પ્રદુષિત પાણી પર દિલ્હીમાં રાજકીય આક્ષેપબાજી ,કેજરીવાલે કહ્યુ કંઇક કરવાને બદલે ધમકીઓ મળે
દિલ્હી વિધાનસભા ચૂંટણીનો રાજકીય જંગ યમુનાના પાણી પર કેન્દ્રિત થઈ ગયો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ઉગ્ર જંગ ચાલી રહી છે. આ ક્રમમાં, ગુરુવારના રોજ AAP નેતાઓએ યમુનાના પાણીના મુદ્દા પર એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે ભાજપના નેતાઓ અમિત શાહ, નાયબ સિંહ સૈની અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને યમુનાનું પાણી પીવા મોકલવાની વાત પણ કરી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું દિલ્હીને હરિયાણાથી યમુના અને યુપીથી ગંગા દ્વારા પાણી મળે છે. હરિયાણાથી યમુના દ્વારા આવતું પાણી છેલ્લા કેટલાક દિવસોથી ઝેરી છે. તેનું સ્તર 7 પીપીએમ સુધી પહોંચી ગયું છે. આનાથી મૃત્યુ તરફ દોરી જાય છે. અમે આ મુદ્દો ઉઠાવવામાં લાચાર…







