ધ દવે (કચ્છ) – ડો. પ્રશાંત કોરાટ (રાજકોટ) – અજય બ્રહ્મભટ્ટ…

જગદીશ વિશ્વકર્માની ટીમની જાહેરાત: મહામંત્રી-અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં પાર્ટીમાં વ્યાપક સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે. 27 ડિસેમ્બર 2025ના રોજ જાહેર થયેલી નિમણૂક મુજબ મહામંત્રી, કોષાધ્યક્ષ, ઉપપ્રમુખ, મંત્રી અને વિવિધ મોરચાના પ્રમુખોની જવાબદારીઓ સોંપવામાં આવી છે. અગત્યની નવી નિમણૂકો: મહામંત્રી: કચ્છ – અનિરુદ્ધ દવે, સુરેન્દ્રનગર – હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજકોટ – ડો. પ્રશાંત કોરાટ, ખેડા – અજય બ્રહ્મભટ્ટ કોષાધ્યક્ષ: ડો. પરિન્દુ ભગત ઉપપ્રમુખ: અમદાવાદ – ભરત પંડ્યા કાર્યાલય મંત્રી: શ્રીનાથભાઈ શાહ મુખ્‍ય પ્રવક્તા: ડો. અનિલ પટેલ મીડિયા ઇન્ચાર્જ: ડો. પ્રશાંત વાળા   પાર્ટી સૂત્રો અનુસાર, આ નિમણૂકો આગામી ચૂંટણી અને સંગઠન મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. તમામ પદાધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની જવાબદારીઓ સંભાળવા સૂચના આપવામાં આવી છે, જેથી ભાજપ ગુજરાતમાં સંગઠનાત્મક ગતિ વધુ તેજ કરી શકે.…

ભારત સ્વાભાવિક રીતે હિન્દુ રાષ્ટ્ર છે, બંધારણીય મંજૂરીની જરૂર નથી : સંઘ વડા મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે જણાવ્યું છે કે ભારત સ્વાભાવિક રીતે એક હિન્દુ રાષ્ટ્ર છે અને આ હકીકતને માન્યતા આપવા માટે કોઈ બંધારણીય સુધારા કે મંજૂરીની જરૂર નથી. તેમણે આ નિવેદન RSSની 100મી વર્ષગાંઠ નિમિત્તે કોલકાતામાં આયોજિત “100 વ્યાખ્યાન શ્રેણી” કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું. ભાગવતે કહ્યું હતું, “જેમ સૂર્ય પૂર્વમાં ઉગે છે, શું તેને બંધારણીય મંજૂરીની જરૂર પડે? એ જ રીતે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને જ્યાં સુધી ભારતીય સંસ્કૃતિનું સન્માન થાય છે ત્યાં સુધી તે હિન્દુ રાષ્ટ્ર રહેશે.” તેમણે ઉમેર્યું કે સંસદ બંધારણમાં ‘હિન્દુ રાષ્ટ્ર’ શબ્દ ઉમેરે કે ન ઉમેરે, તેનાથી વાસ્તવિકતા બદલાતી નથી. RSS વડાએ સ્પષ્ટ કર્યું કે જે કોઈ વ્યક્તિ ભારતને પોતાની માતૃભૂમિ માને છે અને ભારતીય સંસ્કૃતિનું સન્માન કરે…

બંગાળ રાજકારણમાં નવી ચેતાવણી, હુમાયુ કબીરની નવી પાર્ટી 294 બેઠક માટે તૈયાર

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રાજકારણમાં સક્રિય ઘટના બની રહી છે. તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા દિગ્ગજ નેતા હુમાયુ કબીર મમતા બેનર્જી સામે ખુલ્લો પડકાર ફેંકતાં નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી ચૂક્યા છે. સોમવારે મુર્શિદાબાદમાં વિશાળ જનસભા યોજી તેઓ સત્તાવાર રીતે પક્ષનું લોન્ચિંગ કરશે. હુમાયુ કબીરનો દાવો છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ રાજ્યની તમામ ૨૯૪ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે. બાબરી મસ્જિદના પુનઃનિર્માણ અને તેના શ્રેય અંગે મમતા બેનર્જી સાથેના મતભેદ બાદ કબીરે પોતાની અલગ રાહ પસંદ કરી છે, જે ટીએમસી માટે ચિંતાનો વિષય બની શકે છે. નવી પાર્ટીના આગમન સાથે જ મુર્શિદાબાદમાં પોસ્ટર વોર શરૂ થઈ ગઈ છે. કબીરે ચૂંટણી પંચ પાસેથી ‘ટેબલ’ સહિત ત્રણ ચૂંટણી પ્રતીકોની માંગણી કરી છે. તેઓ દાવો કરે છે કે…

PM મોદીને મળ્યા બાદ રશિયન PM પુતિને પાકિસ્તાનના PMને કર્યા ઇગ્નોર, જાણો સમગ્ર વાત

તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્કાબાતમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિશ્વાસ મંચના ઉદ્ઘાટન પહેલા જ પાકિસ્તાન માટે ભારે ઘટના બની. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફને જાહેર રીતે અવગણતા ઇગ્નોર કર્યા. આ મંચમાં રશિયા, તુર્કી, ઈરાન, પાકિસ્તાન અને અન્ય ઘણા દેશોના વડાઓ હાજર રહ્યા હતા. શહબાઝ શરીફની હાસ્યસ્પદ સ્થિતિ મંચ પર લેવામાં આવેલ ગ્રુપ ફોટોમાં જોવા મળે છે કે પુતિન સીધા શહબાઝ શરીફના આગળ ઊભા થઈ ગયા. શહબાઝ હળવી સ્મિત સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ પુતિન તેમને અવગણતા આગળ ઊભા રહ્યા. વિડિયોમાં શહબાઝના ચહેરા પરની શરમ્યુક્ત ભાવનાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ ઘટના સોશિયલ મીડિયા પર તરંગો ઊભા કરી રહી છે. આંતરરાષ્ટ્રીય નેતાઓનું હાજર જથ્થું આ ફોરમમાં હાજર હતા: – રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન –…