ઊંઝા માર્કેટ યાર્ડમાં હવામાનની અનિશ્ચિતતાએ જીરાના ભાવમાં અણધાર્યો ઉછાળો, જાણો વિગત

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હવામાનની અનિશ્ચિતતાએ કૃષિ બજારમાં હલચલ મચાવી છે. ખાસ કરીને ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં અચાનક વધારો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, કમોસમી વરસાદ અને અનિશ્ચિત વાતાવરણના કારણે 20 કિલો દીઠ ₹300થી વધુનો ઉછાળો નોંધાયો છે. હવામાનની અસર માત્ર પાક પર જ નહીં, પરંતુ ખેડૂતોના નિર્ણય પર પણ પડી રહી છે. વેપારીઓનું કહેવું છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતો રવિ પાકનું વાવેતર ખાસ કરીને જીરાનું મોડું કે ઓછું કરી શકે છે. આ કારણે સપ્લાયમાં ઘટાડો થવાની શક્યતા છે, જે સીધો પ્રભાવ ભાવ પર પડી રહ્યો છે. હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં દૈનિક 14,000 થી 15,000 બોરી જીરાની આવક થઈ રહી છે. જો વાતાવરણ અનુકૂળ નહીં રહે તો જીરાના ભાવમાં વધુ વધારો થવાની…

આવતીકાલથી રાજકોટ માર્કેટ યાર્ડ 1 એપ્રિલ સુધી રહેશે બંધ, નાણાકીય વર્ષનાં અંતને લઈ લીધો નિર્ણય

આવતીકાલથી રાજકોટ માર્કેટ યાર્ડ 1 એપ્રિલ સુધી યાર્ડ બંધ રહેશે. 26 માર્ચથી લઈ 1 એપ્રિલ સુધી યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડના સત્તાવાળાઓએ નાણાકીય વર્ષના અંતને કારણે આ નિર્ણય લીધો છે. જેથી ખરીદ-વેચાણની પ્રવૃત્તિઓ બંધ રહેશે. ખેડૂતોને માલ વેચાણ માટે યાર્ડમાં ન લાવવાની સૂચના પણ આપવામાં આવી છે.આજે યાર્ડમાં 200થી વધુ માલ ભરેલા વાહનો ઉતરાણ માટે આવ્યા હતા. યાર્ડમાં આજે કઈ કઈ જણસીની આવક થઈ હતી અને ખેડૂતોને કેટલો ભાવ મળ્યો હતો તે અહીં જાણીએ. –> કપાસની આવક:- માર્કેટ યાર્ડમાં આજે 600 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ છે. ખેડૂતોને કપાસના ભાવ 1330 થી 1484 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળ્યા હતા, જે ખેડૂતો માટે સારી ખુશીનો વિષય રહ્યો છે. –> વટાણાની આવક:- વટાણાની આવકમાં પણ વધારો નોંધાયો…