ભારતનો પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારો: લોકસભામાં ‘શાંતિ બિલ, 2025’ રજૂ

ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં વ્યાપક પરિવર્તન લાવવાના હેતુથી કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (Shanti) બિલ, 2025 રજૂ કર્યું. આ બિલ દ્વારા પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં લાંબા સમયથી ચાલતા સરકારી એકાધિકારને સમાપ્ત કરી ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે માર્ગ ખુલ્લો મૂકવાનો પ્રસ્તાવ છે. જો સંસદના બંને ગૃહોમાંથી આ બિલ પસાર થાય, તો પરમાણુ ઉર્જા અધિનિયમ, ૧૯૬૨ અને નાગરિક પરમાણુ ક્ષતિ જવાબદારી અધિનિયમ, ૨૦૧૦ જેવા બે મુખ્ય કાયદાઓ રદ કરવામાં આવશે, જે અત્યાર સુધી ખાનગી અને વિદેશી રોકાણ માટે અવરોધરૂપ ગણાતા હતા. ‘શાંતિ બિલ, 2025’ની મુખ્ય જોગવાઈઓ – ખાનગી ક્ષેત્રને મંજૂરી: હવે ભારતીય ખાનગી કંપનીઓને પરમાણુ ઉર્જા પ્લાન્ટ અને રિએક્ટરનું નિર્માણ, માલિકી, સંચાલન તથા નિષ્ક્રિયકરણ (decommissioning) માટે લાઇસન્સ માટે અરજી કરવાની…

ચીનને ટક્કર આપવા ભારતની મોટી ચાલ: મોદી સરકારે ₹7,280 કરોડની રેર અર્થ મેગ્નેટ યોજના મંજૂર કરી

ચીનના રેર અર્થ નિકાસ પ્રતિબંધો વચ્ચે ભારતે આત્મનિર્ભરતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રિય કેબિનેટે ₹7,280 કરોડના ખર્ચે “રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ (REPM) મેન્યુફેક્ચરિંગ સ્કીમ”ને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત પહેલીવાર દેશમાં 6,000 MTPA ક્ષમતાનો પૂર્ણ REPM ઉત્પાદન ઈકોસિસ્ટમ ઉભો કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ સ્કીમનો મુખ્ય હેતુ ભારતને ઇલેક્ટ્રિક વાહનો, નવીનીકરણીય ઉર્જા, એરોસ્પેસ અને ડિફેન્સ જેવા સ્ટ્રેટેજિક ક્ષેત્રોમાં ટેકનોલોજીકલ રીતે સ્વનિર્ભર બનાવવાનો છે. રેર અર્થ મેગ્નેટ શા માટે મહત્વપૂર્ણ છે? રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ વિશ્વના સૌથી શક્તિશાળી મેગ્નેટ છે. એનો ઉપયોગ મોટા પાયે કરવામાં આવે છે: – ઇલેક્ટ્રિક વાહનોમાં – સોલાર અને પવન ઊર્જા ટેકનોલોજીમાં – સ્માર્ટફોન, લેપટોપ જેવા કન્સ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં –…