નેપાળના PM બાલેન શાહના ભારત પ્રત્યે તેવર કેમ પડ્યા નરમ? કૂટનીતિમાં આવ્યો મોટો બદલાવ

નેપાળના વડાપ્રધાન બાલેન શાહ એટલે કે બાલેન શાહની ભારત પ્રત્યેની કૂટનીતિમાં હવે નરમાઈ જોવા મળી રહી છે. વડાપ્રધાન બન્યા બાદ સોમવારે તેમણે પ્રથમ વખત ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવ સાથે વન-ટુ-વન મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ભારત-નેપાળના ઐતિહાસિક સંબંધો, પરસ્પર હિત, વિકાસ ભાગીદારી અને દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા થઈ હતી. આ મુલાકાતને નેપાળની બદલાતી વિદેશ નીતિના મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહી છે. જોકે, તેને ભારત તરફ સંપૂર્ણ ઝુકાવ તરીકે જોવાને બદલે નેપાળ દ્વારા ભારત અને ચીન બંને સાથે સંતુલિત સંબંધો જાળવવાની કવાયત તરીકે જોવું વધુ યોગ્ય છે. પહેલી વ્યક્તિગત મુલાકાત કેમ મહત્વની? બાલેન શાહે વડાપ્રધાન બન્યા બાદ વિદેશી રાજદૂતો સાથે વ્યક્તિગત મુલાકાતો ટાળીને સામૂહિક બેઠકનો માર્ગ અપનાવ્યો હતો. જોકે, 10 ઓગસ્ટે તેમણે ભારતીય રાજદૂત નવીન…

મહારાષ્ટ્રમાં ઇવીએમ પર સવાલ ઉઠાવી તેને હિંસા સુધી પહોંચાડવાનું સમગ્ર ષડયંત્ર રચાયું હોવાનો ઘટસ્ફોટ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં શહેરી નક્સલવાદ અને ઈવીએમ અંગે ગૃહને માહિતી આપતા કાઠમંડુમાં યોજાયેલી બેઠકનો ઉલ્લેખ કર્યો હતો. એક ખુબજ પ્રસિદ્ધ મીડિયા હાઉસ દ્વારા આ બેઠક વિશે વિશેષ માહિતી આપતો અહેવાલ રજુ કર્યો છે. આ અહેવાલમાં દર્શાવ્યા મુજબ તેમને જે માહિતી પ્રાપ્ત થઇ છે તે અનુસાર, 12 અને 14 નવેમ્બર 2023 વચ્ચે કાઠમંડુના કાંતિપુર વિસ્તારમાં માઓવાદીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ખાસ કરીને માઓવાદીઓના ટોચના કમાન્ડરોની હતી. આ બેઠકમાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને મણિપુરના માઓવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં મહત્વની રણનીતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી. -> મહારાષ્ટ્રના ચારથી પાંચ લોકો સામેલ છે :- આ બેઠકમાં મહારાષ્ટ્રના ઓછામાં ઓછા ચારથી પાંચ લોકો પણ હાજર હતા,…