ગાઝામાં શાંતિ સ્થાપવા પાકિસ્તાની સૈનિકો જશે? અમેરિકાએ કહ્યું ‘પાકિસ્તાનનો ખૂબ આભાર’
ગાઝામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને શાંત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નવી કવાયત શરૂ થઈ છે. મીડિયા અહેવાલો મુજબ, અમેરિકા દ્વારા પ્રસ્તાવિત International Stabilization Forceમાં પાકિસ્તાન પોતાની ભૂમિકા ભજવવા તૈયાર હોવાનું સંકેત મળ્યું છે. આ મુદ્દે અમેરિકી અધિકારીઓએ જાહેર રીતે પાકિસ્તાનનો આભાર વ્યક્ત કર્યો હોવાનું જણાવાય છે. અમેરિકાના એક ઉચ્ચ સ્તરીય નિવેદન અનુસાર, ગાઝામાં યુદ્ધવિરામ બાદ સ્થિરતા જાળવવા માટે એવા દેશોની જરૂર છે જે બંને પક્ષોને સ્વીકાર્ય હોય. આ સંદર્ભમાં પાકિસ્તાનનું નામ મહત્વપૂર્ણ રીતે સામે આવ્યું છે. ટ્રમ્પની ‘બોર્ડ ઓફ પીસ’ યોજના શું છે? અહેવાલો મુજબ, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ ગાઝામાં યુદ્ધ બાદની સ્થિતિ સંભાળવા માટે ‘બોર્ડ ઓફ પીસ’ નામની એક સંભવિત વ્યવસ્થા પર વિચાર કરી રહી છે. આ યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય શાંતિ દળ બનાવવાનો…
ડ્યુરન્ડ લાઇન પર પાકિસ્તાન–અફઘાનિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ, સરહદે ગોળીબારથી લોકોમાં ગભરાટ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ડ્યુરન્ડ લાઇન પર ફરી તણાવ વધ્યો છે. કંદહાર પ્રાંતના સ્પિન બોલ્ડક વિસ્તારમાં બંને દેશોની સેના વચ્ચે ભારે ગોળીબાર અને મોર્ટાર હુમલા થયા. અચાનક થયેલી અથડામણને કારણે સરહદી ગામોના લોકો પોતાના ઘર-પરિવારને છોડીને અન્યત્ર ભાગ્યા છે. આ ઘટના બે દિવસ પહેલાં થયેલી શાંતિ વાર્તા નિષ્ફળ થયા બાદ બની છે. એકબીજા પર આક્ષેપોની બરસાત અફઘાન બોર્ડર પોલીસના પ્રવક્તા અબ્દુલ્લા ફારૂકીએ જણાવ્યું કે ગોળીબારની શરૂઆત પાકિસ્તાન તરફથી થઈ હતી. જ્યારે પાકિસ્તાની સેનાનું કહેવું છે કે પ્રથમ હુમલો અફઘાન સેનાએ કર્યો. ત્યારબાદ બંને તરફથી ગ્રેનેડ, રોકેટ અને શેલ છોડવામાં આવ્યા, જેમાથી નાગરિક વિસ્તારોમાં ભારે નુકસાન થયું અને લોકો રાતોરાત ઘર છોડીને ભાગી ગયા. ડ્યુરન્ડ લાઇનનો જુનો વિવાદ ફરી ચગ્યો ડ્યુરન્ડ લાઇન વર્ષોથી વિવાદનું કેન્દ્ર રહી છે.…
પાકિસ્તાન : હૈદરાબાદમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 6ના મોત અને 23 ઘાયલ
હૈદરાબાદના લતિફાબાદ વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં મોડી રાતે જોરદાર વિસ્ફોટ થયો, જેમાં ઓછામાં ઓછા 6 લોકોના કરૂણ મોત થયા અને 23 ઘાયલ થયા છે. આ ફેક્ટરી લઘારી ગોથ નદીના કિનારે લતીફાબાદ પોલીસ સ્ટેશનની બી-સેક્શનની હદમાં ચલાવવામાં આવી રહી હતી, અને કોઈ લાયસન્સ નહોતું. વિસ્ફોટ બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક લિયાકત યુનિવર્સિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોના જણાવ્યા મુજબ બે લોકોની હાલત અત્યંત ગંભીર છે, જેઓના શરીર પર લગભગ 100 ટકા દાઝાના ઘા છે. મેડિકો-લીગલ અધિકારીએ બે અજાણ્યા પુરુષોના મૃતદેહ પણ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની અને બચાવ કામગીરી શરૂ કરી છે. હૈદરાબાદના SSP અદીલ ચંડીયોનું કહેવું છે કે ફેક્ટરીના માલિકની ઓળખ માટે તપાસ ચાલુ છે. સિંધના ગૃહમંત્રી…
ISIનું ગુપ્ત યુનિટ S1: મુખ્ય મથક ઇસ્લામાબાદમાં, ડ્રગ મની દ્વારા આતંકવાદને ભંડોળ પૂરું પાડ્યું
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI નું ગુપ્ત યુનિટ S1, ભારતમાં આતંકવાદી હુમલાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. આ યુનિટ 1993 ના મુંબઈ બોમ્બ વિસ્ફોટ સહિત અનેક હુમલાઓમાં સામેલ રહ્યું છે. S1 નું મુખ્ય મથક ઇસ્લામાબાદમાં છે અને તે ડ્રગ મની દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ મેળવે છે. આ યુનિટ છેલ્લા 25 વર્ષથી સક્રિય છે અને વિવિધ આતંકવાદી સંગઠનોને તાલીમ આપે છે, પરંતુ તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. અહેવાલ અનુસાર, S1 એટલે “સબવર્ઝન 1” અને પાકિસ્તાનમાં સરહદ પાર આતંકવાદ પાછળ મુખ્ય બળ તરીકે કાર્યરત છે. યુનિટનું નેતૃત્વ પાકિસ્તાની સેનામાંના એક કર્નલ કરે છે, જ્યારે બે વરિષ્ઠ અધિકારીઓ કોડનેમ ગાઝી1 અને ગાઝી2 સક્રિય કામગીરીનું નિરીક્ષણ કરે છે. S1 યુનિટના સભ્યો બોમ્બ અને IED બનાવવામાં નિષ્ણાત છે અને વિવિધ…
પાકિસ્તાન : પરમાણુ બટનથી લઈને તમામ નિર્ણય હવે સેનાના હાથમાં?, અસીમ મુનીર બનશે પાકિસ્તાનના “સુપર પીએમ”
પાકિસ્તાનમાં સૈન્યને વધુ શક્તિ આપવાનો એક ઐતિહાસિક અને વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. શાહબાઝ શરીફ સરકાર પાકિસ્તાનના બંધારણમાં 27મો સુધારો (27th Constitutional Amendment) રજૂ કરવાની તૈયારીમાં છે, જેના કારણે આર્મી ચીફ અસીમ મુનીરને દેશનો પ્રથમ “ફિલ્ડ માર્શલ” બનાવવામાં આવશે અને તેમને અમર્યાદિત સત્તાઓ મળશે. આ સુધારો પસાર થયા બાદ, પાકિસ્તાનમાં સૈન્યને પરમાણુ હુમલા સહિતના તમામ વ્યૂહાત્મક અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત નિર્ણયોમાં અંતિમ શબ્દ મળશે એટલે કે, પરમાણુ બટનથી લઈને નીતિ નિર્ણય સુધી સૈન્યનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. ફિલ્ડ માર્શલ પદથી શરૂ થશે “નવો પાકિસ્તાન” સૂત્રો અનુસાર, આ સુધારો 7 નવેમ્બરે સેનેટમાં રજૂ થવાનો છે, અને તે ટૂંક સમયમાં પસાર થવાની શક્યતા છે. નવી જોગવાઈઓ અનુસાર ફિલ્ડ માર્શલ નામનું નવું બંધારણીય પદ બનાવવામાં આવશે, જેનો કાર્યકાળ રાષ્ટ્રપતિ…
ઇસ્તંબુલમાં મુસ્લિમ દેશોની મહત્વપૂર્ણ બેઠક: ગાઝા યુદ્ધવિરામ અને યુદ્ધ પછીના માળખા પર ચર્ચા
વિશ્વના મુખ્ય મુસ્લિમ દેશોના વિદેશ પ્રધાનો ગાઝાની હાલત અને યુદ્ધવિરામ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તુર્કીના ઇસ્તંબુલમાં એક મહત્વપૂર્ણ બેઠક માટે એકત્ર થયા. બેઠકમાં ગાઝામાં ચાલતા હુમલાઓ, શાંતિ પ્રક્રિયામાં વિલંબ, અને યુદ્ધ પછીના શાસન માળખા પર ચર્ચા થઈ. ગાઝામાં સતત હુમલાઓ પર ચિંતા:- બેઠકમાં તુર્કી, કતાર, સાઉદી અરેબિયા, યુએઈ, જોર્ડન, પાકિસ્તાનઅને ઇન્ડોનેશિયાના વિદેશ પ્રધાનો હાજર રહ્યા. યુદ્ધવિરામ છતાં ગાઝામાં ચાલુ હુમલાઓ અને માનવીય પરિસ્થિતિના સુધારામાં વિલંબ અંગે બધા દેશોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી.તુર્કીના વિદેશ પ્રધાન હકાન ફિદાનેજણાવ્યું કે, “અમે ગાઝામાં યુદ્ધ પછી એવું માળખું જોઈશું જેમાં પેલેસ્ટિનિયનો પોતાનું શાસન ચલાવી શકે અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકે.” તુર્કી તરફથી હમાસના સત્તા છોડવાની સંમતિ:- તુર્કીએ જાહેરાત કરી કે હમાસે સત્તા છોડવા માટે સંમતિ આપી છે. આ પગલાને મુસ્લિમ…
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મુનીરની સેના પર હુમલો, IED બ્લાસ્ટમાં એક કેપ્ટન સહિત છ સૈનિકોના મોત
પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પાકિસ્તાની સેનાને નિશાન બનાવીને વધુ એક હુમલો થયો છે. બુધવારે સુરક્ષા દળોના કાફલાને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો IED વિસ્ફોટ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં એક કેપ્ટન સહિત છ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. સેનાની મીડિયા વિંગ, ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ આ હુમલાની માહિતી આપી છે. પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલો અફઘાનિસ્તાનની સરહદે આવેલા અશાંત કુર્રમ આદિવાસી જિલ્લાના સુલતાની વિસ્તારમાં થયો હતો. આ હુમલા બાદ ગોળીબાર થયો હતો જેમાં સાત આતંકવાદીઓ માર્યા ગયા હતા. IED વિસ્ફોટથી પણ નોંધપાત્ર નુકસાન થયું હતું. પોલીસ સ્ટેશન પર હુમલો થયો નોંધનીય છે કે તાજેતરમાં જ ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ એક પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મીનું…
વાટાઘાટો નિષ્ફળ! પાક-અફઘાન તણાવ ચરમસીમાએ, ખ્વાજા આસિફના યુદ્ધ સંકેતથી ચકચાર
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો આખરે નિષ્ફળ નીવડી છે. બંને દેશોના સરકારી માધ્યમોએ વાટાઘાટો તૂટી પડવા માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા છે. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા મુજબ, કાબુલ સરકારે પાકિસ્તાનની “કાયદેસર માંગણીઓ” સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે વાટાઘાટો અટકી ગઈ છે. પાકિસ્તાનની મુખ્ય માંગણીઓ પાકિસ્તાને અફઘાનિસ્તાન પાસે સ્પષ્ટ ખાતરી માંગી હતી કે તેની જમીનનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદી હુમલાઓ માટે નહીં કરવામાં આવે. પાકિસ્તાની રક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં રહેલી તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ની પ્રવૃત્તિઓ સતત વધતી જઈ રહી છે, જેના કારણે સરહદી વિસ્તારોમાં અશાંતિ વધી રહી છે. અફઘાનિસ્તાને તેના પ્રતિભાવમાં જણાવ્યું કે તેની ટીમ રચનાત્મક વાટાઘાટો માટે પ્રતિબદ્ધ હતી, પરંતુ પાકિસ્તાની પક્ષે હઠીલો વલણ અપનાવ્યું. ખ્વાજા આસિફનું વિવાદાસ્પદ નિવેદન વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ…
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા, જાણો કોણે કરી મધ્યસ્થા
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે. કતારના દોહામાં યોજાયેલી વાટાઘાટો દરમિયાન, બંને દેશો તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. આ યુદ્ધવિરામ તુર્કીની મધ્યસ્થી દ્વારા કરવામાં આવ્યો હતો. કતારે જણાવ્યું હતું કે બંને પક્ષો આગામી દિવસોમાં વધુ બેઠકો યોજવા સંમત થયા છે જેથી યુદ્ધવિરામ ટકાઉ અને યોગ્ય રીતે અમલમાં આવે. પાકિસ્તન અને અફઘાન વચ્ચે સરહદી તણાવ બાદ શાંતિ મંત્રણા કરવાં આવી હતી. આ તણાવમાં બંને દેશના અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. 2021 માં તાલિબાન સત્તામાં આવ્યા પછી આ બંને દેશો વચ્ચેનો સૌથી ગંભીર મામલો બન્યો હતો. મળતી માહિતી મુજબ, અફઘાન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંરક્ષણ પ્રધાન મુલ્લા મુહમ્મદ યાકુબે કર્યું હતું, જ્યારે પાકિસ્તાન વતી સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાલિબાનના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં ભાગ લીધો હતો. અનેક વખત…
















