ધારાસભ્યોના ભથ્થાં અને સુવિધાઓમાં વધારાની ચર્ચા ફરી શરૂ, જાણો વિગત

રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યોને મળતી સુવિધાઓ અને ભથ્થાંમાં વધારો કરવાની દિશામાં ફરી એકવાર પ્રક્રિયા શરૂ થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હાલ પહેલેથી જ ઓછા ખર્ચે વિવિધ હાઈફાઈ સુવિધાઓનો લાભ લેતા ધારાસભ્યોને વધુ સસ્તી અને વધારાની સુવિધાઓ આપવાની વિચારણા ચાલી રહી હોવાની માહિતી સામે આવી છે, જેનાથી રાજ્યની જનતા પર વધારાનો આર્થિક બોજ પડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. વિધાનસભામાં ધારાસભ્યોના ભથ્થાં અને સુવિધાઓની સમીક્ષા કરવા માટે રચાયેલી સમિતિની તાજેતરમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેલવે તથા હવાઈ મુસાફરી માટે મળતા ભથ્થાંમાં વધારો કરવાની સંભાવનાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે ધારાસભ્યોના કાર્યાલય ખર્ચ તેમજ મતવિસ્તાર વિકાસ માટે મળતા ભથ્થાં વધારવા અંગે પણ ચર્ચા થઈ હતી. સમિતિ દ્વારા…

NCP અજિત પવાર જૂથના ધારાસભ્ય દળની કાલે બેઠક, નેતા તરીકે ચૂંટાઈ શકે છે સુનેત્રા પવાર

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન બાદ, NCP અજિત પવાર જૂથના આગામી નેતા અંગે અટકળો ચાલુ છે. એવી અટકળો કરવામાં આવી રહી છે કે સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે અજિત પવારનું સ્થાન લઈ શકે છે. જોકે, NCP નેતાઓ આ બાબતે સ્પષ્ટ ટિપ્પણી કરવાનું ટાળી રહ્યા છે, તેઓ કહે છે કે તેઓ સુનેત્રાને સમય આપશે. NCP નેતાઓનું કહેવું છે કે આગામી દિવસોમાં તેમની સાથે વાત કર્યા પછી જ નિર્ણય લેવામાં આવશે. અજિત પવાર જૂથના NCP ધારાસભ્યોની બેઠક શનિવારે (30 જાન્યુઆરી) યોજાશે. આ બેઠકમાં સુનેત્રા પવારને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવી શકે છે. વિધાનસભા પક્ષની બેઠક આવતીકાલે બોલાવવામાં આવી છે. પ્રફુલ્લ પટેલે શું કહ્યું? એનસીપીના નેતાઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને તેમના મુંબઈ સ્થિત નિવાસસ્થાને મળ્યા. બેઠક…

Kheda : નડીયાદ ખાતે ધોલેરાધામના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયો દિવ્યાંગ સેવાનો કાર્યક્રમ, મંત્રી સહિત ધારાસભ્યો પણ રહ્યા ઉપસ્થિત

પ્રતિક ભટ્ટ, ખેડા/ નડીયાદ ખાતે સ્વામિનારાયણ મંદિર ધોલેરાધામના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે, ‘સ્વામિનારાયણ ગોકુલધામ નાર’ દ્વારા આયોજિત દિવ્યાંગ સેવાનો કાર્યક્રમમાં યોજાયો. આ કાર્યક્રમની શરૂઆત સ્વામિનારાયણ મંદિર ના સંતો અને ધારાસભ્યોએ દીપ પ્રગટાવીને આ કાર્યક્રમ ની શરૂઆત કરી હતી. નિઃશુલ્ક અધ્યતન કૃત્રિમ હાથ-પગ અર્પણ કરાયા સત્સંગ પાર્ટી પ્લોટ (પીજ રોડ, નડિયાદ) ખાતે પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી જરૂરિયાતમંદોને નિઃશુલ્ક અધ્યતન કૃત્રિમ હાથ-પગ (Hi-Tech Prosthetic Limbs) અર્પણ કરવામાં આવ્યો. મંત્રી સહિત ધારાસભ્યો પણ રહ્યા ઉપસ્થિત આ દિવ્ય પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહજી ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહુધા ધારાસભ્ય અને રાજ્યકક્ષા મંત્રી સંજયસિંહ મહિડા, ખેડા કલેક્ટર સહિતના અનેક રાજકીય મહાનુભાવો અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER :…

UP: BJPના MLA શ્યામ બિહારી લાલનું હાર્ટ એટેકથી મોત, ગઈકાલે જ ઉજવ્યો હતો જન્મદિવસ

ઉત્તર પ્રદેશથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે. રાજ્યના બરેલી જિલ્લાના ફરીદપુરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ડૉ. શ્યામ બિહારી લાલનું નિધન થયું છે. અહેવાલો અનુસાર, ધારાસભ્ય શ્યામ બિહારી લાલને શુક્રવારે હાર્ટ એટેક આવ્યો અને તેમનું મેડિસિટીમાં અવસાન થયું. બરેલીના ભાજપના ધારાસભ્ય ડૉ. શ્યામ બિહારી લાલનું આજે નિધન થયું. મહાત્મા જ્યોતિબા ફૂલે રોહિલખંડ યુનિવર્સિટીના પ્રોફેસર અને ફરીદપુર વિધાનસભા મતવિસ્તારના બીજા કાર્યકાળના ભાજપ ધારાસભ્ય શ્યામ બિહારી લાલ બરેલીના સર્કિટ હાઉસમાં અચાનક બીમાર પડી ગયા. તેમણે છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરી અને તેમને તાત્કાલિક બરેલીની મેડિસિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પશુધન મંત્રી ધર્મપાલ સિંહ આજે બપોરે સર્કિટ હાઉસ પહોંચ્યા હતા અને એક બેઠક ચાલી રહી હતી. ધારાસભ્ય શ્યામ…

દેશની 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ફોજદારી કેસ, ADR રિપોર્ટમાં દાવો

દેશભરમાં 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જ્યારે 17 ટકા મહિલા સાંસદોએ પોતાને અબજોપતિ જાહેર કર્યા છે. ચૂંટણી અધિકારો સાથે સંકળાયેલી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ તેના વિશ્લેષણમાં આ વાતનો ખુલાસો કર્યો છે. રિપોર્ટ મુજબ, 78 મહિલા સાંસદો-ધારાસભ્યો, એટલે કે 15 ટકા, પર હત્યાનો પ્રયાસ અને હત્યા જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે. 17 અબજોપતિ સાંસદો અને ધારાસભ્યોમાં લોકસભામાં 75 મહિલા સાંસદોમાંથી 6, રાજ્યસભામાં 37 મહિલા સાંસદોમાંથી ત્રણ અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓમાં 400 મહિલા ધારાસભ્યોમાંથી આઠનો સમાવેશ થાય છે. વર્તમાન 513 મહિલા સાંસદો અને ધારાસભ્યોમાંથી 512 દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાના આધારે તૈયાર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે 143 એટલે કે 28 ટકાએ તેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા હોવાનું…

કાજલ હિન્દુસ્થાનીનો દાવો, ભાજપનાં જ ધારાસભ્ય ચલાવે છે ધર્માતરણનો ધંધો?

સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આદિવાસીઓનું ધર્માંતરણ થઈ રહ્યું હોવાનો દાવો કરતા ચકચાર મચી ગઇ છે. સૌથી ચોંકાવનારી બાબત છે કે, ધર્માંતરણનો આ ખેલ ભાજપના જ એક ધારાસભ્ય ખેલી રહ્યા છે. કાજલ હિન્દુસ્થાનીએ કરેલા ટ્વીટ અનુસાર ધર્માંતરણની ઘટના વ્યારાની હોવાનો તેણે દાવો કર્યો છે. ઉપરાંત ધર્માંતરણના આ ખેલમાં ભાજપના જ ધારાસભ્ય મોહન કોંકણીની સંડોવણી હોવાનું ખુલ્યું છે. કાજલ હિન્દુસ્થાનીના ટ્વીટથી ખળભળાટ:- સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓનું ધર્માંતરણ થતું હોવાના દાવા સાથેની એક પોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં તેણે કેટલાક વીડિયો અને તસ્વીરો પણ શેર કરી છે. જેના અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં મિશનરીઓ દ્વારા ધર્માંતરણનો ખેલ ઝડપથી વધી રહ્યો છે. આદિવાસી સમુદાયના સામાજિક સંગઠન દેવ…

Vadodara : ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, ભાયલીમાં અશાંતધારો લાગુ કરવા કરાઈ રજૂઆત

ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા ધારાસભ્ય શૈલેશ મહેતાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, ભાયલી વિસ્તારનો ડભોઇ વિધાનસભામાં સમાવેશ થયો છે. અને આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લઘુમતી સમુદાયની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. લઘુમતી વસ્તીમાં વધારો થતાં અન્ય ધર્મના સ્થાનિકો સ્થળાંતર કરી રહ્યા છે. આ પણ વાંચો :- gandhinagar : રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત માટે ફરીથી કવાયત તેજ, શહેરી વિસ્તારમાં કડક અમલીકરણ માટે અપાઈ સૂચના લઘુમતી સમુદાયનું અતિક્રમણ રોકવા ધારાસભ્યએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અશાંતધારો લાગુ કરવા રજૂઆત કરી છે. વધુમાં ધારાસભ્યએ આ પત્રમાં જણાવ્યું કે, ભાયલી વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ સહિતની અન્ય યોજનાની શરૂઆત કરી. પરંતુ પ્રધાનમંત્રી આવાસના મકાનો મોટાભાગે લઘુમતી સમુદાયને ફાળવવામાં આવ્યા…

AAPના ધારાસભ્યોને વિધાનસભા પરિસરમાં પ્રવેશતા અટકાવાયા, આતિશીએ કહ્યું તાનાશાહીની તમામ હદો પાર

આજે દિલ્હી વિધાનસભા સત્રનો ત્રીજો દિવસ છે. આ દરમિયાન, વિપક્ષી પાર્ટી આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને દિલ્હી વિધાનસભા પરિસરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. સત્રના બીજા દિવસે, AAPના 21 ધારાસભ્યોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે, તેને પરિસરમાં પ્રવેશવાથી પણ રોકી દેવામાં આવ્યા છે. આ અંગે ભાજપના વિપક્ષી નેતા આતિશી રેખા ગુપ્તા સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. AAP નેતા આતિશીએ આરોપ લગાવ્યો છે કે AAP ધારાસભ્યોને સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કારણ કે તેઓએ ‘જય ભીમ’ ના નારા લગાવ્યા હતા. આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, “સત્તામાં આવ્યા પછી ભાજપે તાનાશાહીની બધી હદો વટાવી દીધી છે. ‘જય ભીમ’ ના નારા લગાવવા બદલ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ગૃહમાંથી ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં…