જસ્ટિસ સૂર્યકાંત આજે શપથ લેશે 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે, બીઆર ગવઈ વિદાય લેતા આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
આજે જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે. તેઓ જસ્ટિસ બીઆર ગવઈનું સ્થાન લેશે, જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા, જેમાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરનારી કલમ 370, બિહાર મતદાર યાદી સમીક્ષા અને પેગાસસ સ્પાયવેર કેસનો સમાવેશ થાય છે. જસ્ટિસ સૂર્યકાંતનો કાર્યકાળ આશરે 15 મહિનાનો રહેશે અને તેઓ 9 ફેબ્રુઆરી 2027ના રોજ નિવૃત્ત થશે. નિવૃત્ત થઈ રહેલા CJI જસ્ટિસ બીઆર ગવઈનું નિવેદન નિવૃત્તિ પહેલા જસ્ટિસ ગવઈએ કહ્યું કે તેઓ નિવૃત્તિ પછી કોઈપણ સરકારી પદ સ્વીકારશે નહીં. તેઓએ કોલેજિયમ સિસ્ટમનો પણ બચાવ કર્યો અને જણાવ્યું કે તે ન્યાયતંત્રની સ્વતંત્રતા જાળવવામાં મદદ કરે છે. જસ્ટિસ ગવઈએ પોતાને કાર્યકાળ દરમિયાન કોઈપણ મહિલા ન્યાયાધીશની નિમણૂક ન થતા દુઃખ વ્યક્ત કર્યું અને છેલ્લા દિવસે અનેક મુદ્દાઓ…
સીજેઆઈ બી. આર. ગવઈનું વિદાય સંબોધન: “હું બૌદ્ધ ધર્મનું પાલન કરું છું, જે શાંતિ અને કરુણાનો સંદેશ આપે છે”
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી. આર. ગવઈએ તેમના વિદાય સમારંભમાં હ્રદયસ્પર્શી અને સંદેશસભર સંબોધન આપ્યું. તેમણે જણાવ્યું કે તેઓ વ્યક્તિગત જીવનમાં બૌદ્ધ ધર્મના અનુયાયી છે, જે તેમને શાંતિ, સહઅસ્તિત્વ અને કરુણાનો માર્ગ બતાવે છે. પરંતુ સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ સાચા અર્થમાં “સેક્યુલર” છે અને દરેક ધર્મ માટે સમાન આદર અને શ્રદ્ધા ધરાવે છે. ન્યાયપાલિકાની નિષ્પક્ષતા અને સર્વધર્મ સમભાવ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા તેમના શબ્દોમાં સ્પષ્ટ દેખાઈ. ફેરવેલ સંબોધન દરમિયાન CJI ગવઈએ પોતાના કાર્યકાળને યાદ કરતાં બંધારણ પ્રત્યેની વફાદારી, ન્યાયતંત્રની જવાબદારી અને નાગરિકોના હિત માટે કામ કરવાની પ્રતિબદ્ધતાને ફરી એકવાર મજબૂતી આપી. તેમના આ નિવેદનને ન્યાયતંત્રના મૂલ્યો અને ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ પ્રત્યેની ગાઢ માન્યતા તરીકે જોવામાં આવી રહ્યું છે. Follow us On Social Media YouTube…








