કીર્તિ પટેલનો “સ્નાનકાંડ”..! | GUJARAT | GUJARATI NEWS BULETIN

વિવાદાસ્પદ કીર્તિ પટેલનો વધુ એક કાંડ ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં લગાવી ડૂબકી જૂનાગઢના મૃગીકુંડમાં કીર્તિ પટેલની ડૂબકીથી વિવાદ મૃગીકુંડ કોઈ સ્વિમિંગ પૂલ નથી, આસ્થા અને પરંપરાનું કેન્દ્ર સાધુ-સંતોની પરંપરા તોડનાર સામે કાર્યવાહીની માંગ સોશિયલ મીડિયા ફેમ માટે આસ્થા સાથે ખેલ? કીર્તિ પટેલના કાંડથી સાધુ સમાજમાં રોષ મૃગીકુંડમાં કીર્તિ પટેલના સ્નાન બાદ સાધુ સંતોમાં નારાજગી કીર્તિ પટેલ આવા નાટક નાટક કરતી હોય છે : ડૉ.જ્યોર્તિનાથ કીર્તિ પટેલે સનાતન ધર્મ અને સંતોનું અપમાન કર્યું : ડૉ.જ્યોર્તિનાથ   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિ મેળાની પૂર્ણાહુતિ, 5 દિવસમાં 25 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા

ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ગણાતા મહાશિવરાત્રિના પાવન અવસરે ભવનાથ ખાતે યોજાયેલ ભવ્ય મેળાની વિધિવત પૂર્ણાહુતિ થઈ છે. મહાશિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે પાંચ દિવસીય મેળો સંપન્ન થયો. કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ખુદ ભગવાન શિવ સાધુ સ્વરૂપે અહીં હાજરી આપે છે. આ માન્યતાને પગલે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. અંદાજે 5 દિવસમાં 25 લાખથી વધુ ભાવિકોએ મેળાની મુલાકાત લીધી હતી. રવેડીમાં નાગા સાધુઓના અવનવા કરતબ મહાશિવરાત્રિની રાત્રે ભવનાથમાં ભવ્ય રવેડી નીકળી હતી. વિવિધ અખાડાના નાગા સાધુઓ રવેડીમાં સામેલ થયા હતા. હર હર મહાદેવના ગગનભેદી નાદ વચ્ચે નાગા સાધુઓએ અવનવા કરતબ રજૂ કર્યા હતા. રસ્તાની બંને બાજુ બપોરથી જ ભાવિકો ગોઠવાઈ ગયા હતા અને સાધુઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વિદેશી…

મહાશિવરાત્રિ 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવના દર્શન અને આરતી સાથે નાગરિકોના સુખાકારી માટે પ્રાર્થના કરી

મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવીને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતા સૌ પ્રથમ સોમનાથ મંદિરના પંડિતોએ વૈદિક શ્લોકોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રીશ્રીને મંદિરના પ્રાંગણમાં આવકાર્યા હતાં. મુખ્યમંત્રીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા-અર્ચના કરી હતી. સોમનાથ મંદિરમાં મંત્રોચ્ચારના મધુર ગુંજારવ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોની સુખાકારી માટે ભોળાનાથ સમક્ષ પ્રાર્થના કરી હતી. મંદિર પરિસર ખાતે સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટીગણે મુખ્યમંત્રીને બૂકેથી આવકાર્યા હતાં. આ વેળાએ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર,…

મહાશિવરાત્રી પર વિશેષ યોગ | GUJARAT | GUJARATI NEWS BULETIN

મહાશિવરાત્રીનો પાવન પર્વ ભગવાન શિવની કૃપા દરેક પર વરસે મહાશિવરાત્રીના પાવન પર્વની આસ્થાભેર ઉજવણી ભગવાન શિવની કૃપા મેળવા માટે શુભ અવસર શિવના આશીર્વાદથી ખુલશે કિસ્મતના બંધ દરવાજા ભોળેનાથની કૃપા સૌના પર વરસે મહાશિવરાત્રી પર વિશેષ ગ્રહયોગનો અનોખો લાભ મહાશિવરાત્રી નિમિત્તે રાત્રિ જાગરણ અને પૂજાનો મહિમા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવનાર પર્વ ભોળેનાથની કૃપાથી દરેકના દુઃખ દૂર થાય ભગવાન શિવના આશીર્વાદથી જીવનમાં નવી ઉર્જાનો થાય છે સંચાર Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

Live Coverage : અમે લાઇવ છીએ ભવનાથ મેળાની દરેક પળ તમારા સુધી પહોંચાડવા

પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં ભવ્ય ભવનાથ મેળો! મહાશિવરાત્રીના પાવન અવસરે ભક્તોની ઉમટી પડી ભીડ નાગા બાવાઓની શોભાયાત્રા અને આધ્યાત્મિક રંગતનું અનોખું દર્શન હર હર મહાદેવના જયઘોષ સાથે ગૂંજી રહ્યો છે સમગ્ર વિસ્તાર દેશભરમાંથી આવેલા સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓનો સંગમ લોકસંસ્કૃતિ, ભજન-કીર્તન અને ધાર્મિક વિધિઓનો મહોત્સવ સુરક્ષા અને વ્યવસ્થાના કડક બંદોબસ્ત વચ્ચે ઉત્સાહનો માહોલ અમે લાઇવ છીએ ભવનાથ મેળાની દરેક પળ તમારા સુધી પહોંચાડવા જોડાયેલા રહો અને અનુભવો આ અદભૂત આધ્યાત્મિક ઉત્સવનું જીવંત દર્શન! Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

Junagadh: ગિરનારની તળેટીમાં ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો આવતી કાલથી પ્રારંભ, પ્રથમવાર ભવ્ય ‘ડમરુ યાત્રા’ યોજાશે

દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે જૂનાગઢના પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વ પ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળો’ યોજાશે. આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો આવતીકાલ તા. 11 ફેબ્રુઆરીથી વિધિવત પ્રારંભ થશે. પાંચ દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢના સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને દીપાવવા માટે આ વર્ષે પ્રથમવાર ભવ્ય ‘ડમરુ યાત્રા’નું આયોજન કરાયું છે જેમાં, નાયબ મુખ્યમંત્રી પણ સહભાગી થશે. ઇતિહાસમાં પ્રથમવાર સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે.…

ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીનો મેળો મીની કુંભ તરીકે ઉજવવા તૈયારીઓ શરુ

સમસ્ત વિશ્વમાં પ્રખ્યાત ગિરનારના તળેટી વિસ્તારમાં આગામી તા. 11 ફેબ્રુઆરીથી પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળો યોજાનાર છે. તેનું આયોજન મીની કુંભ તરીકે કરવામાં આવશે. તે માટે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મોડી રાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં જિલ્લાક્ષમીઓ, સાધુ-સંતો અને પદાધિકારીઓ હાજર રહ્યા. તડામાર તૈયારીઓ શરૂ જૂનાગઢ વહીવટી તંત્ર છેલ્લા દિવસોથી મેળાને ભવ્ય રીતે ઉજવવા માટે તડામાર તૈયારી શરૂ કરી છે. ભવનાથ મંદિર અને આસપાસના વિસ્તારોમાં દબાણ દૂર કરવા, પાર્કિંગ ઉપલબ્ધ કરાવવું અને રવેડી રૂટનું આયોજન કરવું તે મુખ્ય કાર્યો છે. જિલ્લામાં જિલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયાએ સાધુ-સંતો સાથે પણ બેઠક કરી તૈયારીઓને ઝડપ આપી હતી. મીની કુંભ તરીકે આયોજન મીની કુંભ તરીકે આ વર્ષના મહાશિવરાત્રી મેળામાં કલેકટર, કમિશ્નર, ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ અને મહાદેવગીરી બાપુ,…