Navsari  : કચરાપેટીમાંથી વાત્સલ્યના ખોળા સુધી માસૂમ બાળકીની સફર, Navsariમાં નવજાતને મળ્યો નવો પરિવાર Triumph of Humanity 2026

રિપોર્ટર: રશીદ ભાણા, Navsari  કચરાપેટીમાંથી વાત્સલ્યના ખોળા સુધી માસૂમ બાળકીની સફર, Navsariમાં નવજાતને મળ્યો નવો પરિવાર Navsari: Navsari રેલવે પરિસરની કચરાપેટીમાંથી બિનવારસી હાલતમાં મળી આવેલી એક માસૂમ નવજાત બાળકીના જીવનમાં હવે એક નવો અને આશાસ્પદ વળાંક આવ્યો છે. જન્મના માત્ર બે દિવસ બાદ કચરાપેટીમાંથી મળી આવેલી આ બાળકી હવે નવા માતા-પિતાના સ્નેહ અને વાત્સલ્યભર્યા ખોળામાં પહોંચી છે. નવસારી જિલ્લા વહીવટીતંત્રના સંવેદનશીલ પ્રયાસો અને કાયદાકીય પ્રક્રિયાના સફળ અમલીકરણ બાદ બાળકીને દત્તક ઇચ્છુક દંપતીને ‘પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર’ હેઠળ સોંપવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન બાળકીના હિત અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હતી. બાળ કલ્યાણ સમિતિ, સ્પેશિયલ એડોપ્શન એજન્સી અને સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (CARA)ના માધ્યમથી જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. -> રેલવે પરિસરની કચરાપેટીમાંથી…