ધ ડિપ્લોમેટ ટ્રેલર: જોન અબ્રાહમ ‘ભારતની દીકરી’ ને બચાવવાના મિશન પર નીકળ્યો, ‘ધ ડિપ્લોમેટ’ નું ટ્રેલર રિલીઝ

અભિનેતા જોન અબ્રાહમ આ વર્ષે ફરી એકવાર પડદા પર ચમકવા માટે તૈયાર છે. તેમની આગામી ફિલ્મ ‘ધ ડિપ્લોમેટ’ ખૂબ ચર્ચામાં છે અને તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. નિર્માતાઓએ શુક્રવારે ફિલ્મનું એક જબરદસ્ત ટીઝર રિલીઝ કર્યું, જેમાં જોન અને ફિલ્મના પાત્રોની ઝલક જોવા મળી. ‘ધ ડિપ્લોમેટ’ની વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે જેમાં જોન અબ્રાહમ ભારતીય રાજદ્વારી જેપી સિંહની ભૂમિકા ભજવતો જોવા મળે છે. -> જોન અબ્રાહમ ભારતીય રાજદ્વારી બન્યા :- ફિલ્મની વાર્તા એક મિશનની આસપાસ ફરે છે જ્યાં એક મુસ્લિમ મહિલા આશ્રયની શોધમાં પાકિસ્તાનથી ભારતીય દૂતાવાસ પહોંચે છે. ૨ મિનિટ ૪૮ સેકન્ડના ટ્રેલરની શરૂઆત ઉઝમા અહેમદ નામની એક મહિલાથી થાય છે, જે ગભરાઈને મદદ માંગવા માટે ભારતીય દૂતાવાસ પહોંચે છે. ભારતીય રાજદ્વારીની ભૂમિકા ભજવતો…

ભૂલો દરેકથી થતી હોય છે, મારાથી પણ થઇ છે, હું કોઇ દેવતા નથીઃ પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પહેલા પોડકાસ્ટમાં વડાપ્રધાન તરીકેના તેમના જુદા જુદા કાર્યકાળ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સાથેના પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, ‘પ્રથમ કાર્યકાળમાં, લોકો મને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અને હું દિલ્હીને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બીજા કાર્યકાળમાં હું ભૂતકાળના પરિપ્રેક્ષ્યથી વિચારતો હતો. ત્રીજી ટર્મમાં મારી વિચારસરણી બદલાઈ ગઈ છે, મારું મનોબળ ઊંચું થયું છે અને મારા સપના મોટા થઈ ગયા છે. -> ‘સરકારી યોજનાઓની 100% ડિલિવરી હોવી જોઈએ’ :- આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે – હું ઈચ્છું છું કે વિકસિત ભારત માટે 2047 સુધીમાં તમામ સમસ્યાઓનો ઉકેલ આવે, સરકારી યોજનાઓની 100% ડિલિવરી હોવી જોઈએ. આ જ વાસ્તવિક સામાજિક ન્યાય અને બિનસાંપ્રદાયિકતા છે. આની પાછળનું પ્રેરક બળ છે…