AMC ના ડે.મ્યુનિ.કમિશનર અને એસ્ટેટ ઓફિસરને કોર્ટનું તેડું, ખુલાસો કરવા તાકીદ!

પંકજ મકવાણા – અમદાવાદ, અમદાવાદના ઘુમામાં ખેતીની જમીન પર ગેરકાયદે બાંધકામ અને વહીવટી પ્રક્રિયામાં વિલંબના આક્ષેપ મુદ્દે મિર્ઝાપુર કોર્ટે ખુલાસો માંગ્યો; ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૨૩(૧) હેઠળ સુનાવણી. અમદાવાદના ઘુમા વિસ્તારમાં ખેતીલાયક જમીન પર થયેલા કથિત ગેરકાયદે બાંધકામ અને તેને દૂર કરવાની વહીવટી પ્રક્રિયામાં થયેલા વિલંબના મામલે ન્યાયિક હસ્તક્ષેપ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના દક્ષિણ – પશ્ચિમ (South West) ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર વિરુદ્ધ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે કારણદર્શક નોટિસ જારી કરી છે. આ કેસ નિવૃત્ત એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ઘનશ્યામ એચ. દેસાઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી ફરિયાદ પર આધારિત છે, જેમાં સરકારી આદેશોના પાલનમાં નિષ્ક્રિયતાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, ઘુમાના સર્વે નંબર ૮૦૮ ની જમીન…

કીર્તિ પટેલની ધરપકડ: રાજસ્થાનથી જુનાગઢ લાવવામાં આવી, 3 ગુનાઓનો મામલો નોંધાયો

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલને રાજસ્થાનમાંથી ઝડપી લઈને જુનાગઢ પોલીસે લાવ્યો છે. તેના જુનાગઢમાં ત્રણ અલગ-અલગ ગુનાઓના આધારે કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ ટીમ કીર્તિ પટેલને સીધી જુનાગઢ સિવિલ હોસ્પિટલ લઇ ગઈ હતી અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું. કેસની પૃષ્ઠભૂમિ મામલો મહાશિવરાત્રી મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરવા મુદ્દે ઊભેલા વિવાદથી શરૂ થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાથી ચર્ચા તેજ થઈ. જુનાગઢના યુ-ટ્યુબર અબજલ સીદાએ લાઈવ સ્ટ્રીમમાં આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત આરોપ છે કે યુવાનને ધમકીઓ આપવામાં આવી હતી અને તેની પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ દબાણને સહન ન કરી યુવાને ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેની સારવાર હોસ્પિટલમાં ચાલી…

જુનાગઢ: નાગા સાધુઓ વચ્ચે મૃગી કૂંડમાં ડૂબકી લગાવવાના મામલે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઇ

મહાશિવરાત્રીના દિવસે મૃગી કૂંડમાં નાગા સાધુઓની સાથે ડૂબકી મારવી વિવાદમાં ફેરવાયું છે. આ કૃત્યને ચરચામાં લાવનાર વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે નાગા સાધુઓની વચ્ચે જઈને ભગવા વસ્ત્રો પહેરી ડૂબકી લગાવતા જોવા મળી રહ્યા છે. મૃગી કૂંડમાં આ નમ્ર સ્નાન દરમિયાન કીર્તિ પટેલની હાજરીએ ઘણા સવાલો ઉઠાવ્યા હતા. તંત્રના અધિકારીઓએ તરત જ કીર્તિ પટેલને કૂંડમાંથી બહાર કાઢી, પરંતુ આ બાદ તે મહિલા પોલીસ અધિકારી સાથે તંગી સીટીમાં બોલાચાલી કરી રહ્યો હતો. આ ઘટનાને લઇને પ્રાંત ઓફિસર દ્વારા પણ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી હતી, અને હવે કીર્તિ પટેલ સામે આરોપ દાખલ કરવામાં આવ્યા છે. ફરિયાદ જૂનાગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.જે. મોડે ફરિયાદ નોંધાવી છે. કીર્તિ પટેલ પર ખોટી રીતે પોલીસ સાથે…

ફરજિયાત સર્વિસ ચાર્જ પર કડક કાર્યવાહી: CCPA ૨૭ રેસ્ટોરન્ટ્સ પર દંડ

દેશભરના હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં ગ્રાહકો પાસેથી ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલતી હોવાનું જાણવા મળતા *સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)*એ કડક પગલાં લીધાં છે. સ્વયં સજાગ (Suo Motu) કાર્યવાહી હેઠળ CCPA એ ૨૭ રેસ્ટોરન્ટ્સ પર ₹૩૦,૦૦૦ થી ₹૫૦,૦૦૦ સુધીનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત, જેણે ફરજિયાત રીતે વસૂલવામાં આવી રકમને ગ્રાહકોને પરત કરવાની પણ આદેશ આપી છે. ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન: તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા રેસ્ટોરન્ટ્સ બિલમાં ડિફોલ્ટ ૧૦% સર્વિસ ચાર્જ ઉમેરતા હતા. CCPA મુજબ, ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ની કલમ ૨(૪૭) અંતર્ગત આ પ્રકારની ફરજિયાત વસૂલાત ‘અન્યાયી ટ્રેડ પ્રેક્ટિસ’ ગણાય છે. ઉદાહરણ: – પટનાનો ‘કેફે બ્લુ બોટલ’ – ₹30,000 દંડ – મુંબઈનો ‘ચાઇના ગેટ (બોરા બોરા)’ – ₹50,000 દંડ હાઈકોર્ટના ચુકાદા અને ગાઈડલાઈન્સ: – માર્ચ 2025: દિલ્હી હાઈકોર્ટે…

ઉદ્યોગપતિ ચેન ઝી પર અમેરિકાએ લગાવ્યા છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ, ચીનમાં ધરપકડ

અમેરિકા દ્વારા ગંભીર છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ સામે ચીનના ઉદ્યોગપતિ ચેન ઝીને કંબોડિયામાં અટકાવવામાં આવ્યા છે અને ત્યારબાદ ચીનમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યા છે. ચીનના કઠોર કાયદાકીય પગલાં અને આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે ચેન ઝીની ધરપકડને વિશ્વવ્યાપી ધ્યાન મળ્યું છે. ચેન ઝીની અટકાયત: ચીનમાં જન્મેલા અબજોપતિ ઉદ્યોગપતિ ચેન ઝીને કંબોડિયામાં અટકાવ્યા બાદ ચીનને પ્રત્યાર્પણ કરવામાં આવ્યો. કંબોડિયન સરકારે આ પ્રત્યાર્પણાની પુષ્ટિ કરી છે. યુએસ પ્રોસિક્યુટર્સના જણાવ્યા મુજબ, ચેન ઝીએ કંબોડિયાથી કરોડો ડોલરનું ઓનલાઈન કૌભાંડ નેટવર્ક ચલાવ્યું હતું. સાથે જ, ચેન ઝી પર ફરજિયાત મજૂરી સુવિધાઓ ચલાવવાનો આરોપ પણ છે. ચીનમાં ધાર્મિક તણાવ: ચીનમાં ધાર્મિક સ્વતંત્રતા અને પ્રોટેસ્ટન્ટ ચર્ચ સામે કડક પગલાં વધી રહ્યાં છે. અઠવાડિયે, અર્લી રેઈન કોવેનન્ટ ચર્ચના છ સભ્યો, જેમાં વર્તમાન નેતા લી યિંગકિયાંગનો સમાવેશ…

“₹5 ના પાઉચમાં કેસર શક્ય નથી”- સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલાને કોર્ટની નોટિસ

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલા કંપની સામે કોટા ગ્રાહક સુરક્ષા અદાલતે ગેરમાર્ગે દોરનારી જાહેરાત અંગે નોટિસ ફટકારી છે. ફરિયાદમાં જણાવાયું છે કે કંપનીએ “અસલી કેસર” ધરાવતા પાન મસાલાના ₹5 ના પાઉચનો દાવો કર્યો હતો, જે શક્ય નથી. અદાલતે બંને પક્ષોને 27 નવેમ્બર 2025 સુધીમાં જવાબ આપવા કહ્યું છે. આ મામલો હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે. ફરિયાદનો મુદ્દો ફરિયાદ કોટાના વરિષ્ઠ ભાજપ નેતા અને રાજસ્થાન હાઈકોર્ટના વકીલ ઇન્દ્રમોહન સિંહ હની દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે,“અસલી કેસરની કિંમત પ્રતિ કિલોગ્રામ આશરે ₹4 લાખ છે. તેથી ₹5 ના પાઉચમાં અસલી કેસર હોવું શક્ય જ નથી. આ પ્રકારની જાહેરાતો ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે.” ફરિયાદમાં એ પણ દલીલ કરવામાં આવી કે…

અમદાવાદમાં મિલકત વેચાણના બહાનાં હેઠળ કરોડોની છેતરપીંડી, વેપારીએ EOWમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ શહેરમાં એક મહત્વનો રિયલ એસ્ટેટ ઘોટાળો સામે આવ્યો છે, જ્યાં મિલકત વેચાણના બહાને એક વેપારી સાથે કરોડોની છેતરપીંડી કરવામાં આવી છે. ફરિયાદકર્તા રાકેશભાઈ લાહોટી દ્વારા કમલેશભાઈ ગોંડલિયા અને તેમના પરિવાર સામે આશરે રૂપિયા 6 કરોડના ઠગાઈના આરોપો સાથે પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે. શું છે આરોપ? આ આરોપ તક્ષશીલા હાઇટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની તથા તેના માલિકોએ મિલકત વેચાણના નામે લોકો પાસેથી રૂપિયા લીધા હોવા છતાં: – કાયદેસર દસ્તાવેજો આપ્યા નથી, – ઘણી મિલકતોમાં ડુપ્લીકેટ વેચાણ કરાયું છે, – ખરીદદારને કબજો આપવામાં આવ્યો નથી, – મિલકત પર બૅંક લોન પણ લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદમાં શું જણાવાયું? ફરિયાદકર્તા રાકેશભાઈ લાહોટીએ જણાવ્યું કે તક્ષશીલા એલિગ્ના સ્કીમ (એલીસબ્રિજ, અમદાવાદ) અંતર્ગત 6 ફ્લેટો માટે રૂ.…