નવરાત્રી દરમિયાન જ આ કલાકારોના ગરબામાં GSTના દરોડા, આયોજકોમાં ફફડાટ
એક તરફ નવરાત્રી હવે પૂર્ણ થવાના આરે છે. બીજી તરફ નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન પણ જોવા મળ્યું છે. આ દરમિયાન કોમર્શિયલ ગરબામાં બેફામ વેચાતા પાસને લઇ GST વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે. સુરત અને અમદાવાદ સહિત 10 જગ્યાઑ પર GST વિભાગે દરોડા પાડયા છે. GSTના દરોડાથી આયોજકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યના GST વિભાગે અમદાવાદ સાથે સુરતની સુવર્ણ નવરાત્રિમાં દરોડા પાડયા છે. અમદાવાદમાં આદિત્ય ગઢવી અને જીગરદાન ગઢવી સાથે પૂર્વા મંત્રીના ગરબામાં દરોડા પડ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. નવરાત્રી દરમિયાન ગરબા આયોજકો દ્વારા નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવ લેવામાં આવતા હોવાની વિગતો ને લઈ GST વિભાગે દરોડા પાડયા હોવાની માહિતી મળી રહી છે. GST વિભાગ દ્વારા આયોજકો પાસેથી પાસના વેચાણ, આવક અને…
અમદાવાદમાં ખેલૈયા માટે ખુશ ખબર, હવે રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો
નવરાત્રી દરમિયાન ખેલૈયાઑ ગરબે ઝૂમવા માટે નીકળી પડે છે અને આ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સતત જોવા મળે છે. બીજી તરફ રાત્રે વાહનોનું ભાડું પણ ખૂબ મોંઘું થઈ જાય છે. આ દરમિયાન ખેલૈયા માટે મેટ્રોએ મહત્વનો નિર્ણય લીધો છે. નવરાત્રિ દરમિયાન મોડી રાત સુધી મેટ્રો દોડાવવનો નિર્ણય લેવામાં આવ્યો છે. 26 સપ્ટેમ્બરથી અમદાવાદ શહેરમાં નવરાત્રિ દરમિયાન રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે . આ નિર્ણય ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પણ રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. આ નિર્ણયથી ખેલૈયાવન મોટી રાહત મળશે. આ સાથે મસમોટા વાહન ભાડા અને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. ખેલૈયાઓમાં ખુશીનો માહોલ રાત્રે 11 વાગ્યાના બદલે મોડી રાત એટલેબે-ત્રણ વાગ્યાસુધી મેટ્રોરેલ, AMTS…
ચૈત્ર નવરાત્રી 2025: નવરાત્રી દરમિયાન આપણે લસણ અને ડુંગળી કેમ નથી ખાતા, અહીં જાણો કારણ
હિન્દુ ધર્મમાં નવરાત્રીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ તહેવાર વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે, જેમાં 2 પ્રગટ નવરાત્રી એટલે કે ચૈત્ર અને શારદીયા અને બાકીની 2 ગુપ્ત નવરાત્રી હોય છે. આ સમય દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન 9 દિવસના ઉપવાસ રાખનારા લોકો ફક્ત ઉપવાસ દરમિયાન ખાવામાં આવેલા ફળો અથવા અનાજ ખાય છે. આ સમય દરમિયાન, ઘરે ડુંગળી અને લસણ રાંધવામાં આવતા નથી. નવરાત્રી દરમિયાન ઉપવાસ ન કરનારાઓ પણ માંસાહારી ખોરાક ખાતા નથી. આ પાછળનું કારણ શું છે નવરાત્રી દરમિયાન આપણે લસણ અને ડુંગળી કેમ નથી ખાતા? :- એવું માનવામાં આવે છે કે લસણ અને ડુંગળીમાં તામસિક ગુણ હોય છે, જેના કારણે ઉપવાસ દરમિયાન તેનું સેવન પ્રતિબંધિત છે. આનું સેવન…










