વર્ષ 2026માં 4 માર્ચે ઉજવાશે રંગોનો તહેવાર ધુળેટી

સનાતન ધર્મમાં હોળી અને ધુળેટીનું વિશેષ મહત્વ છે. ફાગણ મહિનાની પૂર્ણિમા પછી ઉજવાતો આ રંગોત્સવ માત્ર રંગોનો તહેવાર જ નહીં, પરંતુ પ્રેમ, ભાઈચારા અને આનંદનું પ્રતીક માનવામાં આવે છે. વર્ષ 2026માં ધુળેટી 4 માર્ચ, બુધવારના રોજ ઉજવાશે. પંચાંગ અને હિંદુ કેલેન્ડરની ગણતરી મુજબ, હોળી દહન પૂર્ણિમાની રાત્રે કરવામાં આવે છે, જ્યારે બીજા દિવસે રંગોની ધુળેટી ઉજવાય છે. લોકો એકબીજાને રંગ-ગુલાલ લગાવી શુભેચ્છાઓ પાઠવે છે અને આનંદમય વાતાવરણ સર્જાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, હોળી અનિષ્ટ પર સદગુણના વિજયનું પ્રતીક છે. ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા આ તહેવાર સાથે જોડાયેલી છે, જેમાં સત્ય અને ભક્તિની જીત થાય છે. ભગવાન શ્રીકૃષ્ણને હોળી અતિપ્રિય હતી. ખાસ કરીને મથુરા અને વૃંદાવનમાં 40 દિવસ સુધી વિવિધ પ્રકારની હોળી ઉજવાય છે. અહીં લઠ્ઠમાર…