ભારત સરકારે કરેલ એર સ્ટ્રાઇક બાદ સુરક્ષા કારણો સર કરતારપુર કોરિડોર કર્યો બંધ

પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સૈન્યના હુમલાને પગલે પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક સ્થિત કરતારપુર કોરિડોર બુધવારે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સેનાએ નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલાની પૃષ્ઠભૂમિમાં સાવચેતીના પગલાં રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કરતારપુર કોરિડોર ભારતના ડેરા બાબા નાનકને પાકિસ્તાનના કરતારપુર સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબ સાથે જોડે છે, જ્યાં શીખ ધર્મના સ્થાપક શ્રી ગુરુ નાનક દેવે જીવનના છેલ્લાં દિવસો વિતાવ્યા હતા. આ સ્થળ શીખ સમુદાય માટે ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવે છે.

તણાવ વચ્ચે બુધવારે મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓ ગુરદાસપુર પહોંચ્યા હતા, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ તેમને પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું. કરતારપુર કોરિડોર મારફતે દરરોજ 5000 શ્રદ્ધાળુઓ વિઝા વિના પાર્શ્વવર્તી દેશે જતા હોય છે.

આ કોરિડોરનું ઉદ્ઘાટન 9 નવેમ્બર 2019ના રોજ ગુરુ નાનક દેવજીની ૫૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભારત અને પાકિસ્તાન સરકાર વચ્ચે થયેલા કરાર આધારે કરવામાં આવ્યું હતું.

Related Posts

Ahmedabad: કૃષ્ણનગરમાં 24 લાખના હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો, SOGની કાર્યવાહીથી ચકચાર…

કૃષ્ણનગર વિસ્તારમાં મકાનમાંથી અંદાજે રૂ.24 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હોવાની માહિતી સામે આવી છે. Ahmedabad સ્ટેટ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (SOG)ની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને એક યુવકને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. સમગ્ર કાર્યવાહી બાદ કથિત ડ્રગ્સ સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં સપ્લાયર તરીકે બન્ની ભાટિયાનું નામ સામે આવ્યું છે અને તે હાલ ફરાર હોવાનું જણાવાયું છે. બાતમીના આધારે SOGની કાર્યવાહી મળતી માહિતી મુજબ, Ahmedabad પોલીસને કૃષ્ણનગર વિસ્તારમાં એક મકાનમાં પ્રતિબંધિત નશીલા પદાર્થનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે SOGની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની ટીમે મકાનમાં દરોડો પાડતાં ત્યાંથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા…

Arunachal Pradesh: અરુણાચલમાં ભારે વરસાદનો કહેર: અચાનક પૂર અને ભૂસ્ખલનથી 5 સૈન્ય જવાન ગુમ, 4 મજૂરોના મોત

Arunachal Pradesh અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને પગલે અચાનક પૂર અને ભૂસ્ખલનની બે અલગ-અલગ ઘટનાઓએ ચિંતા વધારી છે. શુક્રવાર સાંજે બનેલી આ કુદરતી આફતમાં દિબાંગ વેલી વિસ્તારમાં પાંચ સૈન્ય જવાનો ગુમ થયા છે, જ્યારે અપર સુબનસિરી જિલ્લામાં માર્ગ નિર્માણ સ્થળે થયેલા મોટા ભૂસ્ખલનમાં ચાર મજૂરોના મોત થયાની માહિતી સામે આવી છે. બંને સ્થળોએ બચાવ અને શોધખોળ કામગીરી સતત ચાલી રહી છે. દિબાંગ વેલીમાં અચાનક પૂરથી સૈન્ય કેમ્પને અસર Arunachal Pradesh અરુણાચલ પ્રદેશના દિબાંગ વેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ અચાનક પૂર આવ્યું હતું. પૂરનું પાણી એટલી ઝડપથી વધ્યું કે પાસુ પાની આર્મી કેમ્પ વિસ્તારમાં 5મા ગ્રેનેડિયર્સના બે શેલ્ટર તેની અસર હેઠળ આવી ગયા હતા. મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં કુલ સાત સૈન્ય કર્મચારીઓ પૂરથી પ્રભાવિત થયા હતા. તેમાંથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *