મોહન ભાગવતનું નિવેદન: “ઘરના એક રૂમ પર કબજો કરી લીધો છે, તેને પાછો લેવો પડશે”

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સર સંઘચાલક મોહન ભાગવતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અંગે મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે PoKને ભારતના ઘરના એક “રૂમ” તરીકે સંબોધતા જણાવ્યું કે કોઈએ તે રૂમ પર કબજો કર્યો છે અને હવે તેને પાછો લેવાનો સમય આવી ગયો છે. ભીડમાં તાળીઓની ગૂંજ વચ્ચે ભાગવતના આ નિવેદનને વિશાળ સમર્થન મળ્યું હતું.”અખંડ ભારતના ભાવે – કબજાયેલો રૂમ પાછો લઈશું” મોહન ભાગવત મધ્યપ્રદેશના સતનામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું,”આખું ભારત એક ઘર છે. અમારા ઘરના એક રૂમમાં કોઈએ કબજો કર્યો છે. મારું ટેબલ, ખુરશી અને કપડાં ત્યાં છે. હવે સમય આવશે જ્યારે આપણે તે રૂમ પાછો લઈ લેવો પડશે.” તેઓએ આ નિવેદન સાથે એ પણ ઉમેર્યું કે વિભાજન વખતે…

“માત્ર 7 મહીનામાં 7 યુદ્ધો બંધ કર્યા, સંયુક્ત રાષ્ટ્રે કંઈ કર્યું નહીં”: યુએનજીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 80મા સત્ર દરમિયાન, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આગામી રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે માત્ર 7 મહિનામાં ભારત-પાકિસ્તાન સહિત સાત યુદ્ધોનો અંત લાવ્યો છે — અને તે પણ કોઈ અન્ય દેશની મદદ વગર. ટ્રમ્પે કહ્યું “મેં સાત અતિ ગંભીર યુદ્ધોનો અંત લાવ્યો છે. કોઈ રાષ્ટ્રપતિ કે વડા પ્રધાને આવી હિંમતપૂર્વક શાંતિ સ્થાપિત કરી નથી. સંયુક્ત રાષ્ટ્રે પણ કોઈ મદદ કરી નથી. મને એક પણ ફોન કોલ મળ્યો નથી શાંતિ માટે.” ટ્રમ્પના દાવા મુજબ બંધ કરાયેલ યુદ્ધો: તેમના ભાષણ દરમિયાન ટ્રમ્પે આ સાત યુદ્ધોની યાદી આપી: – ભારત – પાકિસ્તાન – કમ્બોડિયા – થાઈલેન્ડ – કોસોવો – સર્બિયા – કોંગો – રવાન્ડા – ઈઝરાયલ – ઈરાન – ઇજિપ્ત – ઇથિઓપિયા –…

શાહબાઝે ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, શાંતિ મંત્રણાની અપીલ પણ કરી

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારત સાથે શાંતિ મંત્રણાની અપીલ કરી છે. જોકે, સાથે જ તેઓએ જમ્મુ-કાશ્મીર સહિતના “પડતર મુદ્દાઓ” ઉકેલવાની જરૂરિયાત પણ રજુ કરી છે, જેને લઈને ભારતે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે હવે કોઈ વાતચીત ફક્ત પીઓકે (પાક અધિકૃત કાશ્મીર) અને આતંકવાદના મુદ્દા પર જ થશે. ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિમાં શાહબાઝની અપીલ આ ટિપ્પણી શાહબાઝે “થેંક્સગિવિંગ ડે (યમ-એ-તશકુર)” નિમિત્તે આપી હતી. આ દિવસ ઓપરેશન સિંદૂર દરમિયાન માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો. શાહબાઝે કહ્યું, “ભારત અને પાકિસ્તાન ત્રણ યુદ્ધો લડી ચૂક્યા છે, છતાં કંઈ હાંસલ થયું નથી.” તેમણે જણાવ્યું કે હવે બંને દેશોએ શાંતિના માર્ગે આગળ વધવું જોઈએ અને ચર્ચા દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઈએ. કાશ્મીર મુદ્દો…

IND – PAK: યુદ્ધવિરામ પર બાબા બાગેશ્વરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું….?

ઓપરેશન સિંદૂરના અસરકારક પરિણામોની ચર્ચા ચાલી રહી છે ત્યારે બાગેશ્વર ધામના મહંત ધીન્દ્રેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પાકિસ્તાન અંગે તીખું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. છતરપુર ખાતેના એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં તેમણે યુદ્ધવિરામ પર પ્રતિક્રિયા આપતાં પાકિસ્તાનને “બગડેલી ઓલાદ” અને “કૂતરાની પૂંછડી” ગણાવ્યું. “યુદ્ધ વિના કોઈ વિજય કે હાર નથી” – શાસ્ત્રીનો પાકિસ્તાન પર કટાક્ષ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે, “યુદ્ધ વિના કોઈ વિજય કે હાર નથી. આપણી સેના હજુ સુધી યુદ્ધમાં પ્રવેશી પણ નથી, તો પછી તેઓ શું ઉજવણી કરે છે?” તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પાકિસ્તાનના વિસ્તારોમાં બોમ્બ ફૂટી રહ્યા હતા, “ત્યારે અમે અહીં મીની દિવાળી ઉજવી રહ્યા હતા.” શાસ્ત્રીએ પાકિસ્તાનની વિચારસરણીને “કુટિલ” અને “ક્યારેય ન સુધરતી” ગણાવી. પાકિસ્તાન હંમેશા પોતાને પીડિત દર્શાવે છે શાસ્ત્રીએ…

ભારત સરકારે કરેલ એર સ્ટ્રાઇક બાદ સુરક્ષા કારણો સર કરતારપુર કોરિડોર કર્યો બંધ

પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સૈન્યના હુમલાને પગલે પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક સ્થિત કરતારપુર કોરિડોર બુધવારે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સેનાએ નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલાની પૃષ્ઠભૂમિમાં સાવચેતીના પગલાં રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કરતારપુર કોરિડોર ભારતના ડેરા બાબા નાનકને પાકિસ્તાનના કરતારપુર સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબ સાથે જોડે છે, જ્યાં શીખ ધર્મના સ્થાપક શ્રી ગુરુ નાનક દેવે જીવનના છેલ્લાં દિવસો વિતાવ્યા હતા. આ સ્થળ શીખ સમુદાય માટે ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવે છે. તણાવ વચ્ચે બુધવારે મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓ ગુરદાસપુર પહોંચ્યા હતા, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ તેમને પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું. કરતારપુર કોરિડોર મારફતે દરરોજ 5000 શ્રદ્ધાળુઓ વિઝા વિના પાર્શ્વવર્તી દેશે જતા હોય છે. આ…

સિંધુ જળ કરાર મુદ્દે પહેલીવાર PM મોદીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં સાઇન થયેલી સિંધુ જળ સંધિ વિશે હવે ભારત સરકારનો વલણ બદલાયો છે. પહેલગામ આતંકી હુમલા પછી ભારત સરકારે આ સંધિનો અમલ સ્થગિત કરવાનો નિર્ણાયક પગલાં ભર્યું છે. આ પગલાં બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલીવાર આ મુદ્દે જાહેર પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન મોદીની મહત્વપૂર્ણ ટિપ્પણી પીએમ મોદીએ જણાવ્યું કે “ભારતનું પાણી પહેલાં બહાર જતું હતું, હવે તે માત્ર દેશના હિત માટે જ વપરાશે.” તેમણે સ્પષ્ટ કર્યો કે, દેશપ્રથમ ની નીતિ હેઠળ ભારત હવે એ પાણી રોકશે જે અગાઉ પાકિસ્તાનમાં વહેતું હતું. પીએમ મોદીના જણાવ્યા અનુસાર, ભારતનો વિકાસ હવે GDP નહીં, પણ GEP – Gross Empowerment of People પર આધારિત હશે. સિંધુ જળ સંધિ શું છે? 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ સંધિ…

પહેલગામ આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારનો એક્શન મોડ: આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં મંગળવારે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 લોકોને જીવ ગુમાવવો પડ્યો હતો, જેમાં 25 ભારતીયો અને 1 નેપાળી નાગરિકનો સમાવેશ થાય છે. આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ ઘટનાને પગલે કેન્દ્ર સરકાર તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે. 24 એપ્રિલે સર્વપક્ષીય બેઠક આ મુદ્દે કેન્દ્ર સરકારે આવતીકાલે, એટલે કે 24 એપ્રિલે દિલ્હીમાં સર્વપક્ષीय બેઠક બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ કરશે. સરકારી સૂત્રો અનુસાર, આ બેઠકમાં હાલની સુરક્ષા પરિસ્થિતિ, આતંકવાદ વિરોધી કાર્યવાહી અને કાશ્મીર વિસ્તારમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો અંગે ચર્ચા થઈ શકે છે. જો કે, હજુ સુધી આ બેઠક અંગે કોઈ સત્તાવાર જાહેર જાહેરાત કરવામાં…