ધારાસભ્યોના ભથ્થાં અને સુવિધાઓમાં વધારાની ચર્ચા ફરી શરૂ, જાણો વિગત
રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યોને મળતી સુવિધાઓ અને ભથ્થાંમાં વધારો કરવાની દિશામાં ફરી એકવાર પ્રક્રિયા શરૂ થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હાલ પહેલેથી જ ઓછા ખર્ચે વિવિધ હાઈફાઈ સુવિધાઓનો લાભ લેતા ધારાસભ્યોને વધુ સસ્તી અને વધારાની સુવિધાઓ આપવાની વિચારણા ચાલી રહી હોવાની માહિતી સામે આવી છે, જેનાથી રાજ્યની જનતા પર વધારાનો આર્થિક બોજ પડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. વિધાનસભામાં ધારાસભ્યોના ભથ્થાં અને સુવિધાઓની સમીક્ષા કરવા માટે રચાયેલી સમિતિની તાજેતરમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેલવે તથા હવાઈ મુસાફરી માટે મળતા ભથ્થાંમાં વધારો કરવાની સંભાવનાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે ધારાસભ્યોના કાર્યાલય ખર્ચ તેમજ મતવિસ્તાર વિકાસ માટે મળતા ભથ્થાં વધારવા અંગે પણ ચર્ચા થઈ હતી. સમિતિ દ્વારા અન્ય રાજ્યોમાં ધારાસભ્યોને મળતા ભથ્થાં અને સુવિધાઓની તુલનાત્મક સમીક્ષા કરવામાં આવી રહી છે. આ અભ્યાસ બાદ ગુજરાતમાં ધારાસભ્યોના ભથ્થાંમાં વધારો કરવો કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ મુદ્દે સરકાર સાથે પરામર્શ કરીને સમિતિ અંતિમ ભલામણ કરશે તેવી માહિતી મળી છે. ધારાસભ્યોની સુવિધાઓમાં સંભવિત વધારા અંગેની ચર્ચા શરૂ થતા જ વિરોધાભાસી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક તરફ એવું કહેવાઈ રહ્યું છે કે ધારાસભ્યો પોતાના કાર્યક્ષેત્રમાં અસરકારક રીતે કામ કરી શકે તે માટે પૂરતી સુવિધાઓ જરૂરી છે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતા પર વધતા ખર્ચના બોજ અને નૈતિકતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
NCP અજિત પવાર જૂથના ધારાસભ્ય દળની કાલે બેઠક, નેતા તરીકે ચૂંટાઈ શકે છે સુનેત્રા પવાર
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન બાદ, NCP અજિત પવાર જૂથના આગામી નેતા અંગે અટકળો ચાલુ છે. એવી અટકળો કરવામાં આવી રહી છે કે સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે અજિત પવારનું સ્થાન લઈ શકે છે. જોકે, NCP નેતાઓ આ બાબતે સ્પષ્ટ ટિપ્પણી કરવાનું ટાળી રહ્યા છે, તેઓ કહે છે કે તેઓ સુનેત્રાને સમય આપશે. NCP નેતાઓનું કહેવું છે કે આગામી દિવસોમાં તેમની સાથે વાત કર્યા પછી જ નિર્ણય લેવામાં આવશે. અજિત પવાર જૂથના NCP ધારાસભ્યોની બેઠક શનિવારે (30 જાન્યુઆરી) યોજાશે. આ બેઠકમાં સુનેત્રા પવારને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવી શકે છે. વિધાનસભા પક્ષની બેઠક આવતીકાલે બોલાવવામાં આવી છે. પ્રફુલ્લ પટેલે શું કહ્યું? એનસીપીના નેતાઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને તેમના મુંબઈ સ્થિત નિવાસસ્થાને મળ્યા. બેઠક બાદ નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું, “આજે ત્રીજો દિવસ છે, અમે તેમને ત્રીજા દિવસની ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવા માટે સમય આપી રહ્યા છીએ. અમે મહાયુતિમાં ભાગીદાર છીએ, જેમાં અમારા નેતા અજિત પવાર નાયબ મુખ્યમંત્રી હતા. અમારે યોગ્ય નિર્ણય લઈને તે પદ ભરવું પડશે. અમે આ અંગે ચર્ચા કરવા માટે અહીં આવ્યા છીએ. અમે શક્ય તેટલી વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરવા માંગીએ છીએ. અમારે પરિવાર સાથે એકવાર વાત કરવી પડશે. બધા નેતાઓ ચોંકી ગયા છે. અમે તે ભાવના અનુસાર યોગ્ય નિર્ણય લેવા જઈ રહ્યા છીએ. સુનેત્રા પવારના નામનો વિરોધ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. જો આપણે તેમને હમણાં મળીએ અને કંઈક કહીએ તો સારું રહેશે.” બુધવારે અજિત પવારનું અવસાન થયું બુધવારે (28 જાન્યુઆરી) અજિત પવારનું વિમાન ક્રેશ થયું હતું. તેઓ જિલ્લા પરિષદ ચૂંટણી પ્રચારના ભાગ રૂપે એક રેલીમાં હાજરી આપવા માટે બારામતી પહોંચ્યા હતા. તેમનું વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. વિમાનમાં અન્ય ચાર લોકો સવાર હતા, જે બધાના ઘટનાસ્થળે જ મોત થયા હતા. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
Kheda : નડીયાદ ખાતે ધોલેરાધામના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયો દિવ્યાંગ સેવાનો કાર્યક્રમ, મંત્રી સહિત ધારાસભ્યો પણ રહ્યા ઉપસ્થિત
પ્રતિક ભટ્ટ, ખેડા/ નડીયાદ ખાતે સ્વામિનારાયણ મંદિર ધોલેરાધામના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે, ‘સ્વામિનારાયણ ગોકુલધામ નાર’ દ્વારા આયોજિત દિવ્યાંગ સેવાનો કાર્યક્રમમાં યોજાયો. આ કાર્યક્રમની શરૂઆત સ્વામિનારાયણ મંદિર ના સંતો અને ધારાસભ્યોએ દીપ પ્રગટાવીને આ કાર્યક્રમ ની શરૂઆત કરી હતી. નિઃશુલ્ક અધ્યતન કૃત્રિમ હાથ-પગ અર્પણ કરાયા સત્સંગ પાર્ટી પ્લોટ (પીજ રોડ, નડિયાદ) ખાતે પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી જરૂરિયાતમંદોને નિઃશુલ્ક અધ્યતન કૃત્રિમ હાથ-પગ (Hi-Tech Prosthetic Limbs) અર્પણ કરવામાં આવ્યો. મંત્રી સહિત ધારાસભ્યો પણ રહ્યા ઉપસ્થિત આ દિવ્ય પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહજી ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહુધા ધારાસભ્ય અને રાજ્યકક્ષા મંત્રી સંજયસિંહ મહિડા, ખેડા કલેક્ટર સહિતના અનેક રાજકીય મહાનુભાવો અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
દેશની 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ફોજદારી કેસ, ADR રિપોર્ટમાં દાવો
દેશભરમાં 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જ્યારે 17 ટકા મહિલા સાંસદોએ પોતાને અબજોપતિ જાહેર કર્યા છે. ચૂંટણી અધિકારો સાથે સંકળાયેલી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ તેના વિશ્લેષણમાં આ વાતનો ખુલાસો કર્યો છે. રિપોર્ટ મુજબ, 78 મહિલા સાંસદો-ધારાસભ્યો, એટલે કે 15 ટકા, પર હત્યાનો પ્રયાસ અને હત્યા જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે. 17 અબજોપતિ સાંસદો અને ધારાસભ્યોમાં લોકસભામાં 75 મહિલા સાંસદોમાંથી 6, રાજ્યસભામાં 37 મહિલા સાંસદોમાંથી ત્રણ અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓમાં 400 મહિલા ધારાસભ્યોમાંથી આઠનો સમાવેશ થાય છે. વર્તમાન 513 મહિલા સાંસદો અને ધારાસભ્યોમાંથી 512 દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાના આધારે તૈયાર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે 143 એટલે કે 28 ટકાએ તેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા હોવાનું નોંધ્યું છે. આમાંથી, નીચલા ગૃહમાં 75 મહિલા સાંસદોમાંથી 24 (32 ટકા), ઉપલા ગૃહમાં 37 મહિલા સાંસદોમાંથી 10 (27 ટકા) અને 400 મહિલા ધારાસભ્યો (તમામ રાજ્ય વિધાનસભાઓ, કેન્દ્રશાસિત પ્રદેશો) માંથી 109 (27 ટકા) એ તેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા જાહેર કર્યા છે. પક્ષ મુજબ કેસ તો ભાજપમાં સૌથી વધુ મહિલા સાંસદો અને ધારાસભ્યો (217) છે, જેમાંથી 23% સામે ફોજદારી કેસ નોંધાયેલા છે અને 11% સામે ગંભીર આરોપો છે. કોંગ્રેસમાં આ પ્રમાણ વધારે છે, જ્યાં તેના 83 મહિલા માનનીય સભ્યોમાંથી 34 ટકા સામે ફોજદારી કેસ નોંધાયેલા છે અને 20 ટકા સામે ગંભીર આરોપો છે. તેલુગુ દેશમ પાર્ટી (TDP) ના 20 મહિલા સાંસદો-ધારાસભ્યોમાંથી, 65 ટકા મહિલા સાંસદો સામે ગુનાહિત કેસ નોંધાયેલા છે, જ્યારે 45 ટકા મહિલા સાંસદો સામે ગંભીર કેસ નોંધાયેલા છે. આમ આદમી પાર્ટી (AAP) ના 13 મહિલા સાંસદો અને ધારાસભ્યોમાંથી 69 ટકા મહિલા સાંસદો સામે ફોજદારી કેસ છે અને 31 ટકા મહિલા સાંસદો સામે ગંભીર આરોપો છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
કાજલ હિન્દુસ્થાનીનો દાવો, ભાજપનાં જ ધારાસભ્ય ચલાવે છે ધર્માતરણનો ધંધો?
સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આદિવાસીઓનું ધર્માંતરણ થઈ રહ્યું હોવાનો દાવો કરતા ચકચાર મચી ગઇ છે. સૌથી ચોંકાવનારી બાબત છે કે, ધર્માંતરણનો આ ખેલ ભાજપના જ એક ધારાસભ્ય ખેલી રહ્યા છે. કાજલ હિન્દુસ્થાનીએ કરેલા ટ્વીટ અનુસાર ધર્માંતરણની ઘટના વ્યારાની હોવાનો તેણે દાવો કર્યો છે. ઉપરાંત ધર્માંતરણના આ ખેલમાં ભાજપના જ ધારાસભ્ય મોહન કોંકણીની સંડોવણી હોવાનું ખુલ્યું છે. કાજલ હિન્દુસ્થાનીના ટ્વીટથી ખળભળાટ:- સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓનું ધર્માંતરણ થતું હોવાના દાવા સાથેની એક પોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં તેણે કેટલાક વીડિયો અને તસ્વીરો પણ શેર કરી છે. જેના અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં મિશનરીઓ દ્વારા ધર્માંતરણનો ખેલ ઝડપથી વધી રહ્યો છે. આદિવાસી સમુદાયના સામાજિક સંગઠન દેવ બિરસા સેનાએ કહ્યું કે, ‘ભાજપના ધારાસભ્ય મોહન કોંકણી ધર્માંતરણની આ રમત પાછળનાં મુખ્ય સૂત્રધાર છે.’ કાજલ હિન્દુસ્થાનીએ પોતાની પોસ્ટમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા ધારાસભ્યનો વીડિયો પણ શેર કર્યો છે. ઉપરાંત વીડિયોમાં ધારાસભ્યની વાત અને મંશા પર સવાલ ઉઠાવ્યા છે. ડિસેમ્બર 2024 નાતાલનાં પર્વનો આ વીડિયો હોવાની શક્યતા છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ કથાકાર મોરારી બાપુએ પણ પોતાની કથા દરમિયાન આદિવાસી ધર્માંતરણનો મુદ્દો ઉઠ્યો હતો. તેમણે શિક્ષકોથી માંડીને સમગ્ર સિસ્ટમ દ્વારા પદ્ધતીસરના ધર્માંતરણ સામે સવાલો ઉઠાવ્યા હતા. જો કે ચૈતર વસાવા સમગ્ર મામલે ધર્માંતરણનો અને આડકતરી રીતે ભાજપના ધારાસભ્યનો બચાવ કરતા જોવા મળ્યા હતા. Follow us On Social Media 🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital📸 Instagram : https://www.instagram.com/bindiadigital/🌐 Website : https://bindia.co/TWITTER : https://x.com/buletin_indiaFOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Vadodara : ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, ભાયલીમાં અશાંતધારો લાગુ કરવા કરાઈ રજૂઆત
ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા ધારાસભ્ય શૈલેશ મહેતાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, ભાયલી વિસ્તારનો ડભોઇ વિધાનસભામાં સમાવેશ થયો છે. અને આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લઘુમતી સમુદાયની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. લઘુમતી વસ્તીમાં વધારો થતાં અન્ય ધર્મના સ્થાનિકો સ્થળાંતર કરી રહ્યા છે. આ પણ વાંચો :- gandhinagar : રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત માટે ફરીથી કવાયત તેજ, શહેરી વિસ્તારમાં કડક અમલીકરણ માટે અપાઈ સૂચના લઘુમતી સમુદાયનું અતિક્રમણ રોકવા ધારાસભ્યએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અશાંતધારો લાગુ કરવા રજૂઆત કરી છે. વધુમાં ધારાસભ્યએ આ પત્રમાં જણાવ્યું કે, ભાયલી વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ સહિતની અન્ય યોજનાની શરૂઆત કરી. પરંતુ પ્રધાનમંત્રી આવાસના મકાનો મોટાભાગે લઘુમતી સમુદાયને ફાળવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ભાયલી વિસ્તારમાં ધીરે-ધીરે લઘુમતી સમુદાયની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સરકારી યોજનાનો લાભ લેવા તાંદલજા વિસ્તારમાંથી પણ લઘુમતી વસ્તી વાસણા ભાયલી તરફ વધી રહી છે અને તેના કારણે ત્યાં વર્ષોથી રહેતા સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે. આ વિસ્તારમાં નવા સ્થાપિત થતાં લઘુમતી સમુદાયને મળતા વિવિધ લાભોના કારણે વર્ષોથી રહેતા સ્થાનિકોની સમસ્યાને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. આથી લોકોની લાગણીને ધ્યાનમાં રાખતા ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા બે કોમ વચ્ચે વધુ સંઘર્ષ પેદા ના થયા માટે ભાયલીમાં અશાંત ધારો લાગુ કરવાને લઈને રજૂઆત કરવામાં આવી છે. આ પણ વાંચો :- Rajkot : ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત! આ 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર શહેરમાં અગાઉ પણ અન્ય એક વિસ્તાર ફતેગંજમાં અશાંતધારો લાગુ કરવાની માંગ કરાઈ હતી. કારણ કે આ વિસ્તારમાં છેલ્લા થોડા વર્ષોમાં ધર્મ આધારિત સંખ્યામાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા. ફતેગંજમાં મુસ્લિમ સમુદાયની સંખ્યા વધતા હિન્દુઓ મકાન અને દુકાન છોડી અન્ય સ્થળો પર જવા લાગ્યા. જેના કારણે ત્યાં વર્ષોથી રહેતા હિદુ સમુદાય દ્વારા ફતેગંજમાં અશાંતધારો લાગુ કરવાને લઈને તેમના ધારાસભ્યને રજૂઆત કરી હતી. Follow us On Social Media 🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital📸 Instagram : https://www.instagram.com/bindiadigital/🌐 Website : https://bindia.co/TWITTER : https://x.com/buletin_indiaFOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
AAPના ધારાસભ્યોને વિધાનસભા પરિસરમાં પ્રવેશતા અટકાવાયા, આતિશીએ કહ્યું તાનાશાહીની તમામ હદો પાર
આજે દિલ્હી વિધાનસભા સત્રનો ત્રીજો દિવસ છે. આ દરમિયાન, વિપક્ષી પાર્ટી આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને દિલ્હી વિધાનસભા પરિસરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. સત્રના બીજા દિવસે, AAPના 21 ધારાસભ્યોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે, તેને પરિસરમાં પ્રવેશવાથી પણ રોકી દેવામાં આવ્યા છે. આ અંગે ભાજપના વિપક્ષી નેતા આતિશી રેખા ગુપ્તા સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. AAP નેતા આતિશીએ આરોપ લગાવ્યો છે કે AAP ધારાસભ્યોને સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કારણ કે તેઓએ ‘જય ભીમ’ ના નારા લગાવ્યા હતા. આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, “સત્તામાં આવ્યા પછી ભાજપે તાનાશાહીની બધી હદો વટાવી દીધી છે. ‘જય ભીમ’ ના નારા લગાવવા બદલ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ગૃહમાંથી ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આજે AAPના ધારાસભ્યોને વિધાનસભા પરિસરમાં પ્રવેશવાની પણ મંજૂરી નથી. દિલ્હી વિધાનસભાના ઇતિહાસમાં ક્યારેય એવું બન્યું નથી કે ચૂંટાયેલા ધારાસભ્યોને વિધાનસભા પરિસરમાં પ્રવેશવાની મંજૂરી ન આપવામાં આવે.” -> સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને મળશે :- આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેડ ધારાસભ્યો જો ગૃહ પરિસરમાં પ્રવેશવાની મંજૂરી ન મળે તો તેઓ સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાને મળી શકે છે. સત્રના બીજા દિવસે જ્યારે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાનું ભાષણ ચાલી રહ્યું હતું, ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગૃહમાં હંગામો કરી રહ્યા હતા. આ કારણે સ્પીકરે ત્યાં હાજર તમામ 21 ધારાસભ્યોને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા. તેની માન્યતા શુક્રવાર (28 ફેબ્રુઆરી) સુધી છે. જોકે, તે સમયે અમાનતુલ્લાહ ખાન ત્યાં હાજર ન હતા, તેથી તેમની સામે કોઈ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી ન હતી.














