PM મોદી–ટ્રમ્પ વચ્ચે 2025માં 8 વખત વાતચીત, અમેરિકી દાવાને ભારતે નકારી કાઢ્યો

ભારત સરકારે અમેરિકા સાથેના વેપાર કરારને લઈને અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકના નિવેદનને ખોટું અને ભ્રામક ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 2025 દરમિયાન કુલ આઠ વખત વાતચીત થઈ હતી, જ્યારે લુટનિકે દાવો કર્યો હતો કે વેપાર કરાર ન થવાનું કારણ મોદી દ્વારા ટ્રમ્પને ફોન ન કરવો હતું.

ભારત સરકારે દાવાને નકારી કાઢ્યો
વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારને લઈને બંને દેશો ઘણી વખત સમજૂતીની નજીક પહોંચ્યા હતા. આ સોદો પરસ્પર લાભદાયક હોવાનું ભારતે પુનઃવાર સ્પષ્ટ કર્યું છે. ભારતે અમેરિકાના આ દાવાને સાવ ખોટો ગણાવીને કહ્યું કે મોદી અને ટ્રમ્પ વચ્ચે નિયમિત સંવાદ રહ્યો છે.

લુટનિકે શું કહ્યું હતું?
યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે એક પોડકાસ્ટમાં દાવો કર્યો હતો કે તેમણે ભારતને વેપાર કરાર અંતિમ કરવા માટે ટ્રમ્પને ફોન કરવા વિનંતી કરી હતી. પરંતુ ભારતે તેમાં અસહજતા અનુભવી અને મોદીએ ફોન કર્યો નહોતો. લુટનિકે કહ્યું કે અમેરિકા ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને વિયેતનામ સાથે વેપાર કરારો કરી ચૂકી છે. લુટનિકે વધુમાં જણાવ્યું કે “આ દેશો સાથે કરાયેલા કરારો ઊંચા દરે થયા કારણ કે માનવામાં આવતું હતું કે ભારત પહેલા કરાર પૂર્ણ કરશે. પરંતુ એવું ન થતાં, પછી ભારતે સંપર્ક કર્યો ત્યારે સ્થિતિ બદલાઈ ગઈ હતી.”

વેપાર વાટાઘાટોની હાલની સ્થિતિ
– ભારત અને અમેરિકા વચ્ચે અત્યાર સુધી વેપાર વાટાઘાટોના 6 રાઉન્ડ થઈ ચૂક્યા છે
– કરારમાં યુએસમાં ભારતીય માલ પર લગાવાયેલા 50 ટકા ટેરિફ અંગે ઉકેલ લાવવાનો સમાવેશ થાય છે
– એક ફ્રેમવર્ક કરાર પર ચર્ચા ચાલી રહી છે

કોંગ્રેસનો સરકાર પર હુમલો
આ મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકારની વિદેશ નીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જયરામ રમેશે લુટનિકનો વીડિયો શેર કરીને કટાક્ષ કરતા લખ્યું “હગ હગ ન રહા, પોસ્ટ પોસ્ટ ન રહા, ક્યાં સે ક્યાં હો ગયા બેવફા તેરી દોસ્તી મેં” પવન ખેરાએ કહ્યું “આ સરકારની મૂર્ખતાપૂર્ણ વિદેશ નીતિની કિંમત દેશ ચૂકવી રહ્યો છે. ટ્રમ્પ દરરોજ ભારતનું અપમાન કરે છે, પરંતુ મોદી અને ભાજપ ચૂપ છે.”

ભારત સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમેરિકા સાથે સંવાદ સતત ચાલ્યો છે અને કોઈપણ પ્રકારના ભ્રામક દાવા સ્વીકાર્ય નથી. વેપાર કરાર મુદ્દે ભારત પોતાના રાષ્ટ્રીય હિતને સર્વોચ્ચ રાખીને આગળ વધશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યપાલ દ્વારા 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ સત્ર આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. ત્રણ દિવસ ચાલનારા આ સત્રમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી કામકાજ, વિધેયકો અને મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવશે, જ્યારે વિપક્ષ પણ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને સરકારને ઘેરવાની તૈયારીમાં છે. વિધાનસભાનું સત્ર રાજ્યના વહીવટી અને રાજકીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન ધારાસભ્યોને પોતાના મતવિસ્તાર સાથે જોડાયેલા પ્રશ્નો, સમસ્યાઓ અને સૂચનો રજૂ કરવાની તક મળે છે. સત્ર દરમિયાન રાજ્યના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ તેમજ જનતાને અસર કરતા પ્રશ્નો પર ચર્ચા થવાની શક્યતા છે. ગુજરાત વિધાનસભાના રાજ્યપાલે કર્યું સત્રનું આહ્વાન ગુજરાત વિધાનસભાના આઠમા સત્ર માટે રાજ્યપાલ દ્વારા…

સોનું ફરી મોંઘું થયું, ચાંદી ₹2.18 લાખને પાર: ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ ભાવ

ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા રાજકીય અને આર્થિક ઘટનાક્રમ વચ્ચે રોકાણકારોનું ધ્યાન ફરીથી સુરક્ષિત રોકાણ તરીકે ગણાતા સોના તરફ વળ્યું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મજબૂત વધારો નોંધાયો છે અને વાયદા બજારમાં ચાંદીનો ભાવ ₹2.18 લાખ પ્રતિ કિલોના સ્તરને પાર કરી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રસ્તાવિત સૈન્ય કાર્યવાહી હાલ માટે અટકાવવાના સંકેત આપ્યા બાદ અને બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીતની શક્યતા વધતા વૈશ્વિક બજારોમાં હલચલ જોવા મળી હતી. જોકે, આ ઘટનાક્રમની અસર વચ્ચે પણ ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ મજબૂત રહ્યા છે. વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભાવમાં તેજી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થવાની આશાએ આંતરરાષ્ટ્રીય…