ઊંઝા માર્કેટ યાર્ડમાં હવામાનની અનિશ્ચિતતાએ જીરાના ભાવમાં અણધાર્યો ઉછાળો, જાણો વિગત

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હવામાનની અનિશ્ચિતતાએ કૃષિ બજારમાં હલચલ મચાવી છે. ખાસ કરીને ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં અચાનક વધારો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, કમોસમી વરસાદ અને અનિશ્ચિત વાતાવરણના કારણે 20 કિલો દીઠ ₹300થી વધુનો ઉછાળો નોંધાયો છે.

હવામાનની અસર માત્ર પાક પર જ નહીં, પરંતુ ખેડૂતોના નિર્ણય પર પણ પડી રહી છે. વેપારીઓનું કહેવું છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતો રવિ પાકનું વાવેતર ખાસ કરીને જીરાનું મોડું કે ઓછું કરી શકે છે. આ કારણે સપ્લાયમાં ઘટાડો થવાની શક્યતા છે, જે સીધો પ્રભાવ ભાવ પર પડી રહ્યો છે.

હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં દૈનિક 14,000 થી 15,000 બોરી જીરાની આવક થઈ રહી છે. જો વાતાવરણ અનુકૂળ નહીં રહે તો જીરાના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે. જોકે, જો હવામાન સુધરશે, તો હાલના ભાવ સ્થિર રહે તેવી સંભાવના છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેપારીઓ અને ખેડૂતો બંને સતર્ક છે. હવામાનના આગામી ફેરફારો પર બજારની દિશા નિર્ભર રહેશે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ahmedabadનું હવામાન: આજે પવન સાથે વાતાવરણમાં રાહત, Monsoon Magic 2026

Ahmedabadનું હવામાન: આજે પવન સાથે વાતાવરણમાં રાહત, વાદળછાયા માહોલ વચ્ચે ગરમીથી લોકોને મળી હાશકારો Ahmedabad: અમદાવાદમાં આજે, 30 ઓગસ્ટ 2026ના રોજ, હવામાનમાં થોડો બદલાવ જોવા મળી રહ્યો છે. શહેરમાં પવનની ગતિ વધતાં અને વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોને ગરમી અને બફારામાંથી થોડી રાહત અનુભવાઈ રહી છે. હવામાનના તાજા આંકડા મુજબ Ahmedabadમાં હાલમાં તાપમાન આશરે 28-29 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે અને દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના અવલોકન મુજબ સવારે 9:30 વાગ્યે તાપમાન 28°C, ભેજ 62% અને દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન આશરે 14.8 કિમી પ્રતિ કલાકની ઝડપે નોંધાયો હતો. હવામાનની આ સ્થિતિને કારણે છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ અમદાવાદના નાગરિકોને વાતાવરણમાં હળવી રાહત અનુભવાઈ રહી છે. જોકે દિવસ દરમિયાન તાપમાન ફરી વધવાની શક્યતા છે અને…

Schoolમાં 1,643 બાળકો અને જળપ્રલય: નેપાળી શિક્ષકની અદ્ભુત સૂઝબૂઝે બચાવ્યા જીવ! Brave Hero

ભયાનક જળપ્રલય સામે હતો,Schoolમાં હતા 1,643 બાળકો… નેપાળી શિક્ષકે પોતાની સમજદારીથી બચાવી સૌની જિંદગી નેપાળમાં કુદરતી આફત વચ્ચે એક Schoolના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ જે હિંમત, સમજદારી અને ઝડપી નિર્ણયશક્તિ બતાવી તેની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. એક તરફ પૂરનું પાણી ઝડપથી શાળા તરફ આગળ વધી રહ્યું હતું અને બીજી તરફ શાળાની અંદર મોટી સંખ્યામાં બાળકો હાજર હતા. આવી ગંભીર પરિસ્થિતિમાં જો થોડી પણ બેદરકારી થઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. પરંતુ શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ સમયસર પરિસ્થિતિને ઓળખી અને બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડીને સંભવિત મોટી જાનહાનિ અટકાવી દીધી. આ ઘટનામાં ખાસ વાત એ છે કે Schoolમાં એક-બે નહીં પરંતુ 1,643 જેટલા બાળકો હાજર હતા. પૂરનું પાણી School તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે…