ડુંગળીના ભાવ વધતા સરકારનો મોટો પ્લાન! બફર સ્ટોક બહાર આવશે, નાશિકથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ 88 હજાર ટન ડુંગળી પહોંચાડાઈ
દેશમાં ડુંગળીના ભાવમાં વધારો થતાં સામાન્ય ગ્રાહકોની ચિંતા વધી છે. ખાસ કરીને દિલ્હી, ચેન્નાઈ, કોચી અને ગુવાહાટી સહિતના શહેરોમાં ડુંગળીના ભાવમાં વધારો નોંધાતા કેન્દ્ર સરકારે બજારમાં હસ્તક્ષેપ કરવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે દેશમાં ડુંગળીની અછત નથી, પરંતુ મોસમી પરિબળો અને પુરવઠા વ્યવસ્થાને કારણે કેટલાક વિસ્તારોમાં ભાવમાં વધારો થયો છે. ભાવને નિયંત્રણમાં રાખવા માટે હવે બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં ઉતારવામાં આવશે. આ ઉપરાંત નાશિકથી દેશના મોટા શહેરો સુધી ડુંગળી પહોંચાડવા માટે રેલવે રેકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વ્યવસ્થાને ‘કાંદા એક્સપ્રેસ’ તરીકે ઓળખવામાં આવી રહી છે. એક મહિનામાં ડુંગળીના ભાવમાં વધારો છેલ્લા કેટલાક સમયથી ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક શહેરોના છૂટક બજારોમાં ડુંગળીનો ભાવ ₹60થી ₹65 પ્રતિ કિલો સુધી…







